ઝેર શું છે?
જરૂર કરતા વધારે દરેક ચીજ ઝેર છે. સત્તા, આળસ, ખોરાક, અહમ્, મહત્વકાંક્ષા, મિથ્યાભિમાન, ડર, ક્રોધ અને બીજું બધું જે હદથી વધી જાય તે ઝેર છે.
ડર શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકારી લઈએ તો તે સાહસ બની જાય છે.
ઇર્ષ્યા શું છે?
અન્યની સારી બાબતનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે પ્રેરણા બની જાય છે.
ક્રોધ શું છે?
જે આપણાં નિયંત્રણમાં નથી તેનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે ધૈર્ય બની જાય છે.
નફરત શું છે?
સામેનું પાત્ર જેવું છે તે સ્વરૂપે તેનો અસ્વીકાર. જો આપણે તેનો બિન શરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય છે.
(ઇન્ટરનેટ પરથી)
Friday, December 20, 2019
Wednesday, December 18, 2019
સાચો લીડર કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવે છે
તાતા સ્ટીલના અધ્યક્ષ રૂસી મોદીએ જમશેદપુર ખાતે પોતાના કર્મચારીઓ સાથે એક સાપ્તાહિક બેઠક યોજી હતી. એક કર્મચારીએ એક ગંભીર મુદ્દો ચર્ચ્યો. તેણે કહ્યું કે કર્મચારીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી ખરાબ હતી જે તેમના આરોગ્ય માટે પણ જોખમી બાબત હતી. જ્યારે ઉપરીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી સારી હતી.
શ્રી મોદીએ તેમના એક ઉચ્ચ અધિકારીને આ સમસ્યાનો નિકાલ કેટલા સમયમાં લવાશે એવો પ્રશ્ન કર્યો. તે ઉચ્ચ અધિકારીએ આ માટે એક મહિનાનો સમય માગ્યો.
શ્રી મોદીએ કહ્યું, "હું તો કદાચ આ સમસ્યા એક જ દિવસમાં હલ કરી દઈશ. મારી પાસે એક સુથાર મોકલી આપો."
બીજે દિવસે જ્યારે સુથાર આવ્યો ત્યારે શ્રી મોદીએ તેની પાસે કર્મચારીઓ અને ઉપરીઓના શૌચાલયોના નામના પાટીયાઓની અદલાબદલી કરાવી નાખી.
કર્મચારીઓના શૌચાલય પર 'ઉચ્ચ અધિકારીઓ' અને ઉચ્ચ અધિકારીઓના શૌચાલય પર 'કામદારો' એમ દર્શાવતા પાટિયા લટકી રહ્યાં.
શ્રી. રૂસી મોદીએ દર પખવાડિયે આ અદલાબદલી ફરી કરવી એવો આદેશ આપ્યો. ત્રણ જ દિવસમાં બંને શૌચાલયોની સ્થિતી એક સરખી - ઘણી સારી થઈ ગઈ.
સાચો લીડર ઘણી ધીરજથી તમારી વાત સાંભળે છે અને સમય વધુ બરબાદ કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ સૂઝાડે છે.
લીડરશીપ ખાલી અધિકારી કે ઉપરી બની જવા કરતા કંઈક વિશેષ છે.
સમસ્યા શું છે એ સમજવા ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે પણ સમસ્યાનો ઉકેલ લાવવા ક્રિએટિવ થિંકિંગ કરવું પડે છે.
(ઈન્ટરનેટ પરથી)
શ્રી મોદીએ તેમના એક ઉચ્ચ અધિકારીને આ સમસ્યાનો નિકાલ કેટલા સમયમાં લવાશે એવો પ્રશ્ન કર્યો. તે ઉચ્ચ અધિકારીએ આ માટે એક મહિનાનો સમય માગ્યો.
શ્રી મોદીએ કહ્યું, "હું તો કદાચ આ સમસ્યા એક જ દિવસમાં હલ કરી દઈશ. મારી પાસે એક સુથાર મોકલી આપો."
બીજે દિવસે જ્યારે સુથાર આવ્યો ત્યારે શ્રી મોદીએ તેની પાસે કર્મચારીઓ અને ઉપરીઓના શૌચાલયોના નામના પાટીયાઓની અદલાબદલી કરાવી નાખી.
કર્મચારીઓના શૌચાલય પર 'ઉચ્ચ અધિકારીઓ' અને ઉચ્ચ અધિકારીઓના શૌચાલય પર 'કામદારો' એમ દર્શાવતા પાટિયા લટકી રહ્યાં.
શ્રી. રૂસી મોદીએ દર પખવાડિયે આ અદલાબદલી ફરી કરવી એવો આદેશ આપ્યો. ત્રણ જ દિવસમાં બંને શૌચાલયોની સ્થિતી એક સરખી - ઘણી સારી થઈ ગઈ.
સાચો લીડર ઘણી ધીરજથી તમારી વાત સાંભળે છે અને સમય વધુ બરબાદ કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ સૂઝાડે છે.
લીડરશીપ ખાલી અધિકારી કે ઉપરી બની જવા કરતા કંઈક વિશેષ છે.
સમસ્યા શું છે એ સમજવા ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે પણ સમસ્યાનો ઉકેલ લાવવા ક્રિએટિવ થિંકિંગ કરવું પડે છે.
(ઈન્ટરનેટ પરથી)
Saturday, December 7, 2019
નસીબદાર ને ત્યાં દિકરી હોય
ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે લૂંટવા માટેના ગામની તપાસમાં નીકળ્યો છે.
રસ્તામાં તરસ લાગી. ગળું સૂકાવા માંડ્યું.
એક બાઈને કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,'બેટા! દીકરી! મને પાણી પાઈશ?'
બાઈ બોલી, 'અરે બાપુ, પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'
પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.
બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ 'બાપ'
અને 'દીકરી' આ બે શબ્દોએ તેને ઓગાળી નાખ્યો તેનાથી રે’વાણું નઈ અને બોલાઈ ગયું, 'દીકરી, આજ રાતે હું મારા ભેરુને લઈને આ ગામ લૂંટવા આવવાનો છું.
તેં મને 'બાપ' કીધો. હવે તો તું મારી 'દીકરી'
છો. તારા ઘરની બારે ગોખલે બે દીવા મૂકજે. તારું ઘર કોઈ નઈ લૂંટે.'
રાતે ગામના ચોકમાં હાકલ પડી. બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઉપડ્યા.
પરંતુ જ્યાં જ્યાં જાય ત્યાં ઘરે ઘરે બે દીવા તેમના જોવામાં આવ્યા.
મૂંઝાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.
બહારવટિયો દીકરીના ઘરે ગયો અને કહ્યું, 'દીકરી મેં તો તને તારા ઘરની બાર બે દીવા મૂકવાનું કીધું'તું. તેં આ શું કર્યું ?'
દીકરી બોલી, 'બાપુ!, દીકરીનું સાસરું બાપથી લૂંટાય?'
'દીકરીનું સાસરું’ -આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
એટલું જ તેનાથી બોલાણું, 'દીકરી! તારા જેવી ભગવાને મને એક દીકરી આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.
નસીબદાર ને ત્યાં દિકરી હોય.
(ઇન્ટરનેટ પરથી)
સુખી આત્મા
લેહ જતાં માર્ગમાં આવતા એક નાનકડા ગામમાં આવેલ બૌદ્ધ મઠમાં આ લખાણ વાંચવા મળે છે, જે સમજવું સરળ નથી, પરંતુ જો એ આચરવામાં આવે તો જીવન સમૂળગું બદલાઈ જશે એ નક્કી!
સુખી આત્મા કોણ છે?
૧. સુખી આત્મા એ છે જે અન્યને બદલવાનો પ્રયત્ન કરતો નથી, પણ પોતે પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
૨. સુખી આત્મા એ છે જે અન્યોને તેઓ જેવા છે તેવા સ્વીકારે છે.
૩. સુખી આત્મા એ છે જે સમજે છે કે દરેક જણ પોતપોતાની દ્રષ્ટિએ સાચું હોય છે.
૪. સુખી આત્મા એ છે જે જતું કરતા શીખે છે.
૫. સુખી આત્મા એ છે જે દરેક સંબંધ માંથી અપેક્ષા છોડી દે છે અને જે માત્ર આપવાની ભાવનાથી આપે છે.
૬. સુખી આત્મા એ છે જે સમજે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આપણી પોતાની શાંતિ ખાતર કરીએ છીએ.
૭. સુખી આત્મા એ છે જે દુનિયા સમક્ષ પોતે કેટલો /કેટલી બુદ્ધિશાળી છે એ સાબિત કરવાનું છોડી દે છે.
૮. સુખી આત્મા એ છે જે અન્યો પાસેથી સ્વીકૃતિ યાચતો નથી.
૯. સુખી આત્મા એ છે જે અન્યો સાથે સરખામણી કરતો નથી.
૧૦. સુખી આત્મા એ છે જે પોતાની જાતથી સંતુષ્ટ, ખુશ છે.
૧૧. સુખી આત્મા એ છે જે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજે છે અને ઈચ્છાઓ ત્યાગી શકે છે.
૧૨. સુખી આત્મા એ છે જે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું છોડી દે છે.
દરેક ને સુખી આત્મા તરીકે નું જીવન પ્રાપ્ત થાઓ!
ઝળકતા રહો અને વિકસતા રહો!
(ઇન્ટરનેટ પરથી)
Saturday, November 23, 2019
એક સમજુ પિતાનો પત્ર
પ્રિય પુત્ર,
જીવન, નસીબ અને મૃત્યુ અંગે કોઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય. હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું, તો તને કોઈ જ નહિ કહી શકે. આ બધી વાત હું મારા અનુભવથી કહું છું અને જો હું નહિ કહું, તો પણ તું તારા જીવનમાં શીખીશ જ. પણ, ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય. જીવન સારૂં ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે.
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે, તો મન માં દુઃખ ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે, બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, તો એના માટે
માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે, તો એનો આભાર વ્યક્ત કરવો, પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ
પણ હોઈ શકે છે. ઉતાવળમાં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા.
૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય. આ વાત તને ખાસ કામ
લાગશે, જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી
ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે.
૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ, તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે.
૪) પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે, જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે. જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે. સમય દરેક દર્દને ભૂલાવે જ છે. કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું અને કોઈના દુઃખમાં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું.
૫) અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય. વિદ્યાથી વધુ કશું જ
નથી. ભણવાના સમયે ધગશથી ભણજે.
૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે અથવા હું પણ
તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ, તે પણ મને ખબર નથી. મારી ફરજ તને મોટો કરીને, સારું ભણતર આપીને પૂરી થાય છે. એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ, એ તારી
મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.
૭) તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કરજે પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઇ જશે, તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.
૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી
જ અમીર થઇ જવાતું નથી, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહિ.
૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી, તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ એ જન્મમાં આપણે મળશું કે નહિ તે ખબર નથી. તો આ જન્મ માં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.
(ઇન્ટરનેટ પરથી)
જીવન, નસીબ અને મૃત્યુ અંગે કોઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલામાં વહેલી જ કહી દેવાય. હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું, તો તને કોઈ જ નહિ કહી શકે. આ બધી વાત હું મારા અનુભવથી કહું છું અને જો હું નહિ કહું, તો પણ તું તારા જીવનમાં શીખીશ જ. પણ, ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય. જીવન સારૂં ને શાંતિથી જીવવા આટલું જરૂર કરજે.
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે, તો મન માં દુઃખ ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે, બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, તો એના માટે
માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે. કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે, તો એનો આભાર વ્યક્ત કરવો, પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ
પણ હોઈ શકે છે. ઉતાવળમાં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા.
૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય. આ વાત તને ખાસ કામ
લાગશે, જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી
ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે.
૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ, તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે.
૪) પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે, જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે. જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે. સમય દરેક દર્દને ભૂલાવે જ છે. કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું અને કોઈના દુઃખમાં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું.
૫) અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળો માણસ સફળ જ થાય. વિદ્યાથી વધુ કશું જ
નથી. ભણવાના સમયે ધગશથી ભણજે.
૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે અથવા હું પણ
તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ, તે પણ મને ખબર નથી. મારી ફરજ તને મોટો કરીને, સારું ભણતર આપીને પૂરી થાય છે. એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ, એ તારી
મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.
૭) તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો. તું સારું કરજે પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઇ જશે, તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.
૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવનમાં એમ નસીબથી
જ અમીર થઇ જવાતું નથી, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહિ.
૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી, તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ એ જન્મમાં આપણે મળશું કે નહિ તે ખબર નથી. તો આ જન્મ માં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે.
(ઇન્ટરનેટ પરથી)
Sunday, November 17, 2019
બર્ડમેન ઓફ ઈન્ડિયા - સલીમ અલી
સલીમ અલી એટલે સૌથી મહાન પક્ષીશાસ્ત્રી અને પર્યાવરણવિદ ભારતના બર્ડ મેન તરીકે જગવિખ્યાત છે. તે ભારત અને વિશ્વભરમાં પદ્ધતિસર પક્ષી સર્વેક્ષણ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિકો માંના એક હતા. પક્ષી શાસ્ત્રના વિકાસમાં તેમના સંશોધને ખાસ્સો પ્રભાવ પાડયો છે.
૧૨મી નવેમ્બરે તેમની ૧૨૩મી જન્મજયંતિ છે, આ નિમિત્તે ચાલો આજે તેમના વિશે, તેમના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ.
સલીમ મોઇઝૂદ્દીન અબ્દુલ અલી વર્ષ ૧૮૯૬માં જન્મ્યા અને તેમના માતાપિતાને થયેલા નવ સંતાનોમાં તે સૌથી નાના હતા. તે એક વર્ષના હતા ત્યારે તેમના પિતા મોઇઝૂદ્દીન અવસાન પામ્યા અને ત્રણ વર્ષની ઉંમરે તેમણે માતા ઝીનત-ઉન-નિસ્સાનું છત્ર ગુમાવ્યું. અકાળે અનાથ બનેલા સલીમનો ઉછેર તેમના સગા હમીદા બેગમ અને અમીરુદ્દીન તૈયબજીએ કર્યો. તેઓ મુંબઈમાં વસતા હતા.
દસ વર્ષની કુમળી વયે એક વાર તેમણે એક ઉડતું પારેવડું દીઠું અને એમણે તેને ઠાર માર્યું. હ્રદયથી નરમ એવા સલીમે દોડીને તેને હાથમાં ઉપાડી લીધું. એ તેમને ચકલી જેવું લાગ્યું, પણ તેના ગળા પર તેમણે એક અલગ જણાતો પીળો પટ્ટો જોયો. ઉત્સુક એવા તેમણેએ પાલક પિતા અમીરુદ્દીનને બતાવ્યો અને આ કયું પક્ષી છે એ અંગે પૃચ્છા કરી. આ અંગે નો જવાબ ન આપી શકતા અમીરુદ્દીન તેમને પોતાના મિત્ર, બી. એન. એચ. એસ. - બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના માનદ સચિવ ડબ્લ્યુ. એસ. મિલાર્ડ પાસે લઈ ગયા. (બી. એન. એચ. એસ. પર્યાવરણ અને તેની જાળવણી અંગે સંશોધન કરતી વર્ષો જૂની અગ્રેસર બિનસરકારી સંસ્થા છે.)
મિલાર્ડ નાનકડા સલીમનો પક્ષીમાં અસાધારણ રસ જોઈ તેને ભૂસુ ભરેલા સંગ્રહાયેલા પક્ષીઓ જોવા લઈ ગયા. જ્યારે સલીમે એ પંખીઓમાં પોતે પકડેલું એ જ જાતિનું અન્ય પક્ષી જોયું ત્યારે તેના હરખ અને આશ્ચર્ય નો પાર ન રહ્યો. એ પછી તો સલીમ ત્યાં વારંવાર જવા માંડ્યો.
સલીમે કૉલેજ અટેન્ડ તો કરી પણ તેણે ફોર્મલ યુનિવર્સિટીની ડીગ્રી મેળવી નહીં. ટંગસ્તન માઇનિંગ એન્ડ ટીમ્બરમાં કામ કરતા પોતાના ભાઈને મદદ કરવા તે બર્મા (હાલના મ્યાનમાર) ગયા પણ ત્યાંયે પોતાનો મોટા ભાગનો સમય તેમણે પંખીઓ શોધવા અને જોવામાં વિતાવ્યો. જલ્દી જ તેઓ મુંબઈ પાછા ફર્યા.
પાછા ફર્યા બાદ તરત સલીમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી પ્રાણીશાસ્ત્રમાં ડીગ્રી હાંસલ કરી. ૧૯૧૮ના ડિસેમ્બરમાં તેમણે દૂરના સગામાં થતા તેહમીના બેગમ સાથે નિકાહ પઢ્યા. ૧૯૨૬માં બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયમાં તેમણે ગાઇડ તરીકે નોકરી મેળવી.
તે મુલાકાતીઓને સંગ્રહાયેલા પક્ષીઓ બતાવતા અને તેમના વિશે માહિતી પૂરી પાડતા. તેમનો પંખીઓની જીવવાની રીત, ટેવો વગેરેમાં રસ ઓર વધ્યો. આથી સલીમ જર્મની ગયા અને ત્યાં વસતા વિશ્વ વિખ્યાત પક્ષીવિદ ડૉ. ઈર્વિન સ્ટ્રાસમેનને મળ્યા. એક વર્ષ પછી ૧૯૩૦ માં તેઓ ભારત પરત ફર્યા પણ ત્યારે આર્થિક સંજોગોને કારણે બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયની તેમની ગાઇડની નોકરીનું પદ કાઢી નાખવામાં આવ્યું હતું.
સલીમ અલીને પરિણીત હોઈ પૈસાની જરૂર હતી આથી પેટીયું રળવા તેમણે સંગ્રહાલયમાં જ કારકૂન તરીકેની નોકરી સ્વીકારી લીધી. આ નોકરીએ તેમને પક્ષી જગતનું તેમનું સંશોધન ચાલુ રાખવાની તક આપી. તેમની પત્નીનું ઘર મુંબઈ નજીક કિહિમ નામના નાનકડા ગામે હતું જે વૃક્ષોથી ઘેરાયેલું એક શાંત સ્થળ હતું. અહીં સલીમ પોતાનો મોટા ભાગનો સમય વણકર પંખીની દિનચર્યા નો અભ્યાસ કરવામાં વિતાવતા.
૧૯૩૦માં તેમણે એક સંશોધન પત્ર રજૂ કર્યું જેમાં વણકર પક્ષીના સ્વભાવ અને પ્રવૃત્તિઓની વિસ્તારથી ચર્ચા હતી. આ લેખે તેમને સારી એવી પ્રસિદ્ધિ અપાવી અને પક્ષીશાસ્ત્ર ક્ષેત્રે તેમનું નામ અગ્રેસર બન્યું. સલીમ એક જગાએ થી બીજી જગાએ પક્ષીઓના સર્વેક્ષણ માટે જવા લાગ્યા અને તેમણે પક્ષીઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો.
બદનસીબે ૧૯૩૯માં એક સાધારણ શસ્ત્રક્રિયા દરમ્યાન તેમની પત્ની નું મૃત્યુ થયું.
તેમણે પક્ષીઓ અંગે જે જે બાબતો નોંધી હતી તે સઘળું એક પુસ્તક તરીકે પ્રકાશિત થયું જેનું નામ હતું "The Book of Indian Birds in 1941". આ પુસ્તકમાં ભારતીય પંખીઓના પ્રકાર અને આદતોની માહિતી હતી. ઘણાં વર્ષો સુધી આ પુસ્તકની સારી એવી નકલો વેચાતી રહી. તેમણે અન્ય એક વિશ્વ વિખ્યાત પંખી નિષ્ણાત એસ. ધિલ્લો રિપ્લે સાથે મળી પંખી સંશોધનની દિશામાં ઘણું મહત્વનું કામ કર્યું જે "Handbook of the Birds of India and Pakistan" (૧૦ પુસ્તકોનો સંપુટ) માં પરિણમ્યું. આ પુસ્તકો તેમની ૧૯૬૪ થી ૧૯૭૪ ના એક દસકાની મહેનતનો નિચોડ હતાં જેમાં ઉપખંડના પક્ષીઓનું વર્ણન, તેમના દેખાવ, રહેઠાણ, પ્રજોત્પત્તિ, સ્થળાંતર વગેરે સમાવિષ્ટ હતાં.
સલીમે અન્ય પણ કેટલાંક પ્રખ્યાત પુસ્તકો લખ્યાં છે જેમકે "Common Birds" (૧૯૬૭), તેમની રસપ્રદ આત્મકથા “The Fall of Sparrow” (૧૯૮૫)
સલીમે માત્ર પંખીઓ અંગે સંશોધન જ નથી કર્યું પણ પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ અતિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના અસામાન્ય પ્રયાસો બદલ તેમને પાંચ લાખ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો પણ તે આખી રકમ તેમણે બી. એન. એચ. એસ.ને દાનમાં આપી દીધી. ભારત સરકારે પણ તેમને ૧૯૫૮માં પદ્મભૂષણ અને ૧૯૭૬માં પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા.
આ મહાન વિભૂતિનું ૯૦ વર્ષની વયે ૧૯૮૭ માં જૂનની ૨૦મી તારીખે પ્રોસ્ટેટ કેન્સર સામે લાંબી લડત બાદ નિધન થયું.
(ઇન્ટરનેટ પરથી)
૧૨મી નવેમ્બરે તેમની ૧૨૩મી જન્મજયંતિ છે, આ નિમિત્તે ચાલો આજે તેમના વિશે, તેમના જીવન અને કાર્ય વિશે થોડું જાણીએ.
સલીમ મોઇઝૂદ્દીન અબ્દુલ અલી વર્ષ ૧૮૯૬માં જન્મ્યા અને તેમના માતાપિતાને થયેલા નવ સંતાનોમાં તે સૌથી નાના હતા. તે એક વર્ષના હતા ત્યારે તેમના પિતા મોઇઝૂદ્દીન અવસાન પામ્યા અને ત્રણ વર્ષની ઉંમરે તેમણે માતા ઝીનત-ઉન-નિસ્સાનું છત્ર ગુમાવ્યું. અકાળે અનાથ બનેલા સલીમનો ઉછેર તેમના સગા હમીદા બેગમ અને અમીરુદ્દીન તૈયબજીએ કર્યો. તેઓ મુંબઈમાં વસતા હતા.
દસ વર્ષની કુમળી વયે એક વાર તેમણે એક ઉડતું પારેવડું દીઠું અને એમણે તેને ઠાર માર્યું. હ્રદયથી નરમ એવા સલીમે દોડીને તેને હાથમાં ઉપાડી લીધું. એ તેમને ચકલી જેવું લાગ્યું, પણ તેના ગળા પર તેમણે એક અલગ જણાતો પીળો પટ્ટો જોયો. ઉત્સુક એવા તેમણેએ પાલક પિતા અમીરુદ્દીનને બતાવ્યો અને આ કયું પક્ષી છે એ અંગે પૃચ્છા કરી. આ અંગે નો જવાબ ન આપી શકતા અમીરુદ્દીન તેમને પોતાના મિત્ર, બી. એન. એચ. એસ. - બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના માનદ સચિવ ડબ્લ્યુ. એસ. મિલાર્ડ પાસે લઈ ગયા. (બી. એન. એચ. એસ. પર્યાવરણ અને તેની જાળવણી અંગે સંશોધન કરતી વર્ષો જૂની અગ્રેસર બિનસરકારી સંસ્થા છે.)
મિલાર્ડ નાનકડા સલીમનો પક્ષીમાં અસાધારણ રસ જોઈ તેને ભૂસુ ભરેલા સંગ્રહાયેલા પક્ષીઓ જોવા લઈ ગયા. જ્યારે સલીમે એ પંખીઓમાં પોતે પકડેલું એ જ જાતિનું અન્ય પક્ષી જોયું ત્યારે તેના હરખ અને આશ્ચર્ય નો પાર ન રહ્યો. એ પછી તો સલીમ ત્યાં વારંવાર જવા માંડ્યો.
સલીમે કૉલેજ અટેન્ડ તો કરી પણ તેણે ફોર્મલ યુનિવર્સિટીની ડીગ્રી મેળવી નહીં. ટંગસ્તન માઇનિંગ એન્ડ ટીમ્બરમાં કામ કરતા પોતાના ભાઈને મદદ કરવા તે બર્મા (હાલના મ્યાનમાર) ગયા પણ ત્યાંયે પોતાનો મોટા ભાગનો સમય તેમણે પંખીઓ શોધવા અને જોવામાં વિતાવ્યો. જલ્દી જ તેઓ મુંબઈ પાછા ફર્યા.
પાછા ફર્યા બાદ તરત સલીમે સેન્ટ ઝેવિયર્સ કોલેજ માંથી પ્રાણીશાસ્ત્રમાં ડીગ્રી હાંસલ કરી. ૧૯૧૮ના ડિસેમ્બરમાં તેમણે દૂરના સગામાં થતા તેહમીના બેગમ સાથે નિકાહ પઢ્યા. ૧૯૨૬માં બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયમાં તેમણે ગાઇડ તરીકે નોકરી મેળવી.
તે મુલાકાતીઓને સંગ્રહાયેલા પક્ષીઓ બતાવતા અને તેમના વિશે માહિતી પૂરી પાડતા. તેમનો પંખીઓની જીવવાની રીત, ટેવો વગેરેમાં રસ ઓર વધ્યો. આથી સલીમ જર્મની ગયા અને ત્યાં વસતા વિશ્વ વિખ્યાત પક્ષીવિદ ડૉ. ઈર્વિન સ્ટ્રાસમેનને મળ્યા. એક વર્ષ પછી ૧૯૩૦ માં તેઓ ભારત પરત ફર્યા પણ ત્યારે આર્થિક સંજોગોને કારણે બી. એન. એચ. એસ.ના સંગ્રહાલયની તેમની ગાઇડની નોકરીનું પદ કાઢી નાખવામાં આવ્યું હતું.
સલીમ અલીને પરિણીત હોઈ પૈસાની જરૂર હતી આથી પેટીયું રળવા તેમણે સંગ્રહાલયમાં જ કારકૂન તરીકેની નોકરી સ્વીકારી લીધી. આ નોકરીએ તેમને પક્ષી જગતનું તેમનું સંશોધન ચાલુ રાખવાની તક આપી. તેમની પત્નીનું ઘર મુંબઈ નજીક કિહિમ નામના નાનકડા ગામે હતું જે વૃક્ષોથી ઘેરાયેલું એક શાંત સ્થળ હતું. અહીં સલીમ પોતાનો મોટા ભાગનો સમય વણકર પંખીની દિનચર્યા નો અભ્યાસ કરવામાં વિતાવતા.
૧૯૩૦માં તેમણે એક સંશોધન પત્ર રજૂ કર્યું જેમાં વણકર પક્ષીના સ્વભાવ અને પ્રવૃત્તિઓની વિસ્તારથી ચર્ચા હતી. આ લેખે તેમને સારી એવી પ્રસિદ્ધિ અપાવી અને પક્ષીશાસ્ત્ર ક્ષેત્રે તેમનું નામ અગ્રેસર બન્યું. સલીમ એક જગાએ થી બીજી જગાએ પક્ષીઓના સર્વેક્ષણ માટે જવા લાગ્યા અને તેમણે પક્ષીઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો.
બદનસીબે ૧૯૩૯માં એક સાધારણ શસ્ત્રક્રિયા દરમ્યાન તેમની પત્ની નું મૃત્યુ થયું.
તેમણે પક્ષીઓ અંગે જે જે બાબતો નોંધી હતી તે સઘળું એક પુસ્તક તરીકે પ્રકાશિત થયું જેનું નામ હતું "The Book of Indian Birds in 1941". આ પુસ્તકમાં ભારતીય પંખીઓના પ્રકાર અને આદતોની માહિતી હતી. ઘણાં વર્ષો સુધી આ પુસ્તકની સારી એવી નકલો વેચાતી રહી. તેમણે અન્ય એક વિશ્વ વિખ્યાત પંખી નિષ્ણાત એસ. ધિલ્લો રિપ્લે સાથે મળી પંખી સંશોધનની દિશામાં ઘણું મહત્વનું કામ કર્યું જે "Handbook of the Birds of India and Pakistan" (૧૦ પુસ્તકોનો સંપુટ) માં પરિણમ્યું. આ પુસ્તકો તેમની ૧૯૬૪ થી ૧૯૭૪ ના એક દસકાની મહેનતનો નિચોડ હતાં જેમાં ઉપખંડના પક્ષીઓનું વર્ણન, તેમના દેખાવ, રહેઠાણ, પ્રજોત્પત્તિ, સ્થળાંતર વગેરે સમાવિષ્ટ હતાં.
સલીમે અન્ય પણ કેટલાંક પ્રખ્યાત પુસ્તકો લખ્યાં છે જેમકે "Common Birds" (૧૯૬૭), તેમની રસપ્રદ આત્મકથા “The Fall of Sparrow” (૧૯૮૫)
સલીમે માત્ર પંખીઓ અંગે સંશોધન જ નથી કર્યું પણ પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ અતિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના અસામાન્ય પ્રયાસો બદલ તેમને પાંચ લાખ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો પણ તે આખી રકમ તેમણે બી. એન. એચ. એસ.ને દાનમાં આપી દીધી. ભારત સરકારે પણ તેમને ૧૯૫૮માં પદ્મભૂષણ અને ૧૯૭૬માં પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા.
આ મહાન વિભૂતિનું ૯૦ વર્ષની વયે ૧૯૮૭ માં જૂનની ૨૦મી તારીખે પ્રોસ્ટેટ કેન્સર સામે લાંબી લડત બાદ નિધન થયું.
(ઇન્ટરનેટ પરથી)
Sunday, November 3, 2019
ઉક્તિઓ
દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..
જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!
વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?
ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...
હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.
ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!
હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!
નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!
શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.
તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !
આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!
દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ !!!!
'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.
'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!
જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!
(ઇન્ટરનેટ પરથી)
જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!
વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?
ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...
હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.
ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!
હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!
નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!
શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.
તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !
આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!
દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ !!!!
'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.
'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!
જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!
(ઇન્ટરનેટ પરથી)
Saturday, October 26, 2019
બ્રાહ્મણના પુત્રની ચતુરાઈ
એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક વાર ત્યાંના રાજાએ તેને ચર્ચા વિચારણા માટે પોતાની સભામાં બોલાવ્યો. ઘણાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચા બાદ રાજાએ કહ્યું, "મહાશય, આપ અતિ જ્ઞાની છો, આટલા ભણેલા-ગણેલા છો તો પછી આપનો પુત્ર આટલો બધો મૂર્ખ કેમ છે? એને પણ કઇંક શીખવો.એને તો સોના - ચાંદીમાં કોનું મૂલ્ય વધારે એ વિશે પણ ગતાગમ નથી." એમ કહી રાજા જોરજોરથી હસવા લાગ્યો.
બ્રાહ્મણને ખરાબ લાગ્યું. તેણે ઘેર જઈ પુત્રને પૂછ્યું, "સોના અને ચાંદીમાં કોનું મૂલ્ય વધારે? “
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રે જવાબ આપ્યો," સોનાનું."
"તું આ જાણે તો છે, તો પછી રાજાએ બધા વચ્ચે આ અંગે મારી ઠેકડી કેમ ઉડાડી? “
પુત્રને આનું કારણ સમજાઈ ગયું. તે બોલ્યો, "રાજા ગામ પાસે એક ખુલ્લો દરબાર ગોઠવે છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ થાય છે. એ દરબાર મારી શાળાએ જતાં માર્ગમાં આવે છે. મને જોઈ તેઓ મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો રાખી જે અધિક મૂલ્યવાન હોય તે મને લઈ લેવા કહે છે. હું ચાંદીનો સિક્કો લઈ લઉં છું. બધાં ખડખડાટ હસે છે અને આ ઘટનાની મજા લૂંટે છે. આવું લગભગ દર બીજે દિવસે બને છે. "
"તો પછી તું સોનાનો સિક્કો કેમ લઈ નથી લેતો? ચાર જણ વચ્ચે પોતાની જાત સાથે મારો પણ ફજેતો કરાવે છે?" બ્રાહ્મણે પુત્રને પ્રશ્ન કરતા કહ્યું.
પુત્ર હસીને બ્રાહ્મણને અંદરના કક્ષમાં લઈ ગયો અને તેણે કબાટમાંથી એક ચાંદીના સિક્કાથી ભરેલી સંદૂક કાઢી પિતાને બતાવી. એ જોઈ બ્રાહ્મણ તો હતપ્રભ બની ગયો.
પુત્રે તેને કહ્યું," જે દિવસે હું સોનાનો સિક્કો ઉપાડીશ, તે દિવસથી આ ખેલ બંધ થઈ જશે. એ લોકો મને મૂર્ખ સમજી મજા લઈ રહ્યા હોય તો ભલે લે, જો હું બુદ્ધિમાન સાબિત થઈશ તો મને કંઈ નહીં મળે. હું આપ જેવા ચતુર બ્રાહ્મણનો પુત્ર છું અને તેથી અક્કલથી કામ લઉં છું."
મૂર્ખ હોવું અલગ વાત છે અને મૂર્ખ ગણાવું અલગ.
સ્વર્ણિમ મોકાનો ફાયદો ઉઠાવવાને બદલે સારું છે દરેક મોકા ને સુવર્ણમાં ફેરવી નાખવાનું.
(ઇન્ટરનેટ પરથી)
બ્રાહ્મણને ખરાબ લાગ્યું. તેણે ઘેર જઈ પુત્રને પૂછ્યું, "સોના અને ચાંદીમાં કોનું મૂલ્ય વધારે? “
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રે જવાબ આપ્યો," સોનાનું."
"તું આ જાણે તો છે, તો પછી રાજાએ બધા વચ્ચે આ અંગે મારી ઠેકડી કેમ ઉડાડી? “
પુત્રને આનું કારણ સમજાઈ ગયું. તે બોલ્યો, "રાજા ગામ પાસે એક ખુલ્લો દરબાર ગોઠવે છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ થાય છે. એ દરબાર મારી શાળાએ જતાં માર્ગમાં આવે છે. મને જોઈ તેઓ મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો રાખી જે અધિક મૂલ્યવાન હોય તે મને લઈ લેવા કહે છે. હું ચાંદીનો સિક્કો લઈ લઉં છું. બધાં ખડખડાટ હસે છે અને આ ઘટનાની મજા લૂંટે છે. આવું લગભગ દર બીજે દિવસે બને છે. "
"તો પછી તું સોનાનો સિક્કો કેમ લઈ નથી લેતો? ચાર જણ વચ્ચે પોતાની જાત સાથે મારો પણ ફજેતો કરાવે છે?" બ્રાહ્મણે પુત્રને પ્રશ્ન કરતા કહ્યું.
પુત્ર હસીને બ્રાહ્મણને અંદરના કક્ષમાં લઈ ગયો અને તેણે કબાટમાંથી એક ચાંદીના સિક્કાથી ભરેલી સંદૂક કાઢી પિતાને બતાવી. એ જોઈ બ્રાહ્મણ તો હતપ્રભ બની ગયો.
પુત્રે તેને કહ્યું," જે દિવસે હું સોનાનો સિક્કો ઉપાડીશ, તે દિવસથી આ ખેલ બંધ થઈ જશે. એ લોકો મને મૂર્ખ સમજી મજા લઈ રહ્યા હોય તો ભલે લે, જો હું બુદ્ધિમાન સાબિત થઈશ તો મને કંઈ નહીં મળે. હું આપ જેવા ચતુર બ્રાહ્મણનો પુત્ર છું અને તેથી અક્કલથી કામ લઉં છું."
મૂર્ખ હોવું અલગ વાત છે અને મૂર્ખ ગણાવું અલગ.
સ્વર્ણિમ મોકાનો ફાયદો ઉઠાવવાને બદલે સારું છે દરેક મોકા ને સુવર્ણમાં ફેરવી નાખવાનું.
(ઇન્ટરનેટ પરથી)
Wednesday, October 23, 2019
એક મહિનામાં જાતને સુધારવાના ૨૦ નુસખા
૧. તમારી ભાષા નિર્મળ બનાવી દો, સઘળાં ઝેરી શબ્દો ત્યાગી દો. નકારાત્મક શબ્દો બોલવા બંધ કરી દો. નમ્ર બનો.
૨. રોજ વાંચો. ગમે તે વાંચો. પણ ચોક્કસ વાંચો.
૩. જાતને વચન આપો કે ક્યારેય માતાપિતા સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરીશ નહીં. તેમનું અપમાન ક્યારેય થવું જોઈએ નહીં.
૪. તમારી આસપાસ ના લોકોનું નિરીક્ષણ કરો. તેમના સદગુણો તમારા જીવનમાં ઉતારો.
૫. રોજ થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો.
૬. રસ્તે રઝળતાં પ્રાણીઓને ખવડાવો. ભૂખ્યાને ખવડાવીને ખૂબ સારી લાગણી અનુભવાય છે.
૭. અહમ્ નહીં, અહમ્ નહીં, અહમ્ નહીં. માત્ર અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ.
૮. શંકાનું સમાધાન કરતા ક્યારેય ખચકાટ ન અનુભવો. કોઈ પ્રશ્ન કરે તો તે પાંચ મિનિટ માટે મૂરખ ઠરે છે પણ જે પ્રશ્ન જ નથી કરતો તે સદાને માટે મૂરખ રહે છે.
૯. જે કંઈ પણ કરો તે પૂરી સમર્પિતતા સાથે કરો. આ જ સાચું ધ્યાન છે.
૧૦. નકારાત્મક લોકોથી દૂર રહો પણ કોઈ પ્રત્યે ક્યારેય પૂર્વગ્રહ ન રાખો.
૧૧. તમારી જાતની અન્યો સાથે સરખામણી કરવાનું બંધ કરો. જો તમે એમ નહીં કરો તો તમે તમારું ખરું કૌવત ક્યારેય જાણી નહીં શકો.
૧૨. જીવનની મોટામાં મોટી નિષ્ફળતા પ્રયત્ન ના કરવામાં છે. આ હંમેશા યાદ રાખો.
૧૩. હું રડ્યો કારણ મારી પાસે પગમાં પહેરવા જૂતા નહોતા, પણ જ્યારે મેં એક વ્યક્તિને જોઈ જેને પગ જ નહોતા ત્યારે મેં રડવાનું બંધ કરી દીધું. ક્યારેય ફરિયાદ કરશો નહીં.
૧૪. તમારા દિવસનું આયોજન કરો. એમાં થોડો જ સમય જશે પણ એમ કરવાથી તમારો ઘણો બધો સમય વેડફાતો અટકી જશે.
૧૫. દરરોજ થોડો સમય મૌન ધારણ કરી બેસો. તમારી જાત સાથે એ સમય ગાળો. માત્ર તમારી જાત સાથે. ચમત્કાર થશે!
૧૬. તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં વસે છે, તેમાં કચરો પધરાવશો નહીં.
૧૭. થોડી થોડી વારે પાણી પીતા રહો. દિવસના ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો.
૧૮. રોજ કાચા શાકભાજીનું સલાડ ઓછામાં ઓછી એક વાર ખાવાની આદત કેળવો.
૧૯. તમારા આરોગ્યનું ધ્યાન રાખો. જેની પાસે તંદુરસ્તી છે તેની પાસે આશા છે અને જેની પાસે આશા છે તેની પાસે સઘળું છે.
૨૦. જીવન ટૂંકુ છે. જીવન સરળ રાખો. તેને સંકુલ ન બનાવો. સદાયે સ્મિત આપવાનું ન ભૂલો.
આ નુસખા રોજ વાંચો અને તેને અમલમાં મૂકો.
(ઇન્ટરનેટ પરથી)
૨. રોજ વાંચો. ગમે તે વાંચો. પણ ચોક્કસ વાંચો.
૩. જાતને વચન આપો કે ક્યારેય માતાપિતા સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરીશ નહીં. તેમનું અપમાન ક્યારેય થવું જોઈએ નહીં.
૪. તમારી આસપાસ ના લોકોનું નિરીક્ષણ કરો. તેમના સદગુણો તમારા જીવનમાં ઉતારો.
૫. રોજ થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો.
૬. રસ્તે રઝળતાં પ્રાણીઓને ખવડાવો. ભૂખ્યાને ખવડાવીને ખૂબ સારી લાગણી અનુભવાય છે.
૭. અહમ્ નહીં, અહમ્ નહીં, અહમ્ નહીં. માત્ર અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ.
૮. શંકાનું સમાધાન કરતા ક્યારેય ખચકાટ ન અનુભવો. કોઈ પ્રશ્ન કરે તો તે પાંચ મિનિટ માટે મૂરખ ઠરે છે પણ જે પ્રશ્ન જ નથી કરતો તે સદાને માટે મૂરખ રહે છે.
૯. જે કંઈ પણ કરો તે પૂરી સમર્પિતતા સાથે કરો. આ જ સાચું ધ્યાન છે.
૧૦. નકારાત્મક લોકોથી દૂર રહો પણ કોઈ પ્રત્યે ક્યારેય પૂર્વગ્રહ ન રાખો.
૧૧. તમારી જાતની અન્યો સાથે સરખામણી કરવાનું બંધ કરો. જો તમે એમ નહીં કરો તો તમે તમારું ખરું કૌવત ક્યારેય જાણી નહીં શકો.
૧૨. જીવનની મોટામાં મોટી નિષ્ફળતા પ્રયત્ન ના કરવામાં છે. આ હંમેશા યાદ રાખો.
૧૩. હું રડ્યો કારણ મારી પાસે પગમાં પહેરવા જૂતા નહોતા, પણ જ્યારે મેં એક વ્યક્તિને જોઈ જેને પગ જ નહોતા ત્યારે મેં રડવાનું બંધ કરી દીધું. ક્યારેય ફરિયાદ કરશો નહીં.
૧૪. તમારા દિવસનું આયોજન કરો. એમાં થોડો જ સમય જશે પણ એમ કરવાથી તમારો ઘણો બધો સમય વેડફાતો અટકી જશે.
૧૫. દરરોજ થોડો સમય મૌન ધારણ કરી બેસો. તમારી જાત સાથે એ સમય ગાળો. માત્ર તમારી જાત સાથે. ચમત્કાર થશે!
૧૬. તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં વસે છે, તેમાં કચરો પધરાવશો નહીં.
૧૭. થોડી થોડી વારે પાણી પીતા રહો. દિવસના ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો.
૧૮. રોજ કાચા શાકભાજીનું સલાડ ઓછામાં ઓછી એક વાર ખાવાની આદત કેળવો.
૧૯. તમારા આરોગ્યનું ધ્યાન રાખો. જેની પાસે તંદુરસ્તી છે તેની પાસે આશા છે અને જેની પાસે આશા છે તેની પાસે સઘળું છે.
૨૦. જીવન ટૂંકુ છે. જીવન સરળ રાખો. તેને સંકુલ ન બનાવો. સદાયે સ્મિત આપવાનું ન ભૂલો.
આ નુસખા રોજ વાંચો અને તેને અમલમાં મૂકો.
(ઇન્ટરનેટ પરથી)
જૂની પેઢી
આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે, જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.
આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા, સવારના અંધકારમાં ફરવા નીકળવાવાળા, આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા
અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા,
તેમનું સુખ દુઃખ પૂછવાવાળા,
બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા,
તેમજ સ્નાન વગર અન્ન ગળે નહીં ઉતારવા વાળા.
તેમનો અલગ સંસાર, વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રીતી-રિવાજ અને સનાતન ધર્મની
આગળ પાછળ ફરવાવાળા.
જુના ફોનના ડબલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોનનંબરની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!
હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જૂના ચપ્પલ, ફાટેલી બંડી અને
તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!
ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!
નજર ઉતારવા વાળા, અંબોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા અને શાકભાજીની લારી વાળા સાથે
એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!
શું તમે જાણો છો?
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી
કાયમ માટે જતા રહેવાના છે.
શું તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,
તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન રાખજો...
નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.
એમનું છે સંતોષ ભર્યું જીવન,
સાદગી પૂર્વકનું જીવન,
પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન,
ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન,
બધાની ચિંતા કરવાવાળું જીવન.....!
તમારા પરિવારમાં જે લોકો વડીલ છે
તેમનું માન સન્માન રાખજો,
તેઓને પોતાપણું મહેસૂસ કરાવો
અને ખૂબ જ પ્રેમ કરો.........!
સંસ્કાર જ અપરાધ રોકી શકે છે, સરકાર નહિ !!
(ઇન્ટરનેટ પરથી)
આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા, સવારના અંધકારમાં ફરવા નીકળવાવાળા, આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા
અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા,
તેમનું સુખ દુઃખ પૂછવાવાળા,
બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા,
તેમજ સ્નાન વગર અન્ન ગળે નહીં ઉતારવા વાળા.
તેમનો અલગ સંસાર, વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રીતી-રિવાજ અને સનાતન ધર્મની
આગળ પાછળ ફરવાવાળા.
જુના ફોનના ડબલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોનનંબરની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!
હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જૂના ચપ્પલ, ફાટેલી બંડી અને
તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!
ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!
નજર ઉતારવા વાળા, અંબોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા અને શાકભાજીની લારી વાળા સાથે
એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!
શું તમે જાણો છો?
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી
કાયમ માટે જતા રહેવાના છે.
શું તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,
તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન રાખજો...
નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.
એમનું છે સંતોષ ભર્યું જીવન,
સાદગી પૂર્વકનું જીવન,
પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન,
ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન,
બધાની ચિંતા કરવાવાળું જીવન.....!
તમારા પરિવારમાં જે લોકો વડીલ છે
તેમનું માન સન્માન રાખજો,
તેઓને પોતાપણું મહેસૂસ કરાવો
અને ખૂબ જ પ્રેમ કરો.........!
સંસ્કાર જ અપરાધ રોકી શકે છે, સરકાર નહિ !!
(ઇન્ટરનેટ પરથી)
Tuesday, October 15, 2019
શ્રાદ્ધ
અચાનક મેં કાર ને બ્રેક મારી. મારાથી બૂમ પડાઈ ગઈ, "ઓ દાદા... રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો?આવી રીતે રોડ ક્રોસ થાય ?"
અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા.
હું ગાડીમાંથી બહાર આવ્યો.દાદાનો હાથ પકડ્યો. દાદાનો હાથ ગરમ. ગળેને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડી તેમને કારમાં બેસાડ્યા.
"દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો? અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.“
દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કહ્યું, "દાદા, એકલા રહો છો ?"
"હા." તે એટલું જ બોલ્યા.
"પરિવારમાં કોઈ...?"
"કોઈ નથી.પત્ની હતી પણ વર્ષ પહેલાં..." આકાશ સામે હાથ કરી એ બોલ્યા.
હું તેમને અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા,"પંડ્યા દાદા, આરામ કરવાનું કહેલું ને? ફરીથી એકલા બહાર નીકળ્યા?“
મેં ડૉક્ટર સામે જોઈ પૂછ્યું, "તમે ઓળખો છો દાદાને ?"
"હા.. સારી રીતે. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આ તો અમારા પંડ્યાદાદા છે."
ડૉક્ટર દાદાનો તાવ માપી કહ્યું,"દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે."
"પણ કોઈને પૂછ્યા વગર?" મેં પ્રશ્ન કર્યો.
ડૉક્ટર તેમની રૂમમાં મને અંદર લઈ ગયા અને કહ્યું, "દીકરો વહુ છે, પણ તેમનાથી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે. ઘડપણ છે, જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોઇએ જ. એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા. ત્યાં સુધી વાંધો ન હતો. એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દો." દાદાએ કહ્યું, "હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને."
દીકરો કહે,"કેમ ના બને ?"
દાદા કહે,"તું નોકરી એ લાગ્યો. લગ્ન કર્યા. ભણાવીને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ? કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું ?"
બસ, આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા. દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ પર નથી જતો, પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો.
ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા," દાદા, ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા?"
દાદા આવા તાવમાં પણ હસી પડ્યા.
હું બાજુમાં ગયો. માથે હાથ ફેરવી પૂછ્યું, "પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું."
દાદાએ મારો હાથ પકડી કહ્યું," બેટા ૧૦૦ ગ્રામ... "
મેં ડોક્ટર સામે જોયું. ડોક્ટર સાહેબે હસીને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમમાં સુવાડી ઇંજેકશન આપ્યું અને કહ્યું," આરામ કરો, ત્યાં સુધીમાં પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવશે."
હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને પાછો આવ્યો. ડોક્ટર મારી રાહ જોતા હતા.એ બોલ્યા," પ્રતિકભાઈ, આપણે સહેજ મોડા પડ્યા."
મેં કહ્યું, "કેમ શુ થયું..?"
તેમણે જણાવ્યું, "દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા."
મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું.
ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.
મા-બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય, એ સંતાનો આવી રીતે ઘડપણમાં તેમને કઈ રીતે તરછોડી શકતા હશે?
મેં ઑફિસે ફોન કરીને કહ્યું,"આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું."
ડોક્ટર સાહેબ બોલ્યા, "ભાઈ પ્રતિક, તે એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે."
ડોક્ટર સાહેબ બોલ્યા,"પ્રતિક, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ."
અગત્યની વાત એ છે દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કહ્યું હતું," મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉકટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકત નો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી. ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.
બાકી ના ૨૫% રકમમાંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે દવા આપવી."
મેં કહ્યું , "વાહ દાદા! વાહ!
આનું નામ સાચું દાન. મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી, જરૂર સમાજને છે. આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, જીવતા સાચવો. સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી, ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે."
(ઇન્ટરનેટ પરથી)
અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા.
હું ગાડીમાંથી બહાર આવ્યો.દાદાનો હાથ પકડ્યો. દાદાનો હાથ ગરમ. ગળેને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડી તેમને કારમાં બેસાડ્યા.
"દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો? અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.“
દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કહ્યું, "દાદા, એકલા રહો છો ?"
"હા." તે એટલું જ બોલ્યા.
"પરિવારમાં કોઈ...?"
"કોઈ નથી.પત્ની હતી પણ વર્ષ પહેલાં..." આકાશ સામે હાથ કરી એ બોલ્યા.
હું તેમને અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા,"પંડ્યા દાદા, આરામ કરવાનું કહેલું ને? ફરીથી એકલા બહાર નીકળ્યા?“
મેં ડૉક્ટર સામે જોઈ પૂછ્યું, "તમે ઓળખો છો દાદાને ?"
"હા.. સારી રીતે. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આ તો અમારા પંડ્યાદાદા છે."
ડૉક્ટર દાદાનો તાવ માપી કહ્યું,"દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે."
"પણ કોઈને પૂછ્યા વગર?" મેં પ્રશ્ન કર્યો.
ડૉક્ટર તેમની રૂમમાં મને અંદર લઈ ગયા અને કહ્યું, "દીકરો વહુ છે, પણ તેમનાથી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે. ઘડપણ છે, જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોઇએ જ. એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા. ત્યાં સુધી વાંધો ન હતો. એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દો." દાદાએ કહ્યું, "હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને."
દીકરો કહે,"કેમ ના બને ?"
દાદા કહે,"તું નોકરી એ લાગ્યો. લગ્ન કર્યા. ભણાવીને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ? કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું ?"
બસ, આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા. દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ પર નથી જતો, પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો.
ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા," દાદા, ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા?"
દાદા આવા તાવમાં પણ હસી પડ્યા.
હું બાજુમાં ગયો. માથે હાથ ફેરવી પૂછ્યું, "પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું."
દાદાએ મારો હાથ પકડી કહ્યું," બેટા ૧૦૦ ગ્રામ... "
મેં ડોક્ટર સામે જોયું. ડોક્ટર સાહેબે હસીને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમમાં સુવાડી ઇંજેકશન આપ્યું અને કહ્યું," આરામ કરો, ત્યાં સુધીમાં પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવશે."
હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને પાછો આવ્યો. ડોક્ટર મારી રાહ જોતા હતા.એ બોલ્યા," પ્રતિકભાઈ, આપણે સહેજ મોડા પડ્યા."
મેં કહ્યું, "કેમ શુ થયું..?"
તેમણે જણાવ્યું, "દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા."
મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું.
ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.
મા-બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય, એ સંતાનો આવી રીતે ઘડપણમાં તેમને કઈ રીતે તરછોડી શકતા હશે?
મેં ઑફિસે ફોન કરીને કહ્યું,"આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું."
ડોક્ટર સાહેબ બોલ્યા, "ભાઈ પ્રતિક, તે એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે."
ડોક્ટર સાહેબ બોલ્યા,"પ્રતિક, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ."
અગત્યની વાત એ છે દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કહ્યું હતું," મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉકટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકત નો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી. ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.
બાકી ના ૨૫% રકમમાંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે દવા આપવી."
મેં કહ્યું , "વાહ દાદા! વાહ!
આનું નામ સાચું દાન. મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી, જરૂર સમાજને છે. આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, જીવતા સાચવો. સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી, ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે."
(ઇન્ટરનેટ પરથી)
Friday, September 20, 2019
કાળજીપૂર્વક વપરાશ (ભાગ - ૧ & ર)
વખત જતાં મને સમજાયું છે કે સૃષ્ટિ પાસેથી મેં તેને જે આપ્યું છે તેના કરતાં અનેક ગણું વધારે લીધું છે. જરૂર અને ઇચ્છા વચ્ચેનો ફરક સતત શોધતા રહેવાની કવાયતે મારી આંખ ઉઘાડી નાંખી છે. હવે મારો પ્રયત્ન હોય છે જવાબદારી પૂર્વક જીવવાનો, વિવેકબુદ્ધિ સાથે જીવવાનો. માઇંડફૂલ કન્સમ્પશન એટલે કે કાળજીપૂર્વકનો વપરાશ હવે મારો જીવનમંત્ર બની ગયો છે. હું આ રીતે જીવવા સતત પ્રશ્નો કરતો રહું છું.
દા. ત. ૧. શું હોટેલમાં ખાવા જાઉં ત્યારે મારી સામે ધરાતા પાણી ભરેલા પ્યાલાની મને ખરેખર જરૂર હોય છે? જ્યારે હું ત્યાંથી વિદાય લઈશ ત્યારે એ પાણી ગટરમાં જ વહી જવાનું ને? શું હું આમ થવા દઈ જેને પીવાનું પાણી મેળવવા કેટલાયે કિલોમીટર ચાલી જવું પડે છે તેની સાથે ઘોર અન્યાય નથી કરી રહ્યો? આટલું ચાલીને પણ રામ જાણે તેને પીવા લાયક શુદ્ધ પાણી મળે છે કે નહીં?
૨. શું કોઈને ભેટ આપું તે મફતમાં મળતા કાગળમાં વીંટાળીને આપવાની જરૂર છે ખરી? ભેટ ખોલ્યા બાદ તો એ ચળકાટ વાળા, જેનો નાશ નથી થઈ શકતો એવા કાગળને ફેંકી જ દેવાનો છે.
૩. શું મારે ભેટ ખરીદવાની ખરેખર જરૂર છે જ્યારે હું ચોક્કસ નથી કે મેળવનાર તેનો ઉપયોગ કરશે કે કેમ? માત્ર સારા દેખાવા મારે એવો ખોટો ખર્ચ કરવાની જરૂર છે ખરી? તેના કરતાં એટલી જ કિંમતના ફળ કે સૂકો મેવો ખરીદી આપવા વધુ યોગ્ય ગણાય કારણ તેનો ઉપયોગ તો મેળવનાર ચોક્કસ કરશે જ.
૪. બુફે જમણ વખતે, શું મારે મારા પેટ નો અવાજ સાંભળવો જોઈએ કે પછી મફતમાં મળે છે કે મેં પૈસા ચૂકવ્યા છે એવું કારણ ધરી આખી પ્લેટ ભરી પરાણે ખાવું જ જોઈએ?
૫. હું એકલો જ ખાવા ગયો હોઉં અને હોટલ કે ફૂડ સ્ટોર વાળો મને કાંટાવાળી બે ચમચી અને ચાર ટિશ્યૂ પેપર આપે ત્યારે મારે શું કરવું જોઈએ? શું મારે વધારાના એક ચમચી અને ત્રણ ટિશ્યૂ પેપર પાછા આપી દેવા જોઈએ કે આ અંગે ચૂપ રહી ભોજન પતાવી દેવું જોઈએ? સૌથી સારું તો એક પણ ચમચી કે ટિશ્યૂ પેપર સ્વીકાર્યા વગર મારે ઘેરથી મારા પોતાના ચમચી અને નેપ્કિન લઈ જવાના પર્યાય અંગે વિચારવું જોઈએ.
૬. માત્ર કોઈક વસ્તુ બાયોડીગ્રેડેબલ (કુદરતી રીતે જેનો ચોક્કસ ટૂંકા સમયમાં પર્યાવરણને નુકસાન પહોંચડ્યા વગર નાશ થઈ જાય છે) હોય એટલે તેનો ઉપયોગ કરવો જ જોઈએ? શું હું કાગળ કે કપડાંની થેલીનો ઉપયોગ કરવાનું પણ ન ટાળી શકું? એ કાગળ બનાવવા માટે પણ કોણ જાણે કેટલા ઝાડ કાપવા પડ્યા હશે અને એ કપડું બનાવવા પૃથ્વી પર કેટલો અત્યાચાર થયો હશે? રીયૂઝ કે રીસાઇકલ વિશે વિચારતા પહેલા શું હું મારો મૂળ વપરાશ કેમ ઘટાડવો એ અંગે ઘટતું ન કરી શકું?
૭. જ્યારે હું ફૂલ પ્લેટ થાળી જમવા જાઉં છું ત્યારે તેમાં ઘણી એવી વસ્તુઓ મૂકેલી હોય છે જે હું ખાવાનો નથી જેમ કે દહીં ની કટોરી કે બંગાળી મીઠાઈ કે કોઈ ન ભાવતું શાક. શું હું એ તરત પરત કરી દઉં છું જેથી એ કોઈ બીજાને આપી શકાય કે પછી એને મારા ભાણા માં જ વણ સ્પર્શયું રહેવા દઉં છું જે ફેંકી દેવામાં આવશે?
૮. શું મારે કોટન ની કૂર્તી એ ઘણી સારી દેખાય છે એટલા માટે ખરીદવાની જરૂર છે? ફેશન ઈંડસ્ટ્રી દેખાય છે તેના કરતા ઘણી વધારે 'શેતાની' છે. એ જે રીતે કોટન કે શણ નું ઉત્પાદન કરતી વખતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે કે મનુષ્યો સાથે કેવું વર્તન કરે છે કે ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગ દ્વારા પેદા થતાં કચરાનો નિકાલ જે રીતે કરે છે તે ઘણું ભયાનક છે.
૯. મારી પાસે એ ખાસ સ્ટાઇલના જૂતાં નથી એટલે મારે એ પ્રકારની વધુ એક જોડ જરૂર ન હોવા છતાં ખરીદવી જોઈએ? શું મારે એ ધ્યાનમાં લેવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારનાં જૂતાં (ભલે પછી તે ચામડાનાં કેમ ન હોય) એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે કે પૃથ્વી પર તેનો વપરાઈ રહ્યાં બાદ વિનાશ લગભગ અશક્ય છે?
૧૦. જ્યારે મહેમાન આવે ત્યારે મારે અનેકવિધ વાનગીઓ બનાવવી જરૂરી છે? શું હું એટલું જ ન રાંધી શકું જેથી મારા સહિત આવનાર સૌ નું પેટ ભરાઈ રહે અને અમે સારો સમય પસાર કરવા સાથે એ પણ સુનિશ્ચિત કરી શકીએ કે જરા પણ ખાવાનો બગાડ થાય નહીં. ઘણી વાર આવું વધેલું ખાવાનું પછીના ત્રણ દિવસ સુધી ખાઈ ને ખતમ કરવું પડે છે જે પોષકતત્વો તો ગુમાવી જ બેસેલું હોય છે પણ સ્વાસ્થ્ય માટે પણ અતિ હાનિકારક છે.
૧૧. વસ્તુઓ 'સેલ' માં સસ્તી મળી રહી હોય તો જરૂર ન હોવા છતાં મારે એ ખરીદવી જોઈએ? 'રિટર્ન પોલીસી' સારી છે એટલે માટે થઈને મારે વસ્તુઓ ખરીદવી જોઈએ? એક અહેવાલ વાંચી મને આઘાત લાગ્યો જેમાં આપેલી માહિતી મુજબ મોટા રિટેલ ઉદ્યોગગૃહો રિટર્ન થયેલા ઉત્પાદનો દરિયામાં પધરાવે છે અને મનુષ્યોની લાલચ અને અવિચારીપણાંને લીધે દરિયામાં પધરાવેલો કચરો પર્યાવરણ માટે કેટલો જોખમી છે.
૧૨. હું જ્યારે કોઈક નવા સ્થળે ફરવા જાઉં છું ત્યારે પર્યટક તરીકે કેટલો જવાબદાર અને સભાન હોઉં છું? શું હું જે સ્થળે પ્રવાસી તરીકે જાઉં ત્યાંના સન્માન અને ગરિમા જાળવું છું? 'મૌન જાળવો', 'શાંતિ રાખો' કે 'ગંદકી ના કરશો' આવી સૂચનાઓનું હું કેટલી ગંભીરતાથી પાલન કરું છું?
આવા પ્રશ્નો વારંવાર પૂછતાં રહેવાનો સમય આવી ગયો છે. માઇંડફૂલ કન્સમ્પશન જ આપણને અને આવનારી પેઢીને બચાવી શકશે.
(ઇન્ટરનેટ પરથી)
દા. ત. ૧. શું હોટેલમાં ખાવા જાઉં ત્યારે મારી સામે ધરાતા પાણી ભરેલા પ્યાલાની મને ખરેખર જરૂર હોય છે? જ્યારે હું ત્યાંથી વિદાય લઈશ ત્યારે એ પાણી ગટરમાં જ વહી જવાનું ને? શું હું આમ થવા દઈ જેને પીવાનું પાણી મેળવવા કેટલાયે કિલોમીટર ચાલી જવું પડે છે તેની સાથે ઘોર અન્યાય નથી કરી રહ્યો? આટલું ચાલીને પણ રામ જાણે તેને પીવા લાયક શુદ્ધ પાણી મળે છે કે નહીં?
૨. શું કોઈને ભેટ આપું તે મફતમાં મળતા કાગળમાં વીંટાળીને આપવાની જરૂર છે ખરી? ભેટ ખોલ્યા બાદ તો એ ચળકાટ વાળા, જેનો નાશ નથી થઈ શકતો એવા કાગળને ફેંકી જ દેવાનો છે.
૩. શું મારે ભેટ ખરીદવાની ખરેખર જરૂર છે જ્યારે હું ચોક્કસ નથી કે મેળવનાર તેનો ઉપયોગ કરશે કે કેમ? માત્ર સારા દેખાવા મારે એવો ખોટો ખર્ચ કરવાની જરૂર છે ખરી? તેના કરતાં એટલી જ કિંમતના ફળ કે સૂકો મેવો ખરીદી આપવા વધુ યોગ્ય ગણાય કારણ તેનો ઉપયોગ તો મેળવનાર ચોક્કસ કરશે જ.
૪. બુફે જમણ વખતે, શું મારે મારા પેટ નો અવાજ સાંભળવો જોઈએ કે પછી મફતમાં મળે છે કે મેં પૈસા ચૂકવ્યા છે એવું કારણ ધરી આખી પ્લેટ ભરી પરાણે ખાવું જ જોઈએ?
૫. હું એકલો જ ખાવા ગયો હોઉં અને હોટલ કે ફૂડ સ્ટોર વાળો મને કાંટાવાળી બે ચમચી અને ચાર ટિશ્યૂ પેપર આપે ત્યારે મારે શું કરવું જોઈએ? શું મારે વધારાના એક ચમચી અને ત્રણ ટિશ્યૂ પેપર પાછા આપી દેવા જોઈએ કે આ અંગે ચૂપ રહી ભોજન પતાવી દેવું જોઈએ? સૌથી સારું તો એક પણ ચમચી કે ટિશ્યૂ પેપર સ્વીકાર્યા વગર મારે ઘેરથી મારા પોતાના ચમચી અને નેપ્કિન લઈ જવાના પર્યાય અંગે વિચારવું જોઈએ.
૬. માત્ર કોઈક વસ્તુ બાયોડીગ્રેડેબલ (કુદરતી રીતે જેનો ચોક્કસ ટૂંકા સમયમાં પર્યાવરણને નુકસાન પહોંચડ્યા વગર નાશ થઈ જાય છે) હોય એટલે તેનો ઉપયોગ કરવો જ જોઈએ? શું હું કાગળ કે કપડાંની થેલીનો ઉપયોગ કરવાનું પણ ન ટાળી શકું? એ કાગળ બનાવવા માટે પણ કોણ જાણે કેટલા ઝાડ કાપવા પડ્યા હશે અને એ કપડું બનાવવા પૃથ્વી પર કેટલો અત્યાચાર થયો હશે? રીયૂઝ કે રીસાઇકલ વિશે વિચારતા પહેલા શું હું મારો મૂળ વપરાશ કેમ ઘટાડવો એ અંગે ઘટતું ન કરી શકું?
૭. જ્યારે હું ફૂલ પ્લેટ થાળી જમવા જાઉં છું ત્યારે તેમાં ઘણી એવી વસ્તુઓ મૂકેલી હોય છે જે હું ખાવાનો નથી જેમ કે દહીં ની કટોરી કે બંગાળી મીઠાઈ કે કોઈ ન ભાવતું શાક. શું હું એ તરત પરત કરી દઉં છું જેથી એ કોઈ બીજાને આપી શકાય કે પછી એને મારા ભાણા માં જ વણ સ્પર્શયું રહેવા દઉં છું જે ફેંકી દેવામાં આવશે?
૮. શું મારે કોટન ની કૂર્તી એ ઘણી સારી દેખાય છે એટલા માટે ખરીદવાની જરૂર છે? ફેશન ઈંડસ્ટ્રી દેખાય છે તેના કરતા ઘણી વધારે 'શેતાની' છે. એ જે રીતે કોટન કે શણ નું ઉત્પાદન કરતી વખતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે કે મનુષ્યો સાથે કેવું વર્તન કરે છે કે ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગ દ્વારા પેદા થતાં કચરાનો નિકાલ જે રીતે કરે છે તે ઘણું ભયાનક છે.
૯. મારી પાસે એ ખાસ સ્ટાઇલના જૂતાં નથી એટલે મારે એ પ્રકારની વધુ એક જોડ જરૂર ન હોવા છતાં ખરીદવી જોઈએ? શું મારે એ ધ્યાનમાં લેવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારનાં જૂતાં (ભલે પછી તે ચામડાનાં કેમ ન હોય) એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે કે પૃથ્વી પર તેનો વપરાઈ રહ્યાં બાદ વિનાશ લગભગ અશક્ય છે?
૧૦. જ્યારે મહેમાન આવે ત્યારે મારે અનેકવિધ વાનગીઓ બનાવવી જરૂરી છે? શું હું એટલું જ ન રાંધી શકું જેથી મારા સહિત આવનાર સૌ નું પેટ ભરાઈ રહે અને અમે સારો સમય પસાર કરવા સાથે એ પણ સુનિશ્ચિત કરી શકીએ કે જરા પણ ખાવાનો બગાડ થાય નહીં. ઘણી વાર આવું વધેલું ખાવાનું પછીના ત્રણ દિવસ સુધી ખાઈ ને ખતમ કરવું પડે છે જે પોષકતત્વો તો ગુમાવી જ બેસેલું હોય છે પણ સ્વાસ્થ્ય માટે પણ અતિ હાનિકારક છે.
૧૧. વસ્તુઓ 'સેલ' માં સસ્તી મળી રહી હોય તો જરૂર ન હોવા છતાં મારે એ ખરીદવી જોઈએ? 'રિટર્ન પોલીસી' સારી છે એટલે માટે થઈને મારે વસ્તુઓ ખરીદવી જોઈએ? એક અહેવાલ વાંચી મને આઘાત લાગ્યો જેમાં આપેલી માહિતી મુજબ મોટા રિટેલ ઉદ્યોગગૃહો રિટર્ન થયેલા ઉત્પાદનો દરિયામાં પધરાવે છે અને મનુષ્યોની લાલચ અને અવિચારીપણાંને લીધે દરિયામાં પધરાવેલો કચરો પર્યાવરણ માટે કેટલો જોખમી છે.
૧૨. હું જ્યારે કોઈક નવા સ્થળે ફરવા જાઉં છું ત્યારે પર્યટક તરીકે કેટલો જવાબદાર અને સભાન હોઉં છું? શું હું જે સ્થળે પ્રવાસી તરીકે જાઉં ત્યાંના સન્માન અને ગરિમા જાળવું છું? 'મૌન જાળવો', 'શાંતિ રાખો' કે 'ગંદકી ના કરશો' આવી સૂચનાઓનું હું કેટલી ગંભીરતાથી પાલન કરું છું?
આવા પ્રશ્નો વારંવાર પૂછતાં રહેવાનો સમય આવી ગયો છે. માઇંડફૂલ કન્સમ્પશન જ આપણને અને આવનારી પેઢીને બચાવી શકશે.
(ઇન્ટરનેટ પરથી)
Sunday, September 8, 2019
સાઇકલિસ્ટ કે મૅકડોનાલ્ડ
યૂરો એક્ઝિમ બેંક ના સી.ઈ.ઓ. સંજય ઠકરારની એક નાનકડી વાતે અર્થશાસ્ત્રીઓને વિચાર કરતા કરી મૂક્યા.
તેમણે કહ્યું :
એક સાઇકલિસ્ટ (સાઇકલ ચલાવનાર) દેશના અર્થતંત્ર માટે સૌથી મોટો ખતરો છે (!).
- તે ગાડી ખરીદતો નથી કે નથી કાર લોન લેતો.
- તે કાર નો વીમો ખરીદતો નથી.
- તે પેટ્રોલ કે ડીઝલ ખરીદતો નથી.
- તે કાર સર્વિસીંગ કે રીપેર માટે મોકલતો નથી.
- તે પેઇડ પાર્કિંગનો ઉપયોગ કરતો નથી.
- તે જાડિયો થતો નથી (!).
- હા... સાલા, તંદુરસ્ત લોકોની અર્થતંત્રને જરુર નથી. તેઓ દવાઓ ખરીદતા નથી. હોસ્પિટલ કે ડોક્ટર ની મુલાકાત લેતા નથી. તેઓ દેશના જી. ડી. પી. માં કશો ઉમેરો કરતા નથી.
ઊલટાનું, મૅકડોનાલ્ડ જેવા જંક ફૂડ સ્ટોર્સ ઓછામાં ઓછી ૩૦ રોજગારની તકો ઉભી કરે છે - ૧૦ કાર્ડિયોલોજીસ્ટ, ૧૦ ડેન્ટિસ્ટ, ૧૦ વજન ઉતારવાની ગેરન્ટી આપતા નિષ્ણાત અને પાછું આ સ્ટોર્સ માં કામ કરતા સ્ટાફના માણસો ની નોકરી તો અલગ!
હવે તમે જ કહો શું દેશના અર્થતંત્ર માટે વધારે મહત્વનું છે : સાઇકલિસ્ટ કે મૅકડોનાલ્ડ?
(ઇન્ટરનેટ પરથી)
તેમણે કહ્યું :
એક સાઇકલિસ્ટ (સાઇકલ ચલાવનાર) દેશના અર્થતંત્ર માટે સૌથી મોટો ખતરો છે (!).
- તે ગાડી ખરીદતો નથી કે નથી કાર લોન લેતો.
- તે કાર નો વીમો ખરીદતો નથી.
- તે પેટ્રોલ કે ડીઝલ ખરીદતો નથી.
- તે કાર સર્વિસીંગ કે રીપેર માટે મોકલતો નથી.
- તે પેઇડ પાર્કિંગનો ઉપયોગ કરતો નથી.
- તે જાડિયો થતો નથી (!).
- હા... સાલા, તંદુરસ્ત લોકોની અર્થતંત્રને જરુર નથી. તેઓ દવાઓ ખરીદતા નથી. હોસ્પિટલ કે ડોક્ટર ની મુલાકાત લેતા નથી. તેઓ દેશના જી. ડી. પી. માં કશો ઉમેરો કરતા નથી.
ઊલટાનું, મૅકડોનાલ્ડ જેવા જંક ફૂડ સ્ટોર્સ ઓછામાં ઓછી ૩૦ રોજગારની તકો ઉભી કરે છે - ૧૦ કાર્ડિયોલોજીસ્ટ, ૧૦ ડેન્ટિસ્ટ, ૧૦ વજન ઉતારવાની ગેરન્ટી આપતા નિષ્ણાત અને પાછું આ સ્ટોર્સ માં કામ કરતા સ્ટાફના માણસો ની નોકરી તો અલગ!
હવે તમે જ કહો શું દેશના અર્થતંત્ર માટે વધારે મહત્વનું છે : સાઇકલિસ્ટ કે મૅકડોનાલ્ડ?
(ઇન્ટરનેટ પરથી)
Saturday, August 31, 2019
કષ્ટોનું મૂળ કારણ
એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું.
ત્યારે મહિલા બોલી, "હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો?" મહિલા બોલી, "હા, કહો મારે શું કરવાનું છે?"
પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી બે વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."
મહિલાએ કહ્યું, "વારુ, હું એ મુજબ કરીશ. "
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"
પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ઇશ્વર જ સર્વત્ર નજરે ચડશે. "
જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે?
ના ભગવાન
ના ગ્રહ - નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.
તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.
સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો...
(ઇન્ટરનેટ પરથી)
ત્યારે મહિલા બોલી, "હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી - ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો વધારે કરે છે.“
પૂજારીએ તેની વાત ધ્યાન થી સાંભળી કહ્યું, "ઠીક છે. પણ અંતિમ નિર્ણય લેતા પહેલા મારી એક વાત માનશો?" મહિલા બોલી, "હા, કહો મારે શું કરવાનું છે?"
પૂજારીએ કહ્યું," એક ગ્લાસ પાણી ભરી લો અને તે હાથમાં પકડી બે વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો. શરત એટલી કે ગ્લાસમાં થી બિલકુલ પાણી ઢોળાવું જોઈએ નહીં."
મહિલાએ કહ્યું, "વારુ, હું એ મુજબ કરીશ. "
પછી થોડી વારમાં મહિલાએ પૂજારીના કહ્યા પ્રમાણે કરી બતાવ્યું. પાછી ફરેલી મહિલાને પૂજારીએ ત્રણ સવાલ પૂછ્યા -
૧. શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયાં?
૨. શું તમે કોઈને મંદિરમાં ગુસપુસ કરતાં જોયાં?
૩. શું કોઈને પાખંડ કરતાં જોયાં?
મહિલા બોલી, "ના, મેં આમાંથી કંઈ નથી જોયું"
પૂજારી બોલ્યા, "જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રીત હતું જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, એથી તમને બીજું કંઈ દેખાયું નહીં.
હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો તો તમને આસપાસ નું કંઈ દેખાશે નહીં. માત્ર ઇશ્વર જ સર્વત્ર નજરે ચડશે. "
જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે?
ના ભગવાન
ના ગ્રહ - નક્ષત્રો
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો.
તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. આમાં ઇશ્વરનો કોઈ વાંક નથી. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.
સર્વે નું જીવન પ્રકાશમય અને શુભ બની રહો...
(ઇન્ટરનેટ પરથી)
Saturday, August 24, 2019
તંદુરસ્તી વિષયક ટિપ્સ
જો તમે ચાળીસની વય વટાવી ચૂક્યા હોવ તો આ તંદુરસ્તી વિષયક ટિપ્સ ધ્યાનમાં રાખો
૧. બે બાબત સતત ચકાસતા રહો :
- તમારું બ્લડપ્રેશર
- તમારી બ્લડશુગર
૨. છ વસ્તુઓ તમારા ખોરાકમાં બને એટલી ઘટાડી દો :
- મીઠું
- સાકર
- જાળવેલા /સંઘરેલા ખાદ્ય પદાર્થો
- લાલ માંસ (ખાસ કરીને શેકેલું)
- દુગ્ધ પદાર્થો
- કાંજીયુક્ત પદાર્થો
૩. ચાર વસ્તુઓ તમારા ખોરાકમાં વધારો :
- લીલા શાકભાજી
- ફળો
- વાલ વગેરે કઠોળ
- શીંગ દાણા
૪. ત્રણ વાતો ભૂલી જાઓ :
- તમારી વય
- તમારો ભૂતકાળ
- તમારી ફરિયાદો
૫. ચાર વસ્તુઓ તમે ગમે તેટલા મજબૂત કે ઢીલા હોવ, તમારી પાસે હોવી જ જોઈએ :
- મિત્રો જે તમને સાચા અર્થમાં ચાહતા હોય
- કાળજી કરતો પરિવાર
- હકારાત્મક વિચારો
- ઉષ્માભર્યું ઘર
૬. ચાર બાબતો જે તમારે તંદુરસ્ત રહેવા કરવાની જરૂર છે :
- ઉપવાસ
- હસતાં રહેવું
- ટ્રેક /કસરત
- વજન ઘટાડો
૭. છ બાબતો કરશો નહીં :
- તમને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં
- તમને તરસ ન લાગે ત્યાં સુધી પાણી પીવું નહીં
- તમને ઉંઘ ન આવે ત્યાં સુધી સૂવું નહીં
- તમને થાક ન લાગે ત્યાં સુધી આરામ કરવો નહીં
- માંદા ન પડો ત્યાં સુધી મેડિકલ ચેક અપ કરાવવું નહીં
- મુશ્કેલી આવે નહીં ત્યાં સુધી ભગવાન ને યાદ કરવા નહીં.
(ઇન્ટરનેટ પરથી)
૧. બે બાબત સતત ચકાસતા રહો :
- તમારું બ્લડપ્રેશર
- તમારી બ્લડશુગર
૨. છ વસ્તુઓ તમારા ખોરાકમાં બને એટલી ઘટાડી દો :
- મીઠું
- સાકર
- જાળવેલા /સંઘરેલા ખાદ્ય પદાર્થો
- લાલ માંસ (ખાસ કરીને શેકેલું)
- દુગ્ધ પદાર્થો
- કાંજીયુક્ત પદાર્થો
૩. ચાર વસ્તુઓ તમારા ખોરાકમાં વધારો :
- લીલા શાકભાજી
- ફળો
- વાલ વગેરે કઠોળ
- શીંગ દાણા
૪. ત્રણ વાતો ભૂલી જાઓ :
- તમારી વય
- તમારો ભૂતકાળ
- તમારી ફરિયાદો
૫. ચાર વસ્તુઓ તમે ગમે તેટલા મજબૂત કે ઢીલા હોવ, તમારી પાસે હોવી જ જોઈએ :
- મિત્રો જે તમને સાચા અર્થમાં ચાહતા હોય
- કાળજી કરતો પરિવાર
- હકારાત્મક વિચારો
- ઉષ્માભર્યું ઘર
૬. ચાર બાબતો જે તમારે તંદુરસ્ત રહેવા કરવાની જરૂર છે :
- ઉપવાસ
- હસતાં રહેવું
- ટ્રેક /કસરત
- વજન ઘટાડો
૭. છ બાબતો કરશો નહીં :
- તમને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં
- તમને તરસ ન લાગે ત્યાં સુધી પાણી પીવું નહીં
- તમને ઉંઘ ન આવે ત્યાં સુધી સૂવું નહીં
- તમને થાક ન લાગે ત્યાં સુધી આરામ કરવો નહીં
- માંદા ન પડો ત્યાં સુધી મેડિકલ ચેક અપ કરાવવું નહીં
- મુશ્કેલી આવે નહીં ત્યાં સુધી ભગવાન ને યાદ કરવા નહીં.
(ઇન્ટરનેટ પરથી)
સાસુ-વહુની એક લઘુકથા
"આ લો મમ્મી, ત્રણ હજાર... તમારી પાસે રાખો" નવી વહુએ નોકરી જતી વખતે સાસુને કહ્યું. સાસુની આંખોમાં પાણી આવી ગયા. તેમણે કહ્યું," આટલા બધા પૈસાનું મારે શું કરવું છે? “
“મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે. હું એક મહિનાથી જોઈ રહી છું. શાક વાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ તો વધુ પૈસા માંગે છે. તમારી પાસે આ રકમ ભલે રહી."
" અરે તારા સસરાજીનું પેન્શન આવે છે ને. એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માંગ્યે દર મહિને આપી દે છે!" સાસુએ હસીને કહ્યું.
" મમ્મી, તમે કિટી પાર્ટી જોઈન કરી લો. તેમની સાથે ફિલ્મ, ભેલ પાર્ટી, નાટક વગેરે માણો. તમારી જિંદગી જીવો. આમણે મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે. મોટા ભાઈ અમેરીકા છે, દીદી પોતાને સાસરે ખુશ છે. હવે તમે નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો. હવે તમે તમારા માટે જીવો. "
" આટલી નાની ઉંમર માં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી વ્હાલી દીકરી?! “
“હું દસ બાર વર્ષ ની હોઈશ. એક વાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા. મારી મમ્મીએ છસ્સો રૂપિયા કાઢી તેમના હાથમાં મૂક્યા અને બોલી બચ્ચાઓ ને બહાર ફરવા લઈ જજો. નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો - પીવડાવજો, રમકડાં અપાવજો. દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા! તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારેય ખર્ચ કર્યા નહોતા! એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ! "
“ હવે મારો વારો છે તમારી સખી બનવાનો! મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી. કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને. કેટલી ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડયું હશે તમારે. આ સિવાય, દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે. તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી. મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ "
" હવે તને ઓફીસ જવાનું મોડું થશે, તું નીકળ." " મને બોલવા દો મમ્મી. આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી મા એ કહ્યું હતું કે ૧૮ કલાક કામના ઢસરડા કરનાર મહિલા ને કોઈ સમજતું નથી. પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે. પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ. "
સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હ્રદયથી વહુના ગાલે હાથ ફેરવ્યાં. અને પછી તે વહુ આંખો સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા. તેમણે મનોમન કહ્યું," મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ,પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું વહુ દીકરી!"
બધી સાસુ - વહુ વચ્ચે આવા સંબંધ પાંગરે તો કેટલું સારું!
(ઇન્ટરનેટ પરથી)
“મમ્મી, આખો દિવસ કેટલી બધી વસ્તુઓ માટે પૈસાની જરૂર પડતી હોય છે. હું એક મહિનાથી જોઈ રહી છું. શાક વાળો, ફળવાળો અને ક્યારેક કામવાળી પણ તો વધુ પૈસા માંગે છે. તમારી પાસે આ રકમ ભલે રહી."
" અરે તારા સસરાજીનું પેન્શન આવે છે ને. એ હતા ત્યારે તેમની પાસે માંગતી હતી, હવે સરકાર વગર માંગ્યે દર મહિને આપી દે છે!" સાસુએ હસીને કહ્યું.
" મમ્મી, તમે કિટી પાર્ટી જોઈન કરી લો. તેમની સાથે ફિલ્મ, ભેલ પાર્ટી, નાટક વગેરે માણો. તમારી જિંદગી જીવો. આમણે મને કહ્યું કે તમે કેટલી તકલીફ વેઠીને ઘર ચલાવ્યું છે. મોટા ભાઈ અમેરીકા છે, દીદી પોતાને સાસરે ખુશ છે. હવે તમે નવું જીવન શરૂ કરો. મને ખબર છે તમે અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ મનમાં દાબી દાબીને જીવ્યા છો. હવે તમે તમારા માટે જીવો. "
" આટલી નાની ઉંમર માં આવડી મોટી મોટી વાતો તને કોણે શીખવી વ્હાલી દીકરી?! “
“હું દસ બાર વર્ષ ની હોઈશ. એક વાર મારા દાદી મારા ફોઈને ત્યાં જઈ રહ્યા હતા. મારી મમ્મીએ છસ્સો રૂપિયા કાઢી તેમના હાથમાં મૂક્યા અને બોલી બચ્ચાઓ ને બહાર ફરવા લઈ જજો. નાની વતી એટલે કે તમારા તરફથી તેમને ખવડાવજો - પીવડાવજો, રમકડાં અપાવજો. દાદી મમ્મીને ગળે વળગી રોઈ પડ્યા હતા! તેમણે કહેલું આટલા પૈસા તેમણે ક્યારેય ખર્ચ કર્યા નહોતા! એ દિવસ પછી મમ્મી અને દાદી ઘણી સારી સખીઓ બની ગઈ! "
“ હવે મારો વારો છે તમારી સખી બનવાનો! મને ખબર છે ઘર સંભાળવા તમારે તમારી નોકરી છોડવી પડી હતી. કેટલું ખરાબ લાગ્યું હશે ત્યારે તમને. કેટલી ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓનું ગળું દાબી દેવું પડયું હશે તમારે. આ સિવાય, દરેક નાની મોટી વાતે પતિ સામે હાથ લંબાવવો પડ્યો હશે તમારે. તમારું પેન્શન તમારી પાસે જ જમા કરો મમ્મી. મને ક્યારેક જરૂર પડી તો હું માંગીશ "
" હવે તને ઓફીસ જવાનું મોડું થશે, તું નીકળ." " મને બોલવા દો મમ્મી. આ હું મારી ખુશી માટે કરી રહી છું. મારી મા એ કહ્યું હતું કે ૧૮ કલાક કામના ઢસરડા કરનાર મહિલા ને કોઈ સમજતું નથી. પણ તું તારી સાસુમાનું ધ્યાન રાખજે. પ્રેમ વાવીશ તો પ્રેમ પામીશ. "
સાસુએ ભર્યા મનથી અને પ્રેમ ભર્યા હ્રદયથી વહુના ગાલે હાથ ફેરવ્યાં. અને પછી તે વહુ આંખો સામેથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તેને જતી જોઈ રહ્યા. તેમણે મનોમન કહ્યું," મેં વિચાર્યું હતું કે નોકરી કરતી વહુ ઘરમાં આવશે પછી હું ચાર દિવાલો વચ્ચે પુરાઈ જઈશ,પણ તે તો મને બહારનું આકાશ દેખાડ્યું વહુ દીકરી!"
બધી સાસુ - વહુ વચ્ચે આવા સંબંધ પાંગરે તો કેટલું સારું!
(ઇન્ટરનેટ પરથી)
Wednesday, August 14, 2019
'જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી
[પત્રકાર ડૉ કેયુર જાનીએ કવર કરેલી હજારો સ્ટોરીઝમાંથી જે તેમના હૃદયની સૌથી નજીક છે તેવી સ્ટોરીઝ પૈકીની એક સત્ય ઘટના ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને મને પણ એ એટલી બધી સ્પર્શી ગઈ કે અહીં શેર કર્યા વગર ના રહી શક્યો.]
ફેબ્રુઆરી 2007નો સમયગાળો. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમેલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી.
વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા.
ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિષ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમઝ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યુંકે તેઓનો દેહાંત થઇ ચુક્યો છે. વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો.
રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી જ્યાં કોઈ તેની ભાષા સમઝતું ના હતું કે તે કોઈની ભાષા સમઝતી ના હતી.
દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ હતું કે ઘર થી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું? સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા.
તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંને માંથી કાંઈજ કોઈ પણ રીતે શક્ય નહતું, છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા.
તેઓ વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નાઇ થઇ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળ માં રાતે અગ્યાર વાગે ફોન ઘુમાવવાના શરુ કર્યા.
લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નમ્બર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમ્યાનમાં રાતના એક વાગી ગયો હતો.
પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર કોલથી ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ.. સંપર્ક તૂટી ગયો.
અશોકભાઈએ રાતે એક બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગીતો કોઈક કિશોરી એ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરી એ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નાઇજ રહે છે. અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચ માં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.
અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવ માં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી.. તારી દીકરી નું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.
વંદનાએ નામઅને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી.
છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇ અને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી.
અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી. અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નાઇમાંજ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો.
સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાન માં એક એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. આંઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાન માં ભેગા થઇ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઇ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇ માં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામ નો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂત માં વિલીન કર્યો.
વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇ થી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજી ને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો.
વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ પોતાના પિયર અને સાગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નાઇ થી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇ ને આવવાનું ના ભૂલી.
એટલેજ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...
(ઇન્ટરનેટ પરથી)
ફેબ્રુઆરી 2007નો સમયગાળો. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર, જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમેલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી.
વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા.
ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિષ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમઝ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યુંકે તેઓનો દેહાંત થઇ ચુક્યો છે. વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો.
રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી જ્યાં કોઈ તેની ભાષા સમઝતું ના હતું કે તે કોઈની ભાષા સમઝતી ના હતી.
દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ હતું કે ઘર થી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું? સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા.
તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંને માંથી કાંઈજ કોઈ પણ રીતે શક્ય નહતું, છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા.
તેઓ વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નાઇ થઇ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળ માં રાતે અગ્યાર વાગે ફોન ઘુમાવવાના શરુ કર્યા.
લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નમ્બર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમ્યાનમાં રાતના એક વાગી ગયો હતો.
પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર કોલથી ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ.. સંપર્ક તૂટી ગયો.
અશોકભાઈએ રાતે એક બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગીતો કોઈક કિશોરી એ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરી એ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નાઇજ રહે છે. અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચ માં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.
અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવ માં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી.. તારી દીકરી નું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.
વંદનાએ નામઅને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી.
છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇ અને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી.
અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી. અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નાઇમાંજ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો.
સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાન માં એક એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. આંઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાન માં ભેગા થઇ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઇ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇ માં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામ નો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂત માં વિલીન કર્યો.
વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇ થી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજી ને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો.
વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ પોતાના પિયર અને સાગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નાઇ થી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇ ને આવવાનું ના ભૂલી.
એટલેજ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...
(ઇન્ટરનેટ પરથી)
Monday, August 5, 2019
દરેક બાબત કંઈક શીખવે છે
જે કંઈ તમને હેરાન - પરેશાન કરે છે તે તમને ધીરજ રાખતા અને શાંત રહેતા શીખવે છે.
જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે.
જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે.
જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે.
જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે.
જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.
જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે.
જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે.
જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે.
જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે.
જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.
જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.
(ઇન્ટરનેટ પરથી)
જે કોઈ તમને તરછોડી દે છે તે તમને તમારા પોતાના પગ પર ઉભા રહેતા શીખવે છે.
જે કંઈ તમને ઉશ્કેરે કે દુભવે છે તે તમને ક્ષમા અને ઉદારતાના પાઠ શીખવે છે.
જે કંઈ તમારા પર હાવી થઈ જાય છે તે તમને નિયંત્રણ રાખતા શીખવે છે.
જે કંઈ તમને ધિક્કારે તે તમને બિન-શરતી પ્રેમ કરતા શીખવે છે.
જે કંઈ તમને ડરાવે તે તમને તમારા ગર્ભિત ભય પર વિજય મેળવવા હિંમત રાખતા શીખવે છે.
જે કંઈ તમે કાબૂમાં ન કરી શકો તે તમને જતું કરતા શીખવે છે.
જે કંઈ તમને અન્યો પાસેથી મળતું નથી તે તમને સ્વતંત્ર થતા શીખવે છે.
જે કંઈ તમને પ્રશ્ન રૂપે સતાવે તે તમને તેનો ઉકેલ શોધતા શીખવે છે.
જે કંઈ તમારા પર હુમલા સ્વરૂપે આવે તે તમને સામનો કે પ્રતિકાર કરતા શીખવે છે.
જે કંઈ તમને જાકારો આપે કે નીચા દેખાડે તે તમને ઉંચી નજર રાખતા, ઇશ્વર તરફ જોતા શીખવે છે.
જીવનના દરેક તબક્કે ગમે તે પરિસ્થિતીમાં હંમેશા કોઈક ને કોઈક પાઠ છૂપાયેલો છે તે શીખો. આમ કરવાથી જીવન ધોરણ ચોક્કસ સુધરશે.
(ઇન્ટરનેટ પરથી)
Monday, July 29, 2019
દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી
એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ રસ્તે ચાલી પોતાના ઘેર જઈ રહ્યો હતો. માર્ગમાં એક પુલ આવ્યો અને તેણે સામેથી એક કાદવથી ખરડાયેલા ગંદા-ગોબરા ભૂંડને આવતા જોયું. હાથીએ શાંતિથી એક બાજુ ખસી જઈ ભૂંડને પસાર થઈ જવા દીધું. પછી તે પોતે પુલ પરથી પસાર થયો અને તેણે આગળ ચાલવા માંડ્યું.
પેલી બાજુ ભૂંડે પોતાના મિત્રો આગળ શેખી વઘારતા અહંકારપૂર્વક કહ્યું, "જોયું હું કેટલો તાકાતવાન અને મહાન છું? હાથી જેવા હાથીએ પણ બાજુમાં ખસી જઈ મને માર્ગ કરી આપ્યો!"
આ વાત એક બીજા હાથીએ સાંભળી લીધી અને તેણે પેલા પહેલા હાથીને પ્રશ્ન કર્યો કે શું ખરેખર તેણે ભૂંડથી ડરી જઈ તેને માર્ગ કરી આપ્યો હતો? પહેલા હાથીએ જવાબ આપ્યો, "હું ઇચ્છત તો એ તુચ્છ ભૂંડને એક ક્ષણમાં મારા પગ નીચે કચડી નાંખી શકત પણ હું સ્વચ્છ હતો અને તે મહા ગંદો - કાદવકીચડથી ખરડાયેલો. તેને કચડવામાં મારો પગ ખરાબ થાત અને એ મને મંજૂર નહોતું. આથી હું બાજુ પર ખસી ગયો હતો."
વાર્તાનો સાર : મહાન લોકો નકારાત્મકતાનો સહેલાઈથી નાશ કરી શકવા સમર્થ હોય છે પણ તેઓ તેને એટલા માટે ટાળે છે જેથી તેના સંપર્કમાં આવી તેમણે મલિન ન થવું પડે. તમારે દરેક અભિપ્રાય, ટીપ્પણી કે પરિસ્થિતી સામે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. અડચણ સામે આંખ આડા કાન કરી આગળ વધતા રહો. તમારી લડાઈઓ ધ્યાનપૂર્વક પસંદ કરો. દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી.
(ઇન્ટરનેટ પરથી)
પેલી બાજુ ભૂંડે પોતાના મિત્રો આગળ શેખી વઘારતા અહંકારપૂર્વક કહ્યું, "જોયું હું કેટલો તાકાતવાન અને મહાન છું? હાથી જેવા હાથીએ પણ બાજુમાં ખસી જઈ મને માર્ગ કરી આપ્યો!"
આ વાત એક બીજા હાથીએ સાંભળી લીધી અને તેણે પેલા પહેલા હાથીને પ્રશ્ન કર્યો કે શું ખરેખર તેણે ભૂંડથી ડરી જઈ તેને માર્ગ કરી આપ્યો હતો? પહેલા હાથીએ જવાબ આપ્યો, "હું ઇચ્છત તો એ તુચ્છ ભૂંડને એક ક્ષણમાં મારા પગ નીચે કચડી નાંખી શકત પણ હું સ્વચ્છ હતો અને તે મહા ગંદો - કાદવકીચડથી ખરડાયેલો. તેને કચડવામાં મારો પગ ખરાબ થાત અને એ મને મંજૂર નહોતું. આથી હું બાજુ પર ખસી ગયો હતો."
વાર્તાનો સાર : મહાન લોકો નકારાત્મકતાનો સહેલાઈથી નાશ કરી શકવા સમર્થ હોય છે પણ તેઓ તેને એટલા માટે ટાળે છે જેથી તેના સંપર્કમાં આવી તેમણે મલિન ન થવું પડે. તમારે દરેક અભિપ્રાય, ટીપ્પણી કે પરિસ્થિતી સામે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. અડચણ સામે આંખ આડા કાન કરી આગળ વધતા રહો. તમારી લડાઈઓ ધ્યાનપૂર્વક પસંદ કરો. દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી.
(ઇન્ટરનેટ પરથી)
Saturday, July 20, 2019
દીકરીનો એની મમ્મીને પત્ર
મૂળ લેખક કે લેખિકાની જાણ નથી પરંતુ ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલો
દરેક દીકરીની આંખમાં કરુણાના અશ્રુ લાવે એવો એક બહુ જ સરસ પત્ર, એક દીકરીનો એની મમ્મીને...
== === === === === === === === ==
પ્રિય મમ્મી,
૮ જી.બી. ની પેન ડ્રાઇવમાં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડરમાં નાંખીને અહીં સાસરે લઇ આવી હોત.
પણ, મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો અને એટલે જ એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી તો બીજી વસ્તુઓ તો ક્યાંથી મળે ?
તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, અલાર્મ મુકવું પડે છે.
આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.
આંસુઓને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે ઇન્ટેલીજન્ટ થઇ ગઈ છે.
મમ્મી, જયારે પણ વાહન ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે ધીમે ચલાવ.
ધીમે ચલાવ એવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે ફાસ્ટ ચલાવવાની મજા નથી આવતી.
મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ યુ-ટર્ન આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.
લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના રેર-વ્યૂ મિરર માં લખેલું હતું કે
OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR.
બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.
મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે.
એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું.
કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે.
પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ.
કારણ કે , મારું DESTINATION તો તું જ છે, .....
મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.
મારું વિશ્વ તારાથી જ શરૂ થઈ તારામાં જ વિલય પામે છે.
મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.
કારણ કે, મારી દુનિયા તો તું છે.
લી :- મમ્મીની વ્હાલી દિકરી.
દરેક દીકરીની આંખમાં કરુણાના અશ્રુ લાવે એવો એક બહુ જ સરસ પત્ર, એક દીકરીનો એની મમ્મીને...
== === === === === === === === ==
પ્રિય મમ્મી,
૮ જી.બી. ની પેન ડ્રાઇવમાં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડરમાં નાંખીને અહીં સાસરે લઇ આવી હોત.
પણ, મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો અને એટલે જ એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી તો બીજી વસ્તુઓ તો ક્યાંથી મળે ?
તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, અલાર્મ મુકવું પડે છે.
આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.
આંસુઓને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે ઇન્ટેલીજન્ટ થઇ ગઈ છે.
મમ્મી, જયારે પણ વાહન ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે ધીમે ચલાવ.
ધીમે ચલાવ એવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે ફાસ્ટ ચલાવવાની મજા નથી આવતી.
મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ યુ-ટર્ન આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.
લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના રેર-વ્યૂ મિરર માં લખેલું હતું કે
OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR.
બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.
મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે.
એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું.
કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે.
પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ.
કારણ કે , મારું DESTINATION તો તું જ છે, .....
મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.
મારું વિશ્વ તારાથી જ શરૂ થઈ તારામાં જ વિલય પામે છે.
મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.
કારણ કે, મારી દુનિયા તો તું છે.
લી :- મમ્મીની વ્હાલી દિકરી.
(ઇન્ટરનેટ પરથી)
Sunday, July 14, 2019
જીવન જીવવાની ફોર્મ્યુલા
એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :
# હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.
# હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત? આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે?
#હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને? આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય! આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.
જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ.
(ઇન્ટરનેટ પરથી)
# હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.
# હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર - માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું - એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત? આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ - પોતા કરવા પડે છે, બારી - દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે?
#હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને? આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય! આ ઈશ્વરની કૃપા છે.
#હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.
જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ - શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ.
(ઇન્ટરનેટ પરથી)
Monday, July 8, 2019
શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો
મહાભારતના યુદ્ધ પછી...
૧૮ દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમર ૮૦ વર્ષ જેવી કરી નાંખી હતી, શારીરીક અને માનસિક બંને રીતે. શહેરમાં ચારે તરફ વિધવાઓના આક્રંદ ગૂંજી રહ્યાં હતાં. પુરુષો નજરે ચડવા બચ્યા જ નહોતા. અનાથ બાળકો આમતેમ ભટકતા નજરે ચડી રહ્યાં હતાં અને એ બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં નિશ્ચેષ્ટ બેઠી શૂન્યને તાકી રહી હતી.
ત્યારે જ શ્રી કૃષ્ણ કક્ષમાં દાખલ થયા.
દ્રૌપદી કૃષ્ણને જોતા જ દોડતી તેમને વીંટળાઈ ગઈ. કૃષ્ણે તેના માથે હેતપૂર્વક હાથ ફેરવતા તેને રડવા દીધી. થોડી વાર બાદ તેને અળગી કરી પાસેના પલંગ પર બેસાડી.
દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું.
કૃષ્ણ : નિયતિ અતિ ક્રૂર હોય છે પાંચાલી. એ આપણા ધાર્યા મુજબ નથી વર્તતી. આપણા કર્મોને એ પરિણામોમાં બદલી નાંખે છે. તું બદલો લેવા ઇચ્છતી હતી અને એમાં તું સફળ થઈ દ્રૌપદી. તારો બદલો પૂરો થયો, માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં પરંતુ બધાં જ કૌરવો ખતમ થઈ ગયાં. તારે તો પ્રસન્ન થવું જોઈએ.
દ્રૌપદી : સખા, તમે મારા જખમો રૂઝવવા આવ્યા છો કે તેના પર મીઠું ભભરાવવા?
કૃષ્ણ : ના દ્રૌપદી, હું તો તને વાસ્તવિકતાથી અવગત કરાવવા માટે આવ્યો છું. આપણાં કર્મોના પરિણામ આપણે દૂર સુધી જોઈ શકતા નથી અને તે જ્યારે આપણી સમક્ષ હોય છે ત્યારે આપણાં હાથમાં કંઈ બચ્યું હોતું નથી.
દ્રૌપદી : તો શું આ યુદ્ધ માટે પૂરેપૂરી હું જ જવાબદાર છું કૃષ્ણ?
કૃષ્ણ : ના દ્રૌપદી. તું પોતાને એટલું બધું મહત્વ ન આપ. પણ જો તે પોતાના કર્મોમાં થોડું દૂરંદેશીપણું રાખ્યું હોત તો તું આટલા કષ્ટો ન ભોગવતી હોત.
દ્રૌપદી : હું શું કરી શકતી હતી કૃષ્ણ?
કૃષ્ણ : જ્યારે તારું સ્વયંવર યોજાયું ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને પ્રતિયોગીતામાં ભાગ લેવા દીધો હોત તો કદાચ આજે તેનું પરિણામ કંઈક જુદું જ હોત.
ત્યારબાદ જ્યારે કુંતી માતાએ તને પાંચ પતિ ની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે એ તે ન સ્વીકાર્યો હોત તો પણ તેનું પરિણામ કંઈક નોખું હોત. પછી તે તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો તારું વસ્ત્રાહરણ ન થાત. તો પણ કદાચ પરિસ્થિતી કંઈક જુદી હોત.
આપણાં શબ્દો પણ આપણાં કર્મો જ છે. આપણે દરેક શબ્દ બોલતા પહેલા તેને તોળવો જરૂરી છે અન્યથા તેનું દુષ્પરિણામ ફક્ત આપણે પોતે જ નહીં, પરંતુ આપણી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા અનેકને દુખી કરે છે.આ સંસારમાં મનુષ્ય એક માત્ર પ્રાણી છે જેનું ઝેર તેના દાંતોમાં નહીં પણ શબ્દોમાં રહેલું હોય છે. આથી જ શબ્દોનો ઉપયોગ અતિ સમજી વિચારીને કરો. એવા જ શબ્દો બોલો જેનાથી કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે.
(ઇન્ટરનેટ પરથી)
૧૮ દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમર ૮૦ વર્ષ જેવી કરી નાંખી હતી, શારીરીક અને માનસિક બંને રીતે. શહેરમાં ચારે તરફ વિધવાઓના આક્રંદ ગૂંજી રહ્યાં હતાં. પુરુષો નજરે ચડવા બચ્યા જ નહોતા. અનાથ બાળકો આમતેમ ભટકતા નજરે ચડી રહ્યાં હતાં અને એ બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં નિશ્ચેષ્ટ બેઠી શૂન્યને તાકી રહી હતી.
ત્યારે જ શ્રી કૃષ્ણ કક્ષમાં દાખલ થયા.
દ્રૌપદી કૃષ્ણને જોતા જ દોડતી તેમને વીંટળાઈ ગઈ. કૃષ્ણે તેના માથે હેતપૂર્વક હાથ ફેરવતા તેને રડવા દીધી. થોડી વાર બાદ તેને અળગી કરી પાસેના પલંગ પર બેસાડી.
દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું.
કૃષ્ણ : નિયતિ અતિ ક્રૂર હોય છે પાંચાલી. એ આપણા ધાર્યા મુજબ નથી વર્તતી. આપણા કર્મોને એ પરિણામોમાં બદલી નાંખે છે. તું બદલો લેવા ઇચ્છતી હતી અને એમાં તું સફળ થઈ દ્રૌપદી. તારો બદલો પૂરો થયો, માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં પરંતુ બધાં જ કૌરવો ખતમ થઈ ગયાં. તારે તો પ્રસન્ન થવું જોઈએ.
દ્રૌપદી : સખા, તમે મારા જખમો રૂઝવવા આવ્યા છો કે તેના પર મીઠું ભભરાવવા?
કૃષ્ણ : ના દ્રૌપદી, હું તો તને વાસ્તવિકતાથી અવગત કરાવવા માટે આવ્યો છું. આપણાં કર્મોના પરિણામ આપણે દૂર સુધી જોઈ શકતા નથી અને તે જ્યારે આપણી સમક્ષ હોય છે ત્યારે આપણાં હાથમાં કંઈ બચ્યું હોતું નથી.
દ્રૌપદી : તો શું આ યુદ્ધ માટે પૂરેપૂરી હું જ જવાબદાર છું કૃષ્ણ?
કૃષ્ણ : ના દ્રૌપદી. તું પોતાને એટલું બધું મહત્વ ન આપ. પણ જો તે પોતાના કર્મોમાં થોડું દૂરંદેશીપણું રાખ્યું હોત તો તું આટલા કષ્ટો ન ભોગવતી હોત.
દ્રૌપદી : હું શું કરી શકતી હતી કૃષ્ણ?
કૃષ્ણ : જ્યારે તારું સ્વયંવર યોજાયું ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને પ્રતિયોગીતામાં ભાગ લેવા દીધો હોત તો કદાચ આજે તેનું પરિણામ કંઈક જુદું જ હોત.
ત્યારબાદ જ્યારે કુંતી માતાએ તને પાંચ પતિ ની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે એ તે ન સ્વીકાર્યો હોત તો પણ તેનું પરિણામ કંઈક નોખું હોત. પછી તે તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો તારું વસ્ત્રાહરણ ન થાત. તો પણ કદાચ પરિસ્થિતી કંઈક જુદી હોત.
આપણાં શબ્દો પણ આપણાં કર્મો જ છે. આપણે દરેક શબ્દ બોલતા પહેલા તેને તોળવો જરૂરી છે અન્યથા તેનું દુષ્પરિણામ ફક્ત આપણે પોતે જ નહીં, પરંતુ આપણી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા અનેકને દુખી કરે છે.આ સંસારમાં મનુષ્ય એક માત્ર પ્રાણી છે જેનું ઝેર તેના દાંતોમાં નહીં પણ શબ્દોમાં રહેલું હોય છે. આથી જ શબ્દોનો ઉપયોગ અતિ સમજી વિચારીને કરો. એવા જ શબ્દો બોલો જેનાથી કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે.
(ઇન્ટરનેટ પરથી)
Wednesday, July 3, 2019
કર્મનો બદલો
અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો.ડોક્ટર સાહેબે તાત્કાલિક ICU માં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી.
સ્ટાફને કહ્યું આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇએ.રૂપિયાની લેવડદેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં.
પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું.ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને જણાવ્યું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી.
એકાઉન્ટ મેનેજર બોલ્યા, "સાહેબ, ત્રણ લાખ બિલની રકમ થાય છે.આ તમારી જાણ ખાતર.."
ડોક્ટર બોલ્યા, "દસ લાખ કેમ નથી થતા?
એ દર્દી ને મારી ચેમ્બરમાં લાવો.તમે પણ સાથે આવજો."
દર્દીને વ્હીલચેરમાં અંદર લાવવામાં આવ્યો.
"ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે?"
ડોક્ટર સાહેબ દર્દીના માથે હાથ ફેરવી બોલ્યા.
"હા..આપને જોયા હોય તેવું તો લાગે છે..." દર્દી બોલ્યો.
"ત્રણ વર્ષ પહેલાં મારો પરિવાર પીકનીક ઉપરથી પાછો વળતો હતો, ત્યાં અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારને બાજુ ઉપર ઉભી કરી. થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ જ ના થાય.
એકાંત રસ્તો હતો, કોઈ અવર જવર નહીં.સૂર્ય આથમવાની તૈયારીમાં. મારા પરિવારના દરેક સદસ્યના ચહેરા પર ચિંતા હતી.પત્ની, યુવાન દીકરી અને પુત્ર, સૌ ભગવાનને પ્રાર્થના કરતા હતાં. થોડા સમયમાં ચમત્કાર થયો.કોઈ મેલાઘેલાં કપડાંવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો.અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો.
એ તું જ હતો ને?
તે ઉભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું. પછી તું કાર પાસે ગયો. કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો. અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું.પરિવાર સાથે આવી એકાંત જગ્યા એ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
દસ મિનિટની મહેનત પછી તેં અમારી કાર ચાલુ કરી દીધી.અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો.
મેં પાકીટ ખોલી કહ્યું હતું, "ભાઈ, પ્રથમ તારો આભાર. ઘણી વખત રૂપિયા કરતા સમય ની કિંમત વધુ હોય છે. તે અમારા મુશ્કેલી ના સમયમાં મદદ કરી છે.તેની કિંમત
હું રૂપિયાથી આંકી શકું તેમ નથી, છતાં પણ તેં મહેનત કરી છે તો તેના વળતરનો તું હકદાર છે.
કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે ?"
તેં એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતાં એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયાં.
તે કહ્યું હતું, "મારો નિયમ અને સિદ્ધાંત છે, મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે."
"એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો હું કેમ નહીં...?" મેં મારા અંતરઆત્માને સવાલ કર્યો.
તે કહ્યું હતું," અહીં થી દસ કિલોમીટર દૂર મારૂં ગેરેજ આવેલું છે.આપની કાર ની પાછળ હું બાઇક ચલાવુ છું.કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું."
માણસાઈ હજી મરી પરવારી નથી એ તે પૂરવાર કર્યું.
"દોસ્ત,એ વાત ને ત્રણ વર્ષ થવા આવ્યા.
હું તને કે તારા શબ્દો ને હજુ નથી ભૂલ્યો.ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે કારણ સિદ્ધાંતથી ચાલુ છું.મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે. એક વાત ની ખાતરી થઈ ગઇ કે દિલ તો મોટા, નાની વ્યક્તિઓના જ હોય છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો સોદો અમારી સાથે કરી શક્યો હોત, પણ તેં એવું ના કર્યું.પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના પ્રલોભન વગર.
આ હોસ્પિટલ મારી છે.તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે.તારી પાસે રૂપિયા ના લેવાય."
"સાહેબ, ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો તો ખરા જ", પ્રવીણ બોલ્યો.
"મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતા આપ્યા કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી કે
"હે પ્રભુ, આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ. આજે ત્રણ વર્ષ પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. આને ફક્ત કુદરતી સંકેત જ સમજ. દોસ્ત, તારા શબ્દો જ તું યાદ કર - મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે.“
એકાઉન્ટ મેનેજર ડોકટર સાહેબ સામે જોતો રહ્યો.
ડોક્ટરે કહ્યું, "પ્રવીણ કોઈ પણ તકલીફ પડે તો અહીં આવી મને મળી લેજે."
એકાઉન્ટ મેનેજર ના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા." સુધરવા માટે આશ્રમ કે ગુરુ ની જરૂર નથી હોતી. કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્મા ને જગાડી જતો રહે છે."
પ્રવીણ ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો, "કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું
હિસાબ નથી રાખતો? હા...સમય કદાચ લાગતો હશે, પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કસ!"
"કોઈનું બાકી રાખતો નથી ગિરધારી
વ્યાજ સાથે પાછું આપે છે મુરારી "
ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે. એ જયારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડી ને આપે છે અને જયારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે.
યાદ રાખો - સમય ફક્ત ચહેરો યાદ રાખે છે.
ભગવાન કહે છે હું એક સમયે તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે.
(ઇન્ટરનેટ પરથી)
સ્ટાફને કહ્યું આ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇએ.રૂપિયાની લેવડદેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં.
પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું.ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને જણાવ્યું એક રૂપિયો પણ આ વ્યક્તિ પાસેથી લેવાનો નથી.
એકાઉન્ટ મેનેજર બોલ્યા, "સાહેબ, ત્રણ લાખ બિલની રકમ થાય છે.આ તમારી જાણ ખાતર.."
ડોક્ટર બોલ્યા, "દસ લાખ કેમ નથી થતા?
એ દર્દી ને મારી ચેમ્બરમાં લાવો.તમે પણ સાથે આવજો."
દર્દીને વ્હીલચેરમાં અંદર લાવવામાં આવ્યો.
"ભાઈ પ્રવીણ ઓળખાણ પડે છે?"
ડોક્ટર સાહેબ દર્દીના માથે હાથ ફેરવી બોલ્યા.
"હા..આપને જોયા હોય તેવું તો લાગે છે..." દર્દી બોલ્યો.
"ત્રણ વર્ષ પહેલાં મારો પરિવાર પીકનીક ઉપરથી પાછો વળતો હતો, ત્યાં અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. કારને બાજુ ઉપર ઉભી કરી. થોડી વાર સુધી અમે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ જ ના થાય.
એકાંત રસ્તો હતો, કોઈ અવર જવર નહીં.સૂર્ય આથમવાની તૈયારીમાં. મારા પરિવારના દરેક સદસ્યના ચહેરા પર ચિંતા હતી.પત્ની, યુવાન દીકરી અને પુત્ર, સૌ ભગવાનને પ્રાર્થના કરતા હતાં. થોડા સમયમાં ચમત્કાર થયો.કોઈ મેલાઘેલાં કપડાંવાળો યુવાન બાઇક ઉપર નીકળ્યો.અમે બધાએ દયાની નજરથી હાથ ઊંચો કર્યો હતો.
એ તું જ હતો ને?
તે ઉભા રહી અમારી મુશ્કેલીનું કારણ પૂછ્યું. પછી તું કાર પાસે ગયો. કારનું બોનેટ ખોલી ચેક કરવા લાગ્યો. અમારા પરિવાર માટે તો ભગવાને મદદ કરવા તને મોકલ્યો હોય તેવું લાગ્યું કારણ કે અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું.પરિવાર સાથે આવી એકાંત જગ્યા એ રાત કાઢવી મુશ્કેલ અને જોખમી પણ હતું.
દસ મિનિટની મહેનત પછી તેં અમારી કાર ચાલુ કરી દીધી.અમારા બધાના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો.
મેં પાકીટ ખોલી કહ્યું હતું, "ભાઈ, પ્રથમ તારો આભાર. ઘણી વખત રૂપિયા કરતા સમય ની કિંમત વધુ હોય છે. તે અમારા મુશ્કેલી ના સમયમાં મદદ કરી છે.તેની કિંમત
હું રૂપિયાથી આંકી શકું તેમ નથી, છતાં પણ તેં મહેનત કરી છે તો તેના વળતરનો તું હકદાર છે.
કેટલા રૂપિયા મારે તને આપવાના થાય છે ?"
તેં એ વખતે મને હાથ જોડીને જે શબ્દો કહ્યા હતાં એ મારી જિંદગીનો સિદ્ધાંત બની ગયાં.
તે કહ્યું હતું, "મારો નિયમ અને સિદ્ધાંત છે, મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે."
"એક ગરીબ અને મહેનતુ વ્યક્તિ જો પોતાના સિદ્ધાંત થી ચાલી શકતો હોય તો હું કેમ નહીં...?" મેં મારા અંતરઆત્માને સવાલ કર્યો.
તે કહ્યું હતું," અહીં થી દસ કિલોમીટર દૂર મારૂં ગેરેજ આવેલું છે.આપની કાર ની પાછળ હું બાઇક ચલાવુ છું.કોઈ તકલીફ પડે તો હું પાછળ જ છું."
માણસાઈ હજી મરી પરવારી નથી એ તે પૂરવાર કર્યું.
"દોસ્ત,એ વાત ને ત્રણ વર્ષ થવા આવ્યા.
હું તને કે તારા શબ્દો ને હજુ નથી ભૂલ્યો.ભગવાન મારી અપેક્ષા કરતા વધારે આપી રહ્યો છે કારણ સિદ્ધાંતથી ચાલુ છું.મારી રોયલ્ટી ફક્ત માણસાઈ છે. એક વાત ની ખાતરી થઈ ગઇ કે દિલ તો મોટા, નાની વ્યક્તિઓના જ હોય છે. એ સમયે અમારી તકલીફ જોઈ તું તારી મરજી મુજબ રૂપિયાનો સોદો અમારી સાથે કરી શક્યો હોત, પણ તેં એવું ના કર્યું.પ્રથમ કાર ચાલુ કરી એ પણ કોઈ પણ પ્રકાર ના પ્રલોભન વગર.
આ હોસ્પિટલ મારી છે.તું અહીંનો મહેમાન થઈ આવ્યો છે.તારી પાસે રૂપિયા ના લેવાય."
"સાહેબ, ડિસ્કાઉન્ટ સાથે પણ લ્યો તો ખરા જ", પ્રવીણ બોલ્યો.
"મેં મારી ઓળખ કે કાર્ડ એ વખતે તને નહોતા આપ્યા કારણ કે તારા શબ્દો એ મારા અંતર આત્માને જગાડી દીધો હતો. મેં ફક્ત ભગવાન ને એટલી પ્રાર્થના એ વખતે કરી હતી કે
"હે પ્રભુ, આ વ્યક્તિનું ઋણ ઉતારવાનો મોકો મને આપીશ તો હું મારી જાત ને ધન્ય ગણીશ. આજે ત્રણ વર્ષ પછી ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે. આને ફક્ત કુદરતી સંકેત જ સમજ. દોસ્ત, તારા શબ્દો જ તું યાદ કર - મુશ્કેલીમાં મુકાયેલ કોઈ પણ વ્યક્તી પાસે થી હું વળતર લેતો નથી.મારા વળતર નો હિસાબ ઉપર વાળો રાખે છે. આ ઉપરવાળાએ તારા વળતરનો હિસાબ કરવા મને મોકલ્યો એવું સમજી લેજે.“
એકાઉન્ટ મેનેજર ડોકટર સાહેબ સામે જોતો રહ્યો.
ડોક્ટરે કહ્યું, "પ્રવીણ કોઈ પણ તકલીફ પડે તો અહીં આવી મને મળી લેજે."
એકાઉન્ટ મેનેજર ના ખભે હાથ મૂકી ડોક્ટર સાહેબ બોલ્યા." સુધરવા માટે આશ્રમ કે ગુરુ ની જરૂર નથી હોતી. કોઈ વખત આપણાથી નાની, કે અજ્ઞાની લાગતી વ્યક્તીઓ પણ આપણા અંતર આત્મા ને જગાડી જતો રહે છે."
પ્રવીણ ચેમ્બરમાં રાખેલ કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી બોલ્યો, "કોણ કહે છે ભગવાન સારા કે ખરાબ કર્મ નો તું
હિસાબ નથી રાખતો? હા...સમય કદાચ લાગતો હશે, પણ વ્યાજ સાથે ખરાબ કે સારા કર્મનો જવાબ મળશે એ ચોક્કસ!"
"કોઈનું બાકી રાખતો નથી ગિરધારી
વ્યાજ સાથે પાછું આપે છે મુરારી "
ભગવાનનો ભેદ અને કર્મના સિદ્ધાંતો સમજવા માટે જન્મો જન્મ ઓછા પડે. એ જયારે આપવા બેસે છે ત્યારે છપ્પર ફાડી ને આપે છે અને જયારે લેવા બેસે છે ત્યારે છાતી ઉપર પગ રાખી થપ્પડ મારીને પણ બહાર કઢાવે છે.
યાદ રાખો - સમય ફક્ત ચહેરો યાદ રાખે છે.
ભગવાન કહે છે હું એક સમયે તને માફ કરી દઈશ પણ કર્મ માફ નહીં કરે.
(ઇન્ટરનેટ પરથી)
Tuesday, June 25, 2019
યોગા જિમ કરતા વધુ સારું હોવાના ૧૫ કારણો
કેટલાક લોકોને પ્રશ્ન થાય છે કે યોગા કરવું કે જિમ? આમાં વધુ સારો વિકલ્પ કયો?
યોગા, બેશક!
સાચાં જવાબના અનેક કારણો છે જેમાંના ૧૫ આ રહ્યાં :
૧. યોગાથી મન, શરીર અને આત્મા ત્રણેને ફાયદા થાય છે. યોગાથી શરીર તો તંદુરસ્ત બને જ છે પણ સાથે સાથે તે તમારા મનને વર્તમાન ક્ષણમાં જીવતા શીખવે છે અને તમારા અંતરાત્માને હકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જિમનું વર્કઆઉટ તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરે છે.
૨. યોગા તમારા આખા શરીરને બાહ્ય અને આંતરિક એમ બંને રીતે ફાયદો કરે છે.
ટ્વિસ્ટીંગ, સ્ટ્રેચીંગ અને ફોલ્ડીંગ જેવા યોગાસનો શરીરના પાચન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર અને વધુ શરીર સાથે જોડાયેલા તંત્રો માટે ખૂબ ફાયદાકારી છે. તમારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં યોગા મદદ કરે છે અને હ્રદય અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધારે છે. આ બધા સાથે તે સ્નાયુઓને તો વધુ મજબૂત બનાવે જ છે. જિમનું વર્કઆઉટ માત્ર સ્નાયુઓને વધુ મજબૂત બનાવવા અને કાર્ડિયો બૂસ્ટ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
૩. યોગા સહનશીલતા શીખવે છે. યોગા તમને તમે જેવા છો તેવા જ સ્વીકારતા શીખવે છે - તમારી ખાસિયતો અને નબળાઈઓ સહિત. કોઈકે સાચું જ કહ્યું છે કે યોગા સ્વ-સુધાર માટે નહીં પરંતુ સ્વ-સ્વીકાર માટે છે. જિમ વર્ગો (ખાસ કરીને બૂટ કેમ્પ સ્ટાઇલ) તમે બધી કસરતો ના કરી શકો તો તમને તમે નિષ્ફળ હોવ એવી લાગણીનો અનુભવ કરાવે છે.
૪. યોગા તમને તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવે છે. મોટા ભાગના યોગા કેન્દ્રોમાં અરીસા હોતા નથી જેથી યોગા તમને તમારું શરીર ક્યાં છે અને તેના વિવિધ સ્નાયુઓ અને અવયવો શું કરે છે તેના પર ધ્યાન આપવાની ફરજ પાડે છે. જ્યારે જિમમાં અરીસાઓ હોય છે જે સતત તમને તમારી જાતને જોતા રહેવા અને આસપાસ ના લોકો શું કરે છે તેની ચિંતા કર્યા કરવા મજબૂર કરે છે.
૫. યોગા તમને પાતળા બનાવે છે. તમારા સ્નાયુઓને યોગા દ્વારા સ્ટ્રેટચ કરતી વખતે તમે તેમને મજબૂત પણ બનાવો છો તેથી તમારા શરીરનો બાંધો એકવડો થાય છે. જિમમાં ભારે વજન ઉંચકી ઉંચકી તમારા સ્નાયુઓ ફૂલી જાય છે.
૬. યોગા વધુ કાર્યક્ષમ છે. યોગા સ્ટ્રેન્થનિંગ માટે તમારા પોતાના અને આખા શરીર પર આધાર રાખે છે. જિમ આ માટે વજન અને સાધનોનો ઉપયોગ કરે છે. યોગાના જુદા જુદા આસનો દ્વારા તમારું આખું શરીર પોતાના જ વજનનો 'વેઈટ્સ' તરીકે ઉપયોગ કરી મજબૂત બને છે. જિમમાં વજન કે અન્ય સાધનોનો ઉપયોગ કરાતા, સ્નાયુઓ જે પ્રમાણે ઉપયોગમાં લેવાતા જાય તે પ્રમાણે શરીરના અન્ય ભાગોથી વિખૂટા પડી જાય છે અને તેમના પર અલગથી વિકેન્દ્રીત ધ્યાન આપી ઘણાં સમય બાદ તે મજબૂત બને છે.
૭. યોગા ગમે ત્યાં કરી શકાય છે. યોગાકેન્દ્ર કે યોગા સ્ટુડિયોમાં યોગાનો અનુભવ વધુ સારો હોય છે પણ તમે યોગા તમારે ઘેર, બહાર કે નાની એવી જગામાં પણ સહેલાઈથી કરી શકો છો. માત્ર ૬ ફીટ બાય ૪ ફીટની જગા યોગા કરવા માટે પૂરતી છે. જિમ વર્કઆઉટ માટે વધુ સાધનો અને વધુ જગાની જરૂર પડે છે.
૮. યોગા શરીર માટે આકરા સાબિત થતાં નથી. એનો અર્થ એવો નથી કે યોગા ઉત્કટ કે જોશપૂર્ણ નથી. અષ્ટાંગ કરનાર કોઈ ને પૂછી જૂઓ. યોગા ઉષ્મા સર્જે છે અને તમારા સ્નાયુઓ પર કામ કરે છે પણ એમાં તમે તમારા શરીરને એટલું જ કામ આપો છો જેટલી તેની ક્ષમતા હોય, જ્યારે જિમમાં તમે વજન ઉંચકો છો અથવા તમારા શરીરના સાંધાઓ પર ભાર આપો છો અને આ બંને સંજોગોમાં તમે શરીરને ઈજા પહોંચાડી શકો છો. તમે એક પછી બીજું યોગ - આસન કરો છો ત્યારે તમારું શરીર સ્ટ્રેટચ થાય છે અને સારી રીતે કરેલ યોગા આપમેળે પછીના આસન કે સ્થિતી માટે શરીરને તૈયાર કરે છે.
૯. યોગા તમારા દુખાવા અને પીડા ઓછા કરે છે. જિમ વર્કઆઉટ એ વધારે છે. યોગા ધીમે ધીમે સ્નાયુઓ સ્ટ્રેટચ કરે છે અને શરીરના ઉર્જા માધ્યમોને ખુલ્લા કરે છે. સુધરેલી લવચિક્તા સ્નાયુઓ અને સાંધાઓને ઘર્ષણ રહિત અને તંદુરસ્ત રાખે છે. જિમના વજન અને ટ્રેડમીલ તણાવ ઉભો કરે છે જે દુખાવો કે પીડા પેદા કરી શકે છે.
૧૦. યોગા તમારા શ્વસનને સરળ બનાવે છે.
તમે તાણ અનુભવતા હોવ એવે સમયે શ્વાસ લેતા ભૂલી જવું સામાન્ય છે - સાચી રીતે શ્વાસ લેવું, માત્ર ઉપરછલ્લી રીતે હવા શરીરમાં લઈ બહાર કાઢવું નહીં. ઉંડા શ્વાસ લીધા વિના સ્પષ્ટ વિચારવું શક્ય બનતું નથી અને થાક લાગે છે. યોગા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી તમને જ્યારે તેની સૌથી વધારે જરૂર હોય ત્યારે એ ઉંડા શ્વાસ લેવાની રીત તમારી આદત બની ચૂકી હોય.
૧૧. યોગા મનને શાંતિ આપે છે. યોગા શાંત અને પ્રસન્ન રહીને કરવામાં આવે છે. તેમાં ઉચાટ, ઘોંઘાટ, દાંતો નો કચકચાટ કે ચહેરા પર તંગ કે ચિત્ર વિચિત્ર હાવભાવ જોવા મળતા નથી, જે જિમમાં જોવા - અનુભવવા મળે છે. યોગાનો આશય જ શરીર અને મનમાંથી સઘળાં તણાવ ને બહાર ફેંકી દેવાનો હોય છે.
૧૨. યોગા તણાવ ઘટાડે છે. મોટા ભાગના યોગા વર્ગોમાં મેડીટેશન (ધ્યાન ધરવાની પ્રક્રિયા) કે શવાસન કરાવવામાં આવે છે. તેનાથી તમને દિવસ ભરની ચિંતાઓથી મુકત થવાની તક સાંપડે છે. યોગા સતત કરતા રહેવાથી તમે તણાવગ્રસ્ત પરિસ્થિતી સાથે સહેલાઈથી કામ પાર પાડતા શીખી જાઓ છો અને એકંદર તણાવનું સ્તર ઘટે છે. જિમનો સ્પર્ધાત્મક સ્વભાવ અને ત્યાંનું ઘોંઘાટ ભર્યું સંગીત અને ભપકાદાર રોશની તમારા તણાવના સ્તરમાં વધારો કરે છે.
૧૩. દરેક ઉંમરની વ્યક્તિ યોગા કરી શકે છે. તમારી તંદુરસ્તી પણ ભલે ગમે તેવી હોય, તમે યોગા કરી શકો છો. પાર્કિન્સનથી માંડી કેન્સરના દર્દીઓને પણ યોગા ફાયદાકારક સાબિત થયો હોવાનું નોંધાયું છે. જિમ વર્કઆઉટ સામાન્ય રીતે વરિષ્ઠ વયની વ્યક્તિઓને અનુકૂળ કે ઉપચારક હોતા નથી.
૧૪. યોગા એકાગ્રતા સુધારે છે. યોગા કરતી વખતે તમારે શ્વાસ પર, તમારી શરીર ની સ્થિતી પર અને દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. બાહ્ય અંતરાયો દૂર કરી દેવાય છે. જિમમાં ઘોંઘાટીયા સંગીત, ટીવી વગેરે જેવા બાહ્ય અંતરાયો સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું થઈ પડે છે.
૧૫. યોગીઓ સદાયે આનંદિત રહેતો સમુદાય છે! શું તમને આવા સસ્મિત, સુખી લોકો સાથે રહેવું ન ગમે? અહીં તમને એવા વાતાવરણમાં રહેવા મળશે જ્યાં લોકો તમને તમારી જેવી શારીરિક સ્થિતિ હોય તેની સાથે તમારો સ્વીકાર કરશે. અહીં તમને કોણે કયું આસન કેટલા લાંબા સમય સુધી કર્યું તેવી પંચાત કે સ્પર્ધા ની માથાકૂટ નહીં જોવા મળે. આસપાસ તમને હકારાત્મકતા જ અનુભવવા મળશે.
(ઇન્ટરનેટ પરથી)
યોગા, બેશક!
સાચાં જવાબના અનેક કારણો છે જેમાંના ૧૫ આ રહ્યાં :
૧. યોગાથી મન, શરીર અને આત્મા ત્રણેને ફાયદા થાય છે. યોગાથી શરીર તો તંદુરસ્ત બને જ છે પણ સાથે સાથે તે તમારા મનને વર્તમાન ક્ષણમાં જીવતા શીખવે છે અને તમારા અંતરાત્માને હકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જિમનું વર્કઆઉટ તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરે છે.
૨. યોગા તમારા આખા શરીરને બાહ્ય અને આંતરિક એમ બંને રીતે ફાયદો કરે છે.
ટ્વિસ્ટીંગ, સ્ટ્રેચીંગ અને ફોલ્ડીંગ જેવા યોગાસનો શરીરના પાચન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર અને વધુ શરીર સાથે જોડાયેલા તંત્રો માટે ખૂબ ફાયદાકારી છે. તમારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં યોગા મદદ કરે છે અને હ્રદય અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધારે છે. આ બધા સાથે તે સ્નાયુઓને તો વધુ મજબૂત બનાવે જ છે. જિમનું વર્કઆઉટ માત્ર સ્નાયુઓને વધુ મજબૂત બનાવવા અને કાર્ડિયો બૂસ્ટ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
૩. યોગા સહનશીલતા શીખવે છે. યોગા તમને તમે જેવા છો તેવા જ સ્વીકારતા શીખવે છે - તમારી ખાસિયતો અને નબળાઈઓ સહિત. કોઈકે સાચું જ કહ્યું છે કે યોગા સ્વ-સુધાર માટે નહીં પરંતુ સ્વ-સ્વીકાર માટે છે. જિમ વર્ગો (ખાસ કરીને બૂટ કેમ્પ સ્ટાઇલ) તમે બધી કસરતો ના કરી શકો તો તમને તમે નિષ્ફળ હોવ એવી લાગણીનો અનુભવ કરાવે છે.
૪. યોગા તમને તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવે છે. મોટા ભાગના યોગા કેન્દ્રોમાં અરીસા હોતા નથી જેથી યોગા તમને તમારું શરીર ક્યાં છે અને તેના વિવિધ સ્નાયુઓ અને અવયવો શું કરે છે તેના પર ધ્યાન આપવાની ફરજ પાડે છે. જ્યારે જિમમાં અરીસાઓ હોય છે જે સતત તમને તમારી જાતને જોતા રહેવા અને આસપાસ ના લોકો શું કરે છે તેની ચિંતા કર્યા કરવા મજબૂર કરે છે.
૫. યોગા તમને પાતળા બનાવે છે. તમારા સ્નાયુઓને યોગા દ્વારા સ્ટ્રેટચ કરતી વખતે તમે તેમને મજબૂત પણ બનાવો છો તેથી તમારા શરીરનો બાંધો એકવડો થાય છે. જિમમાં ભારે વજન ઉંચકી ઉંચકી તમારા સ્નાયુઓ ફૂલી જાય છે.
૬. યોગા વધુ કાર્યક્ષમ છે. યોગા સ્ટ્રેન્થનિંગ માટે તમારા પોતાના અને આખા શરીર પર આધાર રાખે છે. જિમ આ માટે વજન અને સાધનોનો ઉપયોગ કરે છે. યોગાના જુદા જુદા આસનો દ્વારા તમારું આખું શરીર પોતાના જ વજનનો 'વેઈટ્સ' તરીકે ઉપયોગ કરી મજબૂત બને છે. જિમમાં વજન કે અન્ય સાધનોનો ઉપયોગ કરાતા, સ્નાયુઓ જે પ્રમાણે ઉપયોગમાં લેવાતા જાય તે પ્રમાણે શરીરના અન્ય ભાગોથી વિખૂટા પડી જાય છે અને તેમના પર અલગથી વિકેન્દ્રીત ધ્યાન આપી ઘણાં સમય બાદ તે મજબૂત બને છે.
૭. યોગા ગમે ત્યાં કરી શકાય છે. યોગાકેન્દ્ર કે યોગા સ્ટુડિયોમાં યોગાનો અનુભવ વધુ સારો હોય છે પણ તમે યોગા તમારે ઘેર, બહાર કે નાની એવી જગામાં પણ સહેલાઈથી કરી શકો છો. માત્ર ૬ ફીટ બાય ૪ ફીટની જગા યોગા કરવા માટે પૂરતી છે. જિમ વર્કઆઉટ માટે વધુ સાધનો અને વધુ જગાની જરૂર પડે છે.
૮. યોગા શરીર માટે આકરા સાબિત થતાં નથી. એનો અર્થ એવો નથી કે યોગા ઉત્કટ કે જોશપૂર્ણ નથી. અષ્ટાંગ કરનાર કોઈ ને પૂછી જૂઓ. યોગા ઉષ્મા સર્જે છે અને તમારા સ્નાયુઓ પર કામ કરે છે પણ એમાં તમે તમારા શરીરને એટલું જ કામ આપો છો જેટલી તેની ક્ષમતા હોય, જ્યારે જિમમાં તમે વજન ઉંચકો છો અથવા તમારા શરીરના સાંધાઓ પર ભાર આપો છો અને આ બંને સંજોગોમાં તમે શરીરને ઈજા પહોંચાડી શકો છો. તમે એક પછી બીજું યોગ - આસન કરો છો ત્યારે તમારું શરીર સ્ટ્રેટચ થાય છે અને સારી રીતે કરેલ યોગા આપમેળે પછીના આસન કે સ્થિતી માટે શરીરને તૈયાર કરે છે.
૯. યોગા તમારા દુખાવા અને પીડા ઓછા કરે છે. જિમ વર્કઆઉટ એ વધારે છે. યોગા ધીમે ધીમે સ્નાયુઓ સ્ટ્રેટચ કરે છે અને શરીરના ઉર્જા માધ્યમોને ખુલ્લા કરે છે. સુધરેલી લવચિક્તા સ્નાયુઓ અને સાંધાઓને ઘર્ષણ રહિત અને તંદુરસ્ત રાખે છે. જિમના વજન અને ટ્રેડમીલ તણાવ ઉભો કરે છે જે દુખાવો કે પીડા પેદા કરી શકે છે.
૧૦. યોગા તમારા શ્વસનને સરળ બનાવે છે.
તમે તાણ અનુભવતા હોવ એવે સમયે શ્વાસ લેતા ભૂલી જવું સામાન્ય છે - સાચી રીતે શ્વાસ લેવું, માત્ર ઉપરછલ્લી રીતે હવા શરીરમાં લઈ બહાર કાઢવું નહીં. ઉંડા શ્વાસ લીધા વિના સ્પષ્ટ વિચારવું શક્ય બનતું નથી અને થાક લાગે છે. યોગા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી તમને જ્યારે તેની સૌથી વધારે જરૂર હોય ત્યારે એ ઉંડા શ્વાસ લેવાની રીત તમારી આદત બની ચૂકી હોય.
૧૧. યોગા મનને શાંતિ આપે છે. યોગા શાંત અને પ્રસન્ન રહીને કરવામાં આવે છે. તેમાં ઉચાટ, ઘોંઘાટ, દાંતો નો કચકચાટ કે ચહેરા પર તંગ કે ચિત્ર વિચિત્ર હાવભાવ જોવા મળતા નથી, જે જિમમાં જોવા - અનુભવવા મળે છે. યોગાનો આશય જ શરીર અને મનમાંથી સઘળાં તણાવ ને બહાર ફેંકી દેવાનો હોય છે.
૧૨. યોગા તણાવ ઘટાડે છે. મોટા ભાગના યોગા વર્ગોમાં મેડીટેશન (ધ્યાન ધરવાની પ્રક્રિયા) કે શવાસન કરાવવામાં આવે છે. તેનાથી તમને દિવસ ભરની ચિંતાઓથી મુકત થવાની તક સાંપડે છે. યોગા સતત કરતા રહેવાથી તમે તણાવગ્રસ્ત પરિસ્થિતી સાથે સહેલાઈથી કામ પાર પાડતા શીખી જાઓ છો અને એકંદર તણાવનું સ્તર ઘટે છે. જિમનો સ્પર્ધાત્મક સ્વભાવ અને ત્યાંનું ઘોંઘાટ ભર્યું સંગીત અને ભપકાદાર રોશની તમારા તણાવના સ્તરમાં વધારો કરે છે.
૧૩. દરેક ઉંમરની વ્યક્તિ યોગા કરી શકે છે. તમારી તંદુરસ્તી પણ ભલે ગમે તેવી હોય, તમે યોગા કરી શકો છો. પાર્કિન્સનથી માંડી કેન્સરના દર્દીઓને પણ યોગા ફાયદાકારક સાબિત થયો હોવાનું નોંધાયું છે. જિમ વર્કઆઉટ સામાન્ય રીતે વરિષ્ઠ વયની વ્યક્તિઓને અનુકૂળ કે ઉપચારક હોતા નથી.
૧૪. યોગા એકાગ્રતા સુધારે છે. યોગા કરતી વખતે તમારે શ્વાસ પર, તમારી શરીર ની સ્થિતી પર અને દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. બાહ્ય અંતરાયો દૂર કરી દેવાય છે. જિમમાં ઘોંઘાટીયા સંગીત, ટીવી વગેરે જેવા બાહ્ય અંતરાયો સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું થઈ પડે છે.
૧૫. યોગીઓ સદાયે આનંદિત રહેતો સમુદાય છે! શું તમને આવા સસ્મિત, સુખી લોકો સાથે રહેવું ન ગમે? અહીં તમને એવા વાતાવરણમાં રહેવા મળશે જ્યાં લોકો તમને તમારી જેવી શારીરિક સ્થિતિ હોય તેની સાથે તમારો સ્વીકાર કરશે. અહીં તમને કોણે કયું આસન કેટલા લાંબા સમય સુધી કર્યું તેવી પંચાત કે સ્પર્ધા ની માથાકૂટ નહીં જોવા મળે. આસપાસ તમને હકારાત્મકતા જ અનુભવવા મળશે.
(ઇન્ટરનેટ પરથી)
Saturday, June 15, 2019
મદદ
અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.
"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો?" તેણે પૂછ્યું.
મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?"
સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."
તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ? “
મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "
રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં.
મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.
તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."
"કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.
બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."
મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."
પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.
વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."
"ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.
જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."
મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."
મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!
મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે.
(ઇન્ટરનેટ પરથી)
Monday, June 3, 2019
કદર અને પ્રશંસાનાં બે શબ્દો
પ્રશ્ન : તમારી માતાએ તમને આપેલી શ્રેષ્ઠ શિખામણ કઈ?
જોનાથન પેટીત દ્વારા જવાબ :
હું દસેક વર્ષનો હતો. મારી માતાએ હંમેશની જેમ અતિ સ્વાદિષ્ટ એવી રસોઇ બનાવી મને જમાડ્યો હતો. મેં ધરાઈને મારું એ ભાવતું ભોજન આરોગ્યું હતું. પછી જ્યારે હું વાસણ ધોઈ રહ્યો હતો ત્યારે મા મારી પાસે આવી કહેવા લાગી, "ભોજનનો સ્વાદ આજે બરાબર નહોતો ને? હું દિલગીર છું."
મને ઝાટકો લાગ્યો. મેં કહ્યું, "બિલકુલ નહીં. મને તો એ ખૂબ ભાવ્યું."
તેણે ખોટા આશ્ચર્યના ભાવ સાથે કહ્યું,"ખરેખર? તું રોજ શાંતિથી કંઈ જ કહ્યા વગર ખાઈ લે છે. તે મને ક્યારેય કહ્યું જ નથી કે તને મારી બનાવેલી રસોઈ ભાવે છે કે નહીં, એટલે મેં ધારી લીધું કે આજે પણ તને ભોજન બિલકુલ ભાવ્યું નહીં હોય."
મેં કહ્યું, "ના... ના... એવું નથી. તું તો મારી દ્રષ્ટિએ જગતની શ્રેષ્ઠ રસોઈયણ છે. " મમ્મીએ જવાબ આપ્યો," તો પછી તારે મને એ ક્યારેક કહેવું જોઈએ ને. જ્યારે કોઈ પણ તમારા માટે કંઈક સારું કરે ત્યારે તમારે તેનો આભાર અચૂક માનવો જોઈએ.જો તમે એમ ન કરો તો એવું બની શકે કે એ માનવા લાગે કે તમે તો એની કદર જ નથી કરતા અને એ તે સારી વસ્તુઓ કરવાનું છોડી દેશે."
મને તરત ચમકારો થયો. એ દિવસથી હું એ દરેકનો આભાર માનવા લાગ્યો જે મારા માટે થોડું ઘણું પણ સારું કરતા હોય,મારી જરા જેટલી પણ મદદ કરતા હોય. એ મારી આદત બની ગઈ જેના વિશે મેં પહેલા ક્યારેય જરા સરખો પણ વિચાર સુદ્ધા કર્યો નહોતો. અને ચમત્કાર થયો!
લોકો મને વધુ પસંદ કરવા લાગ્યા. તેઓ મારી સાથે વધુ વાતચીત કરવા માંડ્યા,મારી સાથે વધુ વહેંચવા માંડ્યા. તેઓ મારા વધુ સારા મિત્રો બની રહ્યાં. મારી હાઈ સ્કૂલના પ્રથમ વર્ષમાં છેલ્લા સપ્તાહે એક દિવસ હું ઘેર પાછો ફર્યો ત્યારે એક મોટી ભેટ મારી રાહ જોઈ રહી હતી! મેં અંત:સ્ફૂરણા થી પ્રેરાઈને કહ્યું, "મમ્મી, તારો ખૂબ ખૂબ આભાર!"
પણ તેણે મને આશ્ચર્ય માં મૂકતા કહ્યું કે એ ભેટ તેના તરફથી નથી. એ મારા બસ ડ્રાઇવર તરફથી હતી. એ તે બસ વર્ષોથી ચલાવતો હતો પણ હું એવી પહેલી વ્યક્તિ હતો જેણે તેનો મને સ્કૂલમાં ઉતારવા અને સહી સલામત પહોંચાડવા આભાર માન્યો હતો. એ આભારના શબ્દોએ કમાલ કરી દીધી અને તે એટલો ગદગદિત થઈ ગયો હતો કે તેણે મને એક ભેટ મોકલાવી હતી!
આવી છે કદરના કે પ્રશંસાના શબ્દોની તાકાત. તમારી પાસે જો એ હશે દુનિયામાં તો બધું સારું થશે, પણ જો તમારી પાસે એ નહીં હોય તો તમારાં જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અનુભવ થશે. મારી માતાએ આમ તો મને ઘણું બધું શીખવ્યું હતું પણ તેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં આભારનાં બે શબ્દો બોલવાની શીખામણ શ્રેષ્ઠ હતી.
તમે એવી ઘણી વ્યક્તિઓને મળ્યાં હશો જેઓ પોતાને સારા વિવેચક ગણાવતા હશે પણ શું તમે એવી કોઈ પણ વ્યક્તિને મળ્યા છો જે કહી શકે કે હું અન્યોના વખાણ કરવામાં એક્કો છું?શું આ આપણાં સમાજની એક દુ:ખદ હકીકત નથી?
ચાલો, આપણી આસપાસના લોકોને વખાણના બે શબ્દો વારંવાર કહેવાની શરૂઆત કરીએ, ખાસ કરીને તેમને જેઓ આપણાં ખાસ કે નજીકના હોય.
સાંભળવામાં સૌથી સારા લાગતા શબ્દો કદર અને પ્રશંસાનાં હોય છે.
(ઇન્ટરનેટ પરથી)
હું દસેક વર્ષનો હતો. મારી માતાએ હંમેશની જેમ અતિ સ્વાદિષ્ટ એવી રસોઇ બનાવી મને જમાડ્યો હતો. મેં ધરાઈને મારું એ ભાવતું ભોજન આરોગ્યું હતું. પછી જ્યારે હું વાસણ ધોઈ રહ્યો હતો ત્યારે મા મારી પાસે આવી કહેવા લાગી, "ભોજનનો સ્વાદ આજે બરાબર નહોતો ને? હું દિલગીર છું."
મને ઝાટકો લાગ્યો. મેં કહ્યું, "બિલકુલ નહીં. મને તો એ ખૂબ ભાવ્યું."
તેણે ખોટા આશ્ચર્યના ભાવ સાથે કહ્યું,"ખરેખર? તું રોજ શાંતિથી કંઈ જ કહ્યા વગર ખાઈ લે છે. તે મને ક્યારેય કહ્યું જ નથી કે તને મારી બનાવેલી રસોઈ ભાવે છે કે નહીં, એટલે મેં ધારી લીધું કે આજે પણ તને ભોજન બિલકુલ ભાવ્યું નહીં હોય."
મેં કહ્યું, "ના... ના... એવું નથી. તું તો મારી દ્રષ્ટિએ જગતની શ્રેષ્ઠ રસોઈયણ છે. " મમ્મીએ જવાબ આપ્યો," તો પછી તારે મને એ ક્યારેક કહેવું જોઈએ ને. જ્યારે કોઈ પણ તમારા માટે કંઈક સારું કરે ત્યારે તમારે તેનો આભાર અચૂક માનવો જોઈએ.જો તમે એમ ન કરો તો એવું બની શકે કે એ માનવા લાગે કે તમે તો એની કદર જ નથી કરતા અને એ તે સારી વસ્તુઓ કરવાનું છોડી દેશે."
મને તરત ચમકારો થયો. એ દિવસથી હું એ દરેકનો આભાર માનવા લાગ્યો જે મારા માટે થોડું ઘણું પણ સારું કરતા હોય,મારી જરા જેટલી પણ મદદ કરતા હોય. એ મારી આદત બની ગઈ જેના વિશે મેં પહેલા ક્યારેય જરા સરખો પણ વિચાર સુદ્ધા કર્યો નહોતો. અને ચમત્કાર થયો!
લોકો મને વધુ પસંદ કરવા લાગ્યા. તેઓ મારી સાથે વધુ વાતચીત કરવા માંડ્યા,મારી સાથે વધુ વહેંચવા માંડ્યા. તેઓ મારા વધુ સારા મિત્રો બની રહ્યાં. મારી હાઈ સ્કૂલના પ્રથમ વર્ષમાં છેલ્લા સપ્તાહે એક દિવસ હું ઘેર પાછો ફર્યો ત્યારે એક મોટી ભેટ મારી રાહ જોઈ રહી હતી! મેં અંત:સ્ફૂરણા થી પ્રેરાઈને કહ્યું, "મમ્મી, તારો ખૂબ ખૂબ આભાર!"
પણ તેણે મને આશ્ચર્ય માં મૂકતા કહ્યું કે એ ભેટ તેના તરફથી નથી. એ મારા બસ ડ્રાઇવર તરફથી હતી. એ તે બસ વર્ષોથી ચલાવતો હતો પણ હું એવી પહેલી વ્યક્તિ હતો જેણે તેનો મને સ્કૂલમાં ઉતારવા અને સહી સલામત પહોંચાડવા આભાર માન્યો હતો. એ આભારના શબ્દોએ કમાલ કરી દીધી અને તે એટલો ગદગદિત થઈ ગયો હતો કે તેણે મને એક ભેટ મોકલાવી હતી!
આવી છે કદરના કે પ્રશંસાના શબ્દોની તાકાત. તમારી પાસે જો એ હશે દુનિયામાં તો બધું સારું થશે, પણ જો તમારી પાસે એ નહીં હોય તો તમારાં જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અનુભવ થશે. મારી માતાએ આમ તો મને ઘણું બધું શીખવ્યું હતું પણ તેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં આભારનાં બે શબ્દો બોલવાની શીખામણ શ્રેષ્ઠ હતી.
તમે એવી ઘણી વ્યક્તિઓને મળ્યાં હશો જેઓ પોતાને સારા વિવેચક ગણાવતા હશે પણ શું તમે એવી કોઈ પણ વ્યક્તિને મળ્યા છો જે કહી શકે કે હું અન્યોના વખાણ કરવામાં એક્કો છું?શું આ આપણાં સમાજની એક દુ:ખદ હકીકત નથી?
ચાલો, આપણી આસપાસના લોકોને વખાણના બે શબ્દો વારંવાર કહેવાની શરૂઆત કરીએ, ખાસ કરીને તેમને જેઓ આપણાં ખાસ કે નજીકના હોય.
સાંભળવામાં સૌથી સારા લાગતા શબ્દો કદર અને પ્રશંસાનાં હોય છે.
(ઇન્ટરનેટ પરથી)
Saturday, May 25, 2019
મમળાવવા જેવા સુવિચારો
મનુષ્યો વચ્ચે પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે, તેમની વચ્ચે હોય છે એ હોય છે લગાવ કે વળગણ.
આપણને મારી નાખે છે એ તાણ કે સ્ટ્રેસ નહીં પરંતુ તેની સામેની આપણી પ્રતિક્રિયા હોય છે.
આભને મર્યાદા નથી હોતી, મર્યાદા હોય છે તમારા આત્મવિશ્વાસને.
જે ક્યારેય હાર માનતું જ ન હોય તેને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.
શ્રેષ્ઠતા કોઈ અકસ્માત નથી, એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.
જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે આપણે સૌથી વધુ જીવંત હોઈએ છીએ.
આત્મવિશ્વાસ પ્રગતિ નું પ્રથમ પગથિયું છે.
મહત્વકાંક્ષા જીવન માટે પ્રાણ સમાન છે.
જ્યારે તમે જે જોઈતું હોય એ મેળવવા કામ કરતા હોવ ત્યારે તમારી પાસે જે હોય છે તેનાથી સંતુષ્ટ અને ખુશ રહો.
જીવન એટલે અપેક્ષિત વસ્તુઓ માટે ઝૂરવું અને બિનઅપેક્ષિત વસ્તુઓનો સામનો કરવો.
જો તમે તમારા બાળપણને સાથે રાખી જીવશો તો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ.
અંતે સૌ સારાવાના થશે, જો તમે અંત સુધી એવી આશા ટકાવી રાખશો તો.
જ્યારે એમ કરવું બિનઆરામદાયી કે કષ્ટદાયક હોય ત્યારે પણ સંવાદ સાધતા રહો.
આજની મહામુસીબત આવતી કાલે સાવ ક્ષુલ્લક વાત સાબિત થાય છે.
અંતે કઈ રીતે એ મહત્વનું છે, નહીં કે કેટલું.
જીવન તમને એટલું જ આપે છે જેટલું તમે ઝંખ્યું હોય.
(ઇન્ટરનેટ પરથી)
આપણને મારી નાખે છે એ તાણ કે સ્ટ્રેસ નહીં પરંતુ તેની સામેની આપણી પ્રતિક્રિયા હોય છે.
આભને મર્યાદા નથી હોતી, મર્યાદા હોય છે તમારા આત્મવિશ્વાસને.
જે ક્યારેય હાર માનતું જ ન હોય તેને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.
શ્રેષ્ઠતા કોઈ અકસ્માત નથી, એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.
જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે આપણે સૌથી વધુ જીવંત હોઈએ છીએ.
આત્મવિશ્વાસ પ્રગતિ નું પ્રથમ પગથિયું છે.
મહત્વકાંક્ષા જીવન માટે પ્રાણ સમાન છે.
જ્યારે તમે જે જોઈતું હોય એ મેળવવા કામ કરતા હોવ ત્યારે તમારી પાસે જે હોય છે તેનાથી સંતુષ્ટ અને ખુશ રહો.
જીવન એટલે અપેક્ષિત વસ્તુઓ માટે ઝૂરવું અને બિનઅપેક્ષિત વસ્તુઓનો સામનો કરવો.
જો તમે તમારા બાળપણને સાથે રાખી જીવશો તો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ.
અંતે સૌ સારાવાના થશે, જો તમે અંત સુધી એવી આશા ટકાવી રાખશો તો.
જ્યારે એમ કરવું બિનઆરામદાયી કે કષ્ટદાયક હોય ત્યારે પણ સંવાદ સાધતા રહો.
આજની મહામુસીબત આવતી કાલે સાવ ક્ષુલ્લક વાત સાબિત થાય છે.
અંતે કઈ રીતે એ મહત્વનું છે, નહીં કે કેટલું.
જીવન તમને એટલું જ આપે છે જેટલું તમે ઝંખ્યું હોય.
(ઇન્ટરનેટ પરથી)
તમારા ઘરને ફેંગશૂઈની જરૂર છે?
સહદેવે પોતાના વ્યવસાયમાં કાઠુ કાઢ્યું અને કમાયેલા નાણાં યોગ્ય રીતે રોકવા લંડન ખાતે જમીનનો એક ટુકડો ખરીદી તેના પર ત્રણ માળનો બંગલો બંધાવ્યો. તેના બંગલામાં સ્વિમિંગ પૂલ પણ હતો અને બગીચો પણ! તેના બંગલાના પ્રાંગણમાં ૧૦૦ વર્ષ જૂનું એક લીચીનું ઝાડ હતું. ખરું જુઓ તો આ જમીન ખરીદી ત્યાં બંગલો બંધાવવાનું મૂળ કારણ આ લીચી નું ઝાડ જ હતું. તેની પત્નીને લીચીઓ ખૂબ ભાવતી હતી.
બંગલો બંધાવતી વખતે તેના એક મિત્રે સૂચન કર્યું કે તેણે સાવચેતી રૂપે કોઈક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે આમ તો તે ફેંગશૂઈ વગેરેમાં વિશ્વાસ ધરાવતો નહોતો પણ ખબર નહીં કેમ આ વખતે તેણે હ્રદયની વાત સાંભળી મિત્રની સલાહને અનુસરતા ખાસ હોંગકોંગના એક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવાનું નક્કી કર્યું. આ નિષ્ણાત એટલે ફેંગશૂઈ વર્તુળમાં સારી એવી ખ્યાતિ અને એ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા માસ્ટર કાઓ. તેમને લેવા સહદેવ પોતે ગયો અને તેમણે સાથે શહેરમાં બપોરનું ભોજન લીધું અને પછી તેઓ લંડન જવા રવાના થયા. તે પોતે સોનાનું હ્રદય ધરાવતો હતો અને તે ડૉ. કાઓને પોતે ગાડી હંકારી તેના બંગલે લઈ આવ્યો. માર્ગમાં જો કોઈ ગાડી તેમની ગાડીને ઓવર ટેક કરવા જાય તો તે સસ્મિત એ બધી ગાડીઓને એમ કરવા દેતો.
ડૉ. કાઓએ હસતા હસતા કહ્યું, "તમારું ડ્રાઇવિંગ અતિ સુરક્ષિત છે! ". સહદેવે આ ટિપ્પણી પર હસતા હસતા જવાબ આપ્યો, "મોટે ભાગે જે લોકો ઓવર ટેક કરતા હોય છે, તેમને કોઈક અતિ જરૂરી બાબત સાથે નિપટવાની ઉતાવળ હોય છે તો તેમની વચ્ચે આવવું જોઈએ નહીં."
ઘર નજીક આવતા શેરી સાંકડી થઈ અને સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી.
ત્યાં અચાનક એક હસતું રમતું બાળક ગલીમાં ક્યાંકથી સામે આવી ચડયું અને ગાડીની સમાંતરે દોડવા માંડ્યું. સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી. એણે કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ ગલીની એક તરફ જોયા કર્યું. ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજું એક બાળક આવી પેલા પહેલા દોડી રહેલા બાળકની પાછળ દોડવા માંડ્યું.
ફેંગશૂઈ માસ્ટર નવાઈ પામ્યા અને તેમણે સહદેવને પૂછ્યું, "તમને કઈ રીતે જાણ થઈ કે બીજું બાળક પણ આ પહેલા બાળકને અનુસરવાનું છે?"
સહદેવે સહજતાથી કહ્યું, "બાળકો હંમેશા એકબીજાની સાથે રમતાં હોય છે. પેલો પહેલો છોકરો કોઈ સાથીની સોબત વગર આટલા ગેલમાં હોઈ જ ન શકે!"
ડૉ કાઓ આ સાંભળી સહદેવને હસતા હસતા શાબાશી આપી કહી રહ્યાં, "તમારી અન્યો વિશે વિચારવાની ભાવનાને સલામ!"
બંગલે પહોંચતા જેઓ તેવા ગાડીમાંથી ઉતર્યા કે ત્યાં જ બંગલાના બાગમાંથી અચાનક સાત - આઠ પંખીઓ ઉડી આવ્યાં. આ જોઈ સહદેવે માસ્ટર કાઓ ને પૂછ્યું ," જો તમને વાંધો ન હોય તો અહીં બે - પાંચ મિનિટ રોકાશો? " પછી જવાબની રાહ જોયા વગર પોતે જ ઉમેર્યું, "બાગમાં કદાચ થોડાં બાળકો લીચીના ઝાડ પરથી લીચી તોડી રહ્યાં છે. જો આપણે અત્યારે જ ત્યાં જઈ પહોંચીશું તો તેઓ ડરી જશે અને કદાચ ઝાડ પર ચડ્યા હશે તો રઘવાટ માં તેમાંનું એકાદ બાળક ઝાડ પરથી નીચે પડી જવાનો ભય પણ છે. "
ડૉ કાઓ થોડી વાર શાંત થઈ ગયા અને પછી તેમણે કહ્યું "આ બંગલામાં ફેંગશૂઈની જરૂર જ નથી. જે જગાએ તમારા જેવા સજ્જન ની હાજરી હોય તે જગા કુદરતી રીતે સૌથી પવિત્ર ફેંગશૂઈ વાળી આપોઆપ બની રહે છે.
જ્યારે આપણું મન બીજાઓનાં સુખ શાંતિ ને પોતાના અંગત સુખ શાંતિ કરતા વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે તેનો ફાયદો એ બીજાઓને જ નહીં પરંતુ આપણને પોતાને પણ થતો હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ દરેકે દરેક સંજોગોમાં અન્યો અંગે વિચારે ત્યારે તે વ્યક્તિએ અજાણતા સંતત્વ ધારણ કરી લીધું હોય છે. સંત ખરું જુઓ તો અન્યોના ભલા વિશે વિચારીને જ સંતત્વ પામ્યાં હોય છે.
તમારું ઘર પણ એવું બની રહે કે તેને કોઈ ફેંગશૂઈ નિષ્ણાતની જરૂર ન રહે...
(ઇન્ટરનેટ પરથી)
બંગલો બંધાવતી વખતે તેના એક મિત્રે સૂચન કર્યું કે તેણે સાવચેતી રૂપે કોઈક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે આમ તો તે ફેંગશૂઈ વગેરેમાં વિશ્વાસ ધરાવતો નહોતો પણ ખબર નહીં કેમ આ વખતે તેણે હ્રદયની વાત સાંભળી મિત્રની સલાહને અનુસરતા ખાસ હોંગકોંગના એક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવાનું નક્કી કર્યું. આ નિષ્ણાત એટલે ફેંગશૂઈ વર્તુળમાં સારી એવી ખ્યાતિ અને એ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા માસ્ટર કાઓ. તેમને લેવા સહદેવ પોતે ગયો અને તેમણે સાથે શહેરમાં બપોરનું ભોજન લીધું અને પછી તેઓ લંડન જવા રવાના થયા. તે પોતે સોનાનું હ્રદય ધરાવતો હતો અને તે ડૉ. કાઓને પોતે ગાડી હંકારી તેના બંગલે લઈ આવ્યો. માર્ગમાં જો કોઈ ગાડી તેમની ગાડીને ઓવર ટેક કરવા જાય તો તે સસ્મિત એ બધી ગાડીઓને એમ કરવા દેતો.
ડૉ. કાઓએ હસતા હસતા કહ્યું, "તમારું ડ્રાઇવિંગ અતિ સુરક્ષિત છે! ". સહદેવે આ ટિપ્પણી પર હસતા હસતા જવાબ આપ્યો, "મોટે ભાગે જે લોકો ઓવર ટેક કરતા હોય છે, તેમને કોઈક અતિ જરૂરી બાબત સાથે નિપટવાની ઉતાવળ હોય છે તો તેમની વચ્ચે આવવું જોઈએ નહીં."
ઘર નજીક આવતા શેરી સાંકડી થઈ અને સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી.
ત્યાં અચાનક એક હસતું રમતું બાળક ગલીમાં ક્યાંકથી સામે આવી ચડયું અને ગાડીની સમાંતરે દોડવા માંડ્યું. સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી. એણે કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ ગલીની એક તરફ જોયા કર્યું. ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજું એક બાળક આવી પેલા પહેલા દોડી રહેલા બાળકની પાછળ દોડવા માંડ્યું.
ફેંગશૂઈ માસ્ટર નવાઈ પામ્યા અને તેમણે સહદેવને પૂછ્યું, "તમને કઈ રીતે જાણ થઈ કે બીજું બાળક પણ આ પહેલા બાળકને અનુસરવાનું છે?"
સહદેવે સહજતાથી કહ્યું, "બાળકો હંમેશા એકબીજાની સાથે રમતાં હોય છે. પેલો પહેલો છોકરો કોઈ સાથીની સોબત વગર આટલા ગેલમાં હોઈ જ ન શકે!"
ડૉ કાઓ આ સાંભળી સહદેવને હસતા હસતા શાબાશી આપી કહી રહ્યાં, "તમારી અન્યો વિશે વિચારવાની ભાવનાને સલામ!"
બંગલે પહોંચતા જેઓ તેવા ગાડીમાંથી ઉતર્યા કે ત્યાં જ બંગલાના બાગમાંથી અચાનક સાત - આઠ પંખીઓ ઉડી આવ્યાં. આ જોઈ સહદેવે માસ્ટર કાઓ ને પૂછ્યું ," જો તમને વાંધો ન હોય તો અહીં બે - પાંચ મિનિટ રોકાશો? " પછી જવાબની રાહ જોયા વગર પોતે જ ઉમેર્યું, "બાગમાં કદાચ થોડાં બાળકો લીચીના ઝાડ પરથી લીચી તોડી રહ્યાં છે. જો આપણે અત્યારે જ ત્યાં જઈ પહોંચીશું તો તેઓ ડરી જશે અને કદાચ ઝાડ પર ચડ્યા હશે તો રઘવાટ માં તેમાંનું એકાદ બાળક ઝાડ પરથી નીચે પડી જવાનો ભય પણ છે. "
ડૉ કાઓ થોડી વાર શાંત થઈ ગયા અને પછી તેમણે કહ્યું "આ બંગલામાં ફેંગશૂઈની જરૂર જ નથી. જે જગાએ તમારા જેવા સજ્જન ની હાજરી હોય તે જગા કુદરતી રીતે સૌથી પવિત્ર ફેંગશૂઈ વાળી આપોઆપ બની રહે છે.
જ્યારે આપણું મન બીજાઓનાં સુખ શાંતિ ને પોતાના અંગત સુખ શાંતિ કરતા વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે તેનો ફાયદો એ બીજાઓને જ નહીં પરંતુ આપણને પોતાને પણ થતો હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ દરેકે દરેક સંજોગોમાં અન્યો અંગે વિચારે ત્યારે તે વ્યક્તિએ અજાણતા સંતત્વ ધારણ કરી લીધું હોય છે. સંત ખરું જુઓ તો અન્યોના ભલા વિશે વિચારીને જ સંતત્વ પામ્યાં હોય છે.
તમારું ઘર પણ એવું બની રહે કે તેને કોઈ ફેંગશૂઈ નિષ્ણાતની જરૂર ન રહે...
(ઇન્ટરનેટ પરથી)
Sunday, May 12, 2019
આદર્શ માતા કે આનંદી માતા? - મધર્સ ડે સ્પેશિયલ
મને તમારાં વિશે તો ખ્યાલ નથી પણ આ મારી વાત છે, જે મારા ધ્યાનમાં આવી છે. હું એક પૂર્ણ સમય ઘરમાં રહેનારી માતા છું - ફૂલ ટાઇમ સ્ટે એટ હોમ મોમ. મારા મિત્રો મને સુપર મોમ કહે છે. મારું બાળક ઓલ રાઉંડર બને એનું હું ધ્યાન રાખું છું. તે ભણવામાં અવ્વલ આવે છે, ડ્રામા, ડાંસ, સ્પોર્ટ્સ, વકતૃત્વ અને કંઈ કેટલું ય - એ બધામાં તે આગળ છે! તેના ખોરાક પ્રત્યે પણ હું વધુ પડતી સભાન છું. તેને સારામાં સારું આરોગ્યપ્રદ હોય એવું જ ખાવાનું આપવા હું પોતે વધુ પડતી તાણ અનુભવું છું.
તેના માટે જ હું એકડે એકથી એકઝોટીક ફૂડ બેક કરતાં અને રાંધતા શીખી છું. લગ્ન પહેલાં તો મને માત્ર ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવતાં આવડતું. મારા પુત્રને મારા હાથે બનાવેલું ખાવાનું ખૂબ ભાવે છે અને રોજ તે રીસેસમાં મમ્મીએ ટિફિન બૉક્સમાં શી સરપ્રાઇઝ આઇટમ મૂકી હશે તેની રાહ જોતો હોય છે!
હું મારા બાળકની દરેક પ્રવૃતિઓ પર ધ્યાન આપતી રહું છું અને કદાચ તેની ધોરણ ૮ ની સમાજ-વિજ્ઞાનની ટીચર કરતાં વધુ જ્ઞાન મને હશે! હું પોતે ડ્રાઇવ કરીને તેને તેનાં દરેક પ્રવૃતિના વર્ગોમાં મૂકવા જાઉં છું અને જ્યારે તે કોઈક સ્પર્ધામાં જીતે ત્યારે હું તેને લાડ લડાવી બગાડું છું!
પણ જેમ જેમ મારો પુત્ર મોટો થતો ગયો છે તેમ તેમ આદર્શ મોમ બનવાની લ્હાયમાં હું ક્યાંક આનંદી મોમ બનવાનું ભૂલી ગઈ છું. એ સમય સાથે પરિવર્તન પામતો ગયો છે, પણ હું નહીં. મારો એ પુત્ર જે એક સમયે મારી પૂજા કરતો હતો, ચિડાવા અને બળવો પોકારવા માંડ્યો છે. મેં આ સમસ્યાના સમાધાન માટે અજ્ઞાત રહી એક હેલ્પલાઇનની મદદ લેવાની પણ કોશિશ કરી, પણ એનાથી કંઈ વળ્યું નથી.
થોડા દિવસ અગાઉ ગુસ્સામાં મેં એની પર હાથ ઉગામ્યો અને ત્યારે એણે મને પ્રતિભાવમાં જે રીતે ઘૂરી એ જોઈને હું ડઘાઈ ગઈ. એ આઘાત પામ્યો, ગુસ્સે થયો અને નિરાશ થયો. તેની આંખો આંસુ અને નફરતથી ભરાઈ ગઈ. તેણે મારી સાથે બોલવું બંધ કરી દીધું. એ રાતે તે મને ગુડ નાઇટ કીસ આપ્યા વગર જ સૂઈ ગયો. પહેલાં એ બસમાં સ્કૂલે જતો હોય તો બસમાંથી હું દેખાવાની બંધ થઈ જાઉં ત્યાં સુધી હાથ હલાવી આવજો કરતો, પણ બીજે દિવસે તેણે સ્કૂલે જતાં મને આવજો કર્યું નહીં
તેના ગયા પછી હું ખૂબ રડી. પણ હું વિચારે ચડી. આ મારા માટે બ્રેક પોઇન્ટ હતો.
મને ખ્યાલ આવ્યો કે મેં તેની સાથે સંવાદ સાધવાનું બંધ કરી દીધું હતું. હું માત્ર તેને ફલાણું કર - ઢીંકણું કર,ક્લાસ માટે તૈયાર થઈ જા, ભણવા બેસ વગેરે કહી આદેશો આપ્યા કરતી. તેના માર્કસ ઓછા આવે ત્યારે હું ખીજાઈ જતી. મેં તેને દિવસ કેવો ગયો, તે કેવું અનુભવે છે, શું વિચારે છે એ બધું પૂછવાનું જ બંધ કરી દીધું હતું. મેં તેને સુવડાવવાનું બંધ કરી દીધું હતું, હું તેને કેટલો પ્રેમ કરું છું એ વ્યક્ત કરવાનું બંધ કરી દીધું હતું.હું તેને ઝટપટ ઉંઘાડી દેતી, જેથી તેનો બીજા દિવસનો ડબ્બો તૈયાર કરી શકું. તે ડબ્બો ખોલી સરપ્રાઇઝ પામવો જોઈએને ?
એ દિવસે આ બધું વિચારતા મેં ઉંડો શ્વાસ લીધો. એ સ્કૂલેથી પાછો ફર્યો ત્યારે મેં સરસ આનંદી સ્મિત સાથે તેને આવકાર્યો. તેના માટે મેં તેનો મનપસંદ નાસ્તો બનાવ્યો અને એ તેણે ખાધો ત્યારે મેં રસપૂર્વક તેની સાથે વાતચીત કરી. હું એ દિવસે તેને ટ્યૂશન માં લઈ ગઈ ત્યારે રસ્તામાં ડ્રાઇવ કરતી વખતે પણ મેં તેની સાથે વાર્તાલાપ કર્યો. એ રાતે જમ્યો ત્યારે પણ મેં તેની સાથે વાતચીતનો દોર જાળવી રાખ્યો.
એ સૂવા ગયો ત્યારે પણ મેં તેની સાથે વાત માંડી. મેં તેને 'બિગ બોય' તરીકે ટ્રીટ ન કરવા બદલ તેની માફી માંગી. આ બધું હું બોલી રહી હતી એ દરમ્યાન તે મૂક બની સાંભળી રહ્યો હતો. પણ હવે એ બોલ્યો.
તેણે કહ્યું, "મમ્મી મને ખબર છે કે તું મારા માટે કેટલી મહેનત કરે છે. પણ તું માનીશ, તું જ્યારે મારી સાથે વાત કરે છે ને ત્યારે મને એ સૌથી વધારે ગમે છે. મારા માટે દર વખતે કઇંક નવું રાંધવાની મથામણ ને કારણે તું મારી સાથે વાત કરવાનું ચૂકી જતી હોય તો એ રાંધવાનું મૂકી દે. પણ મારી સાથે વાત કર. "
મુદ્દો આ છે : તેમના માટે સમય કાઢો, તેમની સાથે વાત કરો. તમે એમના માટે શું ખરીદ્યું એ તેમને યાદ રહેશે નહીં. બાળકોને અહમ્ હોતો નથી. તમારી ભૂલ થાય તો તેમની માફી માંગી લો. તેમને પ્રશંસાના શબ્દો કહેતા રહો, તેમને કહેતા રહો કે તમે તેમને કેટલું ચાહો છો. તેમને સતત તમારા તરફથી કંઈક સાંભળતા રહેવાની ખેવના હોય છે. આજની પેઢીના બાળકો જુદાં છે અને તેમની સામે જૂની પરંપરાગત પેરેન્ટીંગ પદ્ધતિઓ ચાલશે નહીં.
પેલા દિવસ પછી મારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે મારા ઘરમાં વધુ શાંતિ છે. મારો પુત્ર હું તેને જે કહું તે સાંભળે છે, મારું બધું કહ્યું માને છે. એ પોતે પણ મને વધુ શાંત અને પાકટ થઈ ગયો હોય એવું લાગે છે. આપણે સૌ માતાપિતા આ જ નથી ઇચ્છતા? આદર્શ માતા કરતા આનંદી માતા હોવું વધારે અગત્યનું છે.
(ઇન્ટરનેટ પરથી)
તેના માટે જ હું એકડે એકથી એકઝોટીક ફૂડ બેક કરતાં અને રાંધતા શીખી છું. લગ્ન પહેલાં તો મને માત્ર ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવતાં આવડતું. મારા પુત્રને મારા હાથે બનાવેલું ખાવાનું ખૂબ ભાવે છે અને રોજ તે રીસેસમાં મમ્મીએ ટિફિન બૉક્સમાં શી સરપ્રાઇઝ આઇટમ મૂકી હશે તેની રાહ જોતો હોય છે!
હું મારા બાળકની દરેક પ્રવૃતિઓ પર ધ્યાન આપતી રહું છું અને કદાચ તેની ધોરણ ૮ ની સમાજ-વિજ્ઞાનની ટીચર કરતાં વધુ જ્ઞાન મને હશે! હું પોતે ડ્રાઇવ કરીને તેને તેનાં દરેક પ્રવૃતિના વર્ગોમાં મૂકવા જાઉં છું અને જ્યારે તે કોઈક સ્પર્ધામાં જીતે ત્યારે હું તેને લાડ લડાવી બગાડું છું!
પણ જેમ જેમ મારો પુત્ર મોટો થતો ગયો છે તેમ તેમ આદર્શ મોમ બનવાની લ્હાયમાં હું ક્યાંક આનંદી મોમ બનવાનું ભૂલી ગઈ છું. એ સમય સાથે પરિવર્તન પામતો ગયો છે, પણ હું નહીં. મારો એ પુત્ર જે એક સમયે મારી પૂજા કરતો હતો, ચિડાવા અને બળવો પોકારવા માંડ્યો છે. મેં આ સમસ્યાના સમાધાન માટે અજ્ઞાત રહી એક હેલ્પલાઇનની મદદ લેવાની પણ કોશિશ કરી, પણ એનાથી કંઈ વળ્યું નથી.
થોડા દિવસ અગાઉ ગુસ્સામાં મેં એની પર હાથ ઉગામ્યો અને ત્યારે એણે મને પ્રતિભાવમાં જે રીતે ઘૂરી એ જોઈને હું ડઘાઈ ગઈ. એ આઘાત પામ્યો, ગુસ્સે થયો અને નિરાશ થયો. તેની આંખો આંસુ અને નફરતથી ભરાઈ ગઈ. તેણે મારી સાથે બોલવું બંધ કરી દીધું. એ રાતે તે મને ગુડ નાઇટ કીસ આપ્યા વગર જ સૂઈ ગયો. પહેલાં એ બસમાં સ્કૂલે જતો હોય તો બસમાંથી હું દેખાવાની બંધ થઈ જાઉં ત્યાં સુધી હાથ હલાવી આવજો કરતો, પણ બીજે દિવસે તેણે સ્કૂલે જતાં મને આવજો કર્યું નહીં
તેના ગયા પછી હું ખૂબ રડી. પણ હું વિચારે ચડી. આ મારા માટે બ્રેક પોઇન્ટ હતો.
મને ખ્યાલ આવ્યો કે મેં તેની સાથે સંવાદ સાધવાનું બંધ કરી દીધું હતું. હું માત્ર તેને ફલાણું કર - ઢીંકણું કર,ક્લાસ માટે તૈયાર થઈ જા, ભણવા બેસ વગેરે કહી આદેશો આપ્યા કરતી. તેના માર્કસ ઓછા આવે ત્યારે હું ખીજાઈ જતી. મેં તેને દિવસ કેવો ગયો, તે કેવું અનુભવે છે, શું વિચારે છે એ બધું પૂછવાનું જ બંધ કરી દીધું હતું. મેં તેને સુવડાવવાનું બંધ કરી દીધું હતું, હું તેને કેટલો પ્રેમ કરું છું એ વ્યક્ત કરવાનું બંધ કરી દીધું હતું.હું તેને ઝટપટ ઉંઘાડી દેતી, જેથી તેનો બીજા દિવસનો ડબ્બો તૈયાર કરી શકું. તે ડબ્બો ખોલી સરપ્રાઇઝ પામવો જોઈએને ?
એ દિવસે આ બધું વિચારતા મેં ઉંડો શ્વાસ લીધો. એ સ્કૂલેથી પાછો ફર્યો ત્યારે મેં સરસ આનંદી સ્મિત સાથે તેને આવકાર્યો. તેના માટે મેં તેનો મનપસંદ નાસ્તો બનાવ્યો અને એ તેણે ખાધો ત્યારે મેં રસપૂર્વક તેની સાથે વાતચીત કરી. હું એ દિવસે તેને ટ્યૂશન માં લઈ ગઈ ત્યારે રસ્તામાં ડ્રાઇવ કરતી વખતે પણ મેં તેની સાથે વાર્તાલાપ કર્યો. એ રાતે જમ્યો ત્યારે પણ મેં તેની સાથે વાતચીતનો દોર જાળવી રાખ્યો.
એ સૂવા ગયો ત્યારે પણ મેં તેની સાથે વાત માંડી. મેં તેને 'બિગ બોય' તરીકે ટ્રીટ ન કરવા બદલ તેની માફી માંગી. આ બધું હું બોલી રહી હતી એ દરમ્યાન તે મૂક બની સાંભળી રહ્યો હતો. પણ હવે એ બોલ્યો.
તેણે કહ્યું, "મમ્મી મને ખબર છે કે તું મારા માટે કેટલી મહેનત કરે છે. પણ તું માનીશ, તું જ્યારે મારી સાથે વાત કરે છે ને ત્યારે મને એ સૌથી વધારે ગમે છે. મારા માટે દર વખતે કઇંક નવું રાંધવાની મથામણ ને કારણે તું મારી સાથે વાત કરવાનું ચૂકી જતી હોય તો એ રાંધવાનું મૂકી દે. પણ મારી સાથે વાત કર. "
મુદ્દો આ છે : તેમના માટે સમય કાઢો, તેમની સાથે વાત કરો. તમે એમના માટે શું ખરીદ્યું એ તેમને યાદ રહેશે નહીં. બાળકોને અહમ્ હોતો નથી. તમારી ભૂલ થાય તો તેમની માફી માંગી લો. તેમને પ્રશંસાના શબ્દો કહેતા રહો, તેમને કહેતા રહો કે તમે તેમને કેટલું ચાહો છો. તેમને સતત તમારા તરફથી કંઈક સાંભળતા રહેવાની ખેવના હોય છે. આજની પેઢીના બાળકો જુદાં છે અને તેમની સામે જૂની પરંપરાગત પેરેન્ટીંગ પદ્ધતિઓ ચાલશે નહીં.
પેલા દિવસ પછી મારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે મારા ઘરમાં વધુ શાંતિ છે. મારો પુત્ર હું તેને જે કહું તે સાંભળે છે, મારું બધું કહ્યું માને છે. એ પોતે પણ મને વધુ શાંત અને પાકટ થઈ ગયો હોય એવું લાગે છે. આપણે સૌ માતાપિતા આ જ નથી ઇચ્છતા? આદર્શ માતા કરતા આનંદી માતા હોવું વધારે અગત્યનું છે.
(ઇન્ટરનેટ પરથી)
સાત ટૂંકી વાર્તાઓ
માઇક્રોસોફ્ટના સી. ઈ. ઓ. સત્યા નાદેલા દ્વારા શેર કરાયેલી સાત ટૂંકી વાર્તાઓ
પાછું વળી જોતાં...
મારા સાઇકોલોજીના વર્ગના એક રિસર્ચ પેપર પર કામ કરતી વેળાએ મેં મારા દાદીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં તેમને તેમના પોતાના શબ્દોમાં સફળતાની વ્યાખ્યા કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો," સફળતા એ છે જ્યારે તમે તમારા જીવનમાં ડોકિયું કરો અને પાછલી સ્મૃતિઓ તમારા ચહેરા પર સ્મિત લઈ આવે."
પ્રેમ વેદના અતિક્રમી જાય છે
મેં મારા પાળેલા કૂતરાને ગાડી નીચે કચડાઈ જતાં જોયો. હું તેની બાજુમાં બેસી પડ્યો, મેં તેને ખોળામાં લીધો અને રડવું શરૂ કર્યું. પણ તેણે મૃત્યુ પામતા પહેલા મારા ચહેરા પરથી આંસુ ચાટી સાફ કરી દીધા.
સાથ
મારા પિતા, ત્રણ ભાઇઓ અને અમે બે બહેનો મારી માતાના હોસ્પિટલના ખાટલાની આજુબાજુ વીંટળાઈ વળ્યા ત્યારે તે અસ્ફૂટ શબ્દો માં બોલી, "હું અત્યારે કેટલો બધો પ્રેમ પ્રાપ્ત કર્યાનું અનુભવી રહી છું! કાશ, આપણે સૌ આ પહેલા પણ આ જ રીતે સાથે વારંવાર મળ્યાં હોત! “
સ્નેહ... થોડો મોડો?
મારા પિતાના કપાળે મેં ચુંબન કર્યું જ્યારે તે નાનકડી એવી એક હોસ્પિટલના બિછાનેથી પરમધામે પ્રયાણ કરી ચૂક્યા હતા. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નાના બાળક તરીકે મેં મારા પિતાને આપેલ પપ્પી બાદનું વર્ષોના વ્હાણા બાદનું એ પ્રથમ અને અંતિમ ચુંબન હતું.
હર્ષ
જ્યારે મેં ૨૭ વર્ષની એ કેન્સર પીડિતાને તેની બે વર્ષની દીકરીના ગતકડાં પર મન મૂકીને ખડખડાટ હસતા જોઈ ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારે મારા જીવનમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈ નાની નાની ખુશીઓની ઉજવણી કરતા શીખવું જોઈએ.
ઉદારતા
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને મારા ભાગેલા પગ અને કાખઘોડીની મદદથી હવાતિયા મારતા જોયો અને તેણે મને મારી ખભે ભરાવવાની બેગ અને પુસ્તકો ઉપાડી લેવાની મદદની તૈયારી બતાવી. આખા કેમ્પસ દરમિયાન તેણે મારું આ વજન ઉંચકી મારા વર્ગ સુધી પહોંચી જાઉં ત્યાં સુધી મને સંગાથ આપ્યો. જતાં જતાં કહ્યું, "જલ્દીજ તમારો પગ સારો થઈ જાય એવી શુભેચ્છા!"
વહેંચીને ખાવું
હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યાં મને ઝિમ્બાબ્વેનો એક શરણાર્થી મળ્યો. તેણે કહ્યું છેલ્લા ત્રણ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું. તે અતિ દુર્બળ અને માંદો દેખાતો હતો. મારા મિત્રે તેને અડધી ખાઈ લીધેલી સેન્ડવિચ આપી ત્યારે તેણે સૌ પ્રથમ કહ્યું, "આપણે એ વહેંચીને ખાઈએ."
જીવન આભારવશતાની લાગણી સાથે જીવો...
(ઇન્ટરનેટ પરથી)
પાછું વળી જોતાં...
મારા સાઇકોલોજીના વર્ગના એક રિસર્ચ પેપર પર કામ કરતી વેળાએ મેં મારા દાદીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં તેમને તેમના પોતાના શબ્દોમાં સફળતાની વ્યાખ્યા કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો," સફળતા એ છે જ્યારે તમે તમારા જીવનમાં ડોકિયું કરો અને પાછલી સ્મૃતિઓ તમારા ચહેરા પર સ્મિત લઈ આવે."
પ્રેમ વેદના અતિક્રમી જાય છે
મેં મારા પાળેલા કૂતરાને ગાડી નીચે કચડાઈ જતાં જોયો. હું તેની બાજુમાં બેસી પડ્યો, મેં તેને ખોળામાં લીધો અને રડવું શરૂ કર્યું. પણ તેણે મૃત્યુ પામતા પહેલા મારા ચહેરા પરથી આંસુ ચાટી સાફ કરી દીધા.
સાથ
મારા પિતા, ત્રણ ભાઇઓ અને અમે બે બહેનો મારી માતાના હોસ્પિટલના ખાટલાની આજુબાજુ વીંટળાઈ વળ્યા ત્યારે તે અસ્ફૂટ શબ્દો માં બોલી, "હું અત્યારે કેટલો બધો પ્રેમ પ્રાપ્ત કર્યાનું અનુભવી રહી છું! કાશ, આપણે સૌ આ પહેલા પણ આ જ રીતે સાથે વારંવાર મળ્યાં હોત! “
સ્નેહ... થોડો મોડો?
મારા પિતાના કપાળે મેં ચુંબન કર્યું જ્યારે તે નાનકડી એવી એક હોસ્પિટલના બિછાનેથી પરમધામે પ્રયાણ કરી ચૂક્યા હતા. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નાના બાળક તરીકે મેં મારા પિતાને આપેલ પપ્પી બાદનું વર્ષોના વ્હાણા બાદનું એ પ્રથમ અને અંતિમ ચુંબન હતું.
હર્ષ
જ્યારે મેં ૨૭ વર્ષની એ કેન્સર પીડિતાને તેની બે વર્ષની દીકરીના ગતકડાં પર મન મૂકીને ખડખડાટ હસતા જોઈ ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારે મારા જીવનમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈ નાની નાની ખુશીઓની ઉજવણી કરતા શીખવું જોઈએ.
ઉદારતા
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને મારા ભાગેલા પગ અને કાખઘોડીની મદદથી હવાતિયા મારતા જોયો અને તેણે મને મારી ખભે ભરાવવાની બેગ અને પુસ્તકો ઉપાડી લેવાની મદદની તૈયારી બતાવી. આખા કેમ્પસ દરમિયાન તેણે મારું આ વજન ઉંચકી મારા વર્ગ સુધી પહોંચી જાઉં ત્યાં સુધી મને સંગાથ આપ્યો. જતાં જતાં કહ્યું, "જલ્દીજ તમારો પગ સારો થઈ જાય એવી શુભેચ્છા!"
વહેંચીને ખાવું
હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યાં મને ઝિમ્બાબ્વેનો એક શરણાર્થી મળ્યો. તેણે કહ્યું છેલ્લા ત્રણ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું. તે અતિ દુર્બળ અને માંદો દેખાતો હતો. મારા મિત્રે તેને અડધી ખાઈ લીધેલી સેન્ડવિચ આપી ત્યારે તેણે સૌ પ્રથમ કહ્યું, "આપણે એ વહેંચીને ખાઈએ."
જીવન આભારવશતાની લાગણી સાથે જીવો...
(ઇન્ટરનેટ પરથી)
Monday, April 29, 2019
ભગવાન છે ને!
એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.
માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’
ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’
માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’
ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’
માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’
ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’
માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’
ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’
માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’
ભગવાન માત્ર હસ્યા.
માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’
ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’
માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ એ. સી. ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’
ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું એ. સી. માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છું ને! તને બચાવવા જ મેં આ બધું કર્યું.’
માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’
ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છું ને! '
(ઇન્ટરનેટ પરથી)
Saturday, April 20, 2019
ચૂંટણીમાં વોટ વિચારીને આપજો!
એક હોસ્ટેલની કેન્ટીનમાં રોજ સવારે નાસ્તામાં ઉપમા પીરસવામાં આવતો. મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉપમાથી કંટાળી ગયા હતાં અને તેમણે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો, વોર્ડન ને ફરિયાદ કરી અને સવારના નાસ્તામાં કઇંક નવું આપવાની માંગણી કરી. પણ કુલ સો માંથી વીસ વિદ્યાર્થીઓ એવા હતાં જેમણે ક્યારેય ઉપમા સિવાય અન્ય કંઈ ચાખ્યું જ નહોતું અને તેઓ બદલાવ નહોતા ઝંખતા. વોર્ડને નવી વાનગીઓનું એક લિસ્ટ તૈયાર કર્યું અને વિદ્યાર્થીઓને પોતપોતાની પસંદગી મુજબ વોટ આપવા કહ્યું. પેલા વીસ વિદ્યાર્થીઓએ અન્ય વિકલ્પો જોવાની પણ દરકાર કર્યા વગર ઉપમાને જ મત આપ્યો.
હવે બાકી એંસી વિદ્યાર્થીઓએ સંગઠિત થયા વગર અલગ અલગ વાનગીઓ પસંદ કરી. ૧૮ જણે ઢોસા પસંદ કર્યાં, ૧૬ જણે રોટલીને મત આપ્યો, ૧૪ જણે ઈડલી પર પસંદગીની મહોર મારી,૧૨ જણે બ્રેડ-બટર પસંદ કર્યાં અને ૧૦ - ૧૦ જણે પોંગલ અને નૂડલ્સને વોટ આપ્યાં.
કહેવાની જરૂર ખરી કેન્ટીનમાં ઉપમા જ સવારના નાસ્તામાં ચાલુ રહ્યો.
ચૂંટણી આવી રહી છે... વિચારીને વોટ આપજો!
(ઇન્ટરનેટ પરથી)
હવે બાકી એંસી વિદ્યાર્થીઓએ સંગઠિત થયા વગર અલગ અલગ વાનગીઓ પસંદ કરી. ૧૮ જણે ઢોસા પસંદ કર્યાં, ૧૬ જણે રોટલીને મત આપ્યો, ૧૪ જણે ઈડલી પર પસંદગીની મહોર મારી,૧૨ જણે બ્રેડ-બટર પસંદ કર્યાં અને ૧૦ - ૧૦ જણે પોંગલ અને નૂડલ્સને વોટ આપ્યાં.
કહેવાની જરૂર ખરી કેન્ટીનમાં ઉપમા જ સવારના નાસ્તામાં ચાલુ રહ્યો.
ચૂંટણી આવી રહી છે... વિચારીને વોટ આપજો!
(ઇન્ટરનેટ પરથી)
Subscribe to:
Posts (Atom)