Saturday, September 27, 2014

"દ્રષ્ટિ"ની જરૂર છે...


નદી છીછરી હોવા છતાંય ગમે છે કારણ ...આપણી આંખ સામે એનું છીછરાપણું નહી પણ એનું મીઠું પાણી હોય છે...

સાગર ખારો હોવા છતાંય એની પ્રશંસા કરીએ છીએ કારણ ...એની ગંભીરતા દેખાય છે...

છોડ પર કાટાં હોવા છતાંય આકર્ષણ થાય છે કારણ ...આંખ સામે કાંટા નહી પરંતુ પણ એની વચ્ચે ખીલેલું ગુલાબ હોય છે ...

સામી વ્યક્તિમાં સંખ્યાબંધ દોષો હોવા છતાંય એને ચાહતા રહેવામાં આપણને કોઇ તકલીફ પડે એવી "દ્રષ્ટિ"ની જરૂર છે...

કારણ ...આખરે તો આત્મા અનેક ગુણોનો માલિક છે...!!!

 
('ઈન્ટરનેટ પરથી')

Tuesday, September 23, 2014

અતિ ગરીબીએ પણ તેને ડગાવ્યો નહિ...


પ્રસંગ થોડા વર્ષો અગાઉ કર્ણાટકમાં બનેલી સત્યઘટના છે જે સુશ્રી સુધા મૂર્તિના પુસ્તક 'વાઈસ એન્ડ અધરવાઈસ'ના પહેલા પ્રકરણમાં સમાવવામાં આવ્યો છે. વાર્તાનો હીરો હનુમાનથપ્પા કર્ણાટક સ્કૂલ બોર્ડ પરીક્ષામાં આઠમા ક્રમે આવ્યો હતો. એક કુલીના પાંચ સંતાનો પૈકી તે સૌથી મોટો હતો. તેના પિતાની દૈનિક આવક માત્ર રૂપિયા ચાલીસ હતી. ઇન્ફોસીસ ફાઉન્ડેશન ચલાવનાર સુધાજીએ તેના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી. પણ તેણે કહ્યું,"મારે બેલ્લારીમાં આવેલી શિક્ષકોની પ્રશિક્ષણ સંસ્થામાં શિક્ષક બનવાની તાલીમ લેવી છે."

સુધાજીએ તેને મહિનાના ૧૮૦૦ રૂપિયા લેખે શિષ્યવૃત્તિ આપી અને ભવિષ્યમાં પણ સહાય આપવાનું વચન આપ્યું. મહિના બાદ તેમણે ફરી તેને રૂપિયા ૧૮૦૦નો ડ્રાફ્ટ મોકલાવ્યો. તેણે મળ્યાની જાણ ચિઠ્ઠી લખી કરી જે વાંચીને સુધાજીને ખુબ નવાઈ લાગી. તેમણે જ્યારે ચિઠ્ઠી ધરાવતું પરબિડીયું ખોલ્યું ત્યારે તેમાં થોડા રૂપિયા અને એક ચિઠ્ઠી હતાં. ચિઠ્ઠીમાં પ્રમાણે લખ્યું હતું :

 "મેડમ, મને આગામી મહિના માટે ખર્ચ પેઠે ૧૮૦૦ રૂપિયાની રકમ મોકલી આપવાની તમારી ઉદારતા બદલ તમને વંદન.પણ હું પાછલા બે મહિનાથી બેલ્લારીમાં નથી.કોલેજ એક મહિનો વેકેશનને કારણે અને ત્યાર બાદ એક મહિનો હડતાળને લીધે બંધ હતી. આથી બે મહિના માટે હું ઘરે હતો.મારો બે મહિના દરમ્યાન થયેલો ખર્ચ છસ્સો રૂપિયા કરતા ઓછો હતો. આથી બે મહિના દરમ્યાન ખર્ચ કરેલી રકમના પૈસા પરત મોકલી રહ્યો છું, તેનો સાભાર સ્વીકાર કરશો."

પ્રમાણિકતા અને અખંડિતતા બે એવા મંત્રો છે જે અપનાવીએ તો તે માત્ર તમારી નહિ પણ તમારા નિકટજનોની  જિંદગી પણ સુધારે છે અને સૌના મોં પર સ્મિત લાવે છે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 13, 2014

મારી સાથે જ આવું શા માટે?


કેટલીક વાર આપણને વિચાર આવે છે  'મેં એવું તે શું કર્યું  કે મારે દિવસ જોવાનો વારો આવ્યો?' અથવા 'ભગવાને મારી સાથે આવું શા માટે કર્યું હશે?'

આવો પ્રશ્ન તમારા મનમાં ઉઠતો હોય તો વાંચો.

એક દિકરી પોતાની માને પૂછી રહી હતી કે તેની સાથે બધું અવળું શા માટે થઈ રહ્યું છે? તે ગણિતમાં નાપાસ થઈ, તેના પ્રિય મિત્રે તેની સાથે મિત્રતા તોડી નાંખી અને તે જીવનમાંથી રસ ગુમાવી રહી છે.

સમયે તેની માતા કેક બનાવી રહી હતી.

તેણે પોતાની દિકરી સામે સ્નેહપૂર્વક જોયું અને તેને પૂછ્યું શું તે કેક ખાશે?

દિકરીએ કહ્યું 'ચોક્કસ મા...તારા હાથની બનાવેલી કેક તો મને ખૂબ ભાવે છે.'

તેની માતાએ તેને કહ્યું,' એમ? તો લે રાંધવાનું તેલ લે.'

દિકરી મોં ચડાવતા બોલી,'યક!'

માતાએ કહ્યું' થોડા કાચા ઇંડા લે...'

દિકરી બોલી,'છી!'

મા કહે,'તો પછી દિકરી તને થોડો લોટ આપું કે ખાવાનો સોડા?'

દિકરી બોલી,'મા તને થયું છે શું? બધી વસ્તુઓ મને દિઠ્ઠીયે ગમતી નથી!'

માતા બોલી,'દિકરી બધી વસ્તુઓ તને ખરાબ લાગે છે જ્યારે તું તેમને જુદી જુદી તેમના મૂળ સ્વરૂપે જુએ છે. પણ જો બધી યોગ્ય પ્રમાણમાં એકબીજા સાથે ભેળવવામાં આવે ત્યારે તેમાંથી સ્વાદિષ્ટ મીઠ્ઠી કેક બને છે!

ઇશ્વર પણ રીતે કામ કરે છે.ઘણી વાર આપણને એવો વિચાર આવે છે કે શા માટે તે આપણને આટલા કપરા કાળમાંથી પસાર થવાની ફરજ પાડતો હશે? પણ તે સારી રીતે જાણે છે કે જ્યારે બધી કપરી ક્ષણોનો સરવાળો થશે ત્યારે તેમાંથી એક સુંદર ભાત રચાઈ જીવનમાં સુંદર સુખની ક્ષણો સર્જાશે. બસ આપણે તેનામાં શ્રદ્ધા રાખવાની છે અને તે સઘળું સારૂં કરશે!’

ઇશ્વર તમારા પ્રત્યે અપાર મમતા ધરાવે છે.તે દરેક વસંતે તમને સુંદર પુષ્પોની ભેટ આપે છે.તે રોજ તમને સોનેરી સવારની ભેટ ધરે છે.જ્યારે તમારે કંઈક કહેવું હશે ત્યારે તે સાંભળવા તૈયાર હોય છે.તે બ્રહ્માંડમાં ગમે ત્યાં રહી શકે છે પણ છતાં તેને તમારા હ્રદયમાં વાસ કરવો વિશેષ પસંદ છે.

તમને વાત ગમી હોય તો તેને તમારા સ્નેહીજનો-મિત્રો સાથે વહેંચશો.

જીવન આપણને જેની કામના હોય તેવી પાર્ટી પણ હોય છતાં આપણે અહિ છીએ તો આપણે થોડું નાચી લેવું જોઇએ!


('ઈન્ટરનેટ પરથી')                      

Saturday, September 6, 2014

પ્રાણીઓ,પંખીઓ અને જીવજંતુઓ વિશેની રસપ્રદ માહિતી


* કીડીઓ સૂતી નથી.

* ઘુવડની આંખો નળાકાર હોય છે જેથી એ તેને ફેરવી શકતું નથી.

* પંખીને તેના કદ કરતા વધુ પ્રમાણમાં ખોરાક જોઇએ છે.

* અમેરિકામાં સૌથી વધુ સામાન્ય સસ્તન પ્રાણી ઉંદર છે.

* તાજા જન્મેલા બાળ કાંગારૂની લંબાઈ માત્ર એક ઇન્ચ જેટલી હોય છે.

* ગાય પોતાના જીવન દરમ્યાન બે લાખ ગ્લાસ ભરી દૂધ આપે છે.

* કેનેરી ટાપુઓનું નામ કૂતરાની એક ખાસ જાત પરથી પાડવામાં આવ્યું હતું.

* કૂતરાની ૭૦૧ જાત/ બ્રીડ હોય છે.

* પોલકેટ એ બિલાડી નહિ પરંતુ નોળિયાને મળતું આવતું એક પ્રકારનું નિશાચર પ્રાણી છે.

* જેના કારણે સૌથી વધુ મનુષ્યોના મૃત્યુ થતાં હોય તેવો જીવ મચ્છર છે.

* અત્યાર સુધીના સૌથી મોટા ભૂંડનો રેકોર્ડ ૧૯૩૯ના ઉત્તર કેરોલીના ના બ્લેક માઉન્ટીએન ના બિગ બોયના નામે છે જેનું વજન ૧૯૦૪ પાઉન્ડ હતું.

* જે નામ કે શબ્દોને અંતે 'ઈ' એવા ઉચ્ચાર વાળો અક્ષર હોય તેના પર બિલાડી વધુ ઝડપે, ત્વરીત પ્રતિભાવ આપે છે.

* બિલાડી પોતાના નાકની સીધું નીચે જોઈ શકતી નથી.

* ભૂંડ, વોલરસ અને ઝાંખો રંગ ધરાવતા ઘોડા પણ સૂર્ય તાપથી દાઝી જઈ શકે છે.

* સાપ પોતાના ઝેરથી અસર પામતો નથી.

*ઇગ્વાના નામનું ઘો જેવું પ્રાણી પાણી નીચે ૨૮ મિનિટ સુધી રહી શકે છે.

* કીડી કે મંકોડો જ્યારે ઝેર કે દવાની અસર પામી બેહોશ થાય ત્યારે પોતાના જમણા પડખે ઢળી પડે છે.

* માત્ર એક કલાક માટે હેડફોન પહેરવાથી તમારા કાનમાં બેક્ટેરીયાનું પ્રમાણ સાતસો ગણું વધી જાય છે.

* કૂતરા માત્ર દસ જુદા જુદા પ્રકારના સ્વર કાઢે છે જ્યારે બિલાડી સો જેટલાં.

* બિલાડી વર્ગનું સૌથી મોટું પ્રાણી નર સિંહ છે જેનું વજન ૫૨૮ પાઉન્ડ કે ૨૪૦ કિલો જેટલું હોય છે.

* મોટા ભાગની લિપસ્ટીકમાં માછલીના શરીર પરના ભિંગડાનો ઉપયોગ થયો હોય છે.

* એક માત્ર ખાદ્ય પદાર્થ જે ક્યારેય ખરાબ થતો નથી એ છે મધ.

* ઉંદરોની પ્રજોત્પત્તિ એટલી ઝડપથી વધે છે કે માત્ર અઢાર મહિનામાં બે ઉંદરોમાંથી દસ લાખ જેટલા ઉંદર પેદા થઈ શકે છે.

 

છેલ્લે પ્રાણીઓ વિશે ટાંકેલા કેટલાક સુંદર અવતરણો જોઇએ...

હું એવા માણસના ધર્મની બિલકુલ દરકાર કરતો નથી જે તેના કૂતરા અને બિલાડી માટે સારો ન હોય.

- અબ્રાહમ લિંકન

આ જગતમાં કૂતરો એક માત્ર છે જે તમને તમારી જાત કરતાં પણ વધુ પ્રેમ કરે છે.

- જોશ બિલિંગ્સ

પ્રાણીઓ કેટલાં સમજુ અને ભોળા મિત્રો છે ,તેઓ ક્યારેય આપણને કોઈ પ્રશ્ન પૂછતાં નથી કે ક્યારેય આપણી કોઈ ટીકા કરતા.

- જ્યોર્જ એલિયોટ

કોઈ પણ માણસના હ્રદયની શુદ્ધતા માપવી હોય તો ચકાસી લો તે પ્રાણીઓ પ્રત્યે કેવું વર્તન દાખવે છે.

- અજ્ઞાત


('ઈન્ટરનેટ પરથી')