Saturday, May 25, 2019

મમળાવવા જેવા સુવિચારો

મનુષ્યો વચ્ચે પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે, તેમની વચ્ચે હોય છે એ હોય છે લગાવ કે વળગણ.

આપણને મારી નાખે છે એ તાણ કે સ્ટ્રેસ નહીં પરંતુ તેની સામેની આપણી પ્રતિક્રિયા હોય છે.
     
આભને મર્યાદા નથી હોતી, મર્યાદા હોય છે તમારા આત્મવિશ્વાસને.

જે ક્યારેય હાર માનતું જ ન હોય તેને ક્યારેય કોઈ હરાવી શકતું નથી.

શ્રેષ્ઠતા કોઈ અકસ્માત નથી, એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે.

જ્યારે આપણે પ્રેમમાં હોઈએ છીએ ત્યારે આપણે સૌથી વધુ જીવંત હોઈએ છીએ.

આત્મવિશ્વાસ પ્રગતિ નું પ્રથમ પગથિયું છે.

મહત્વકાંક્ષા જીવન માટે પ્રાણ સમાન છે.

જ્યારે તમે જે જોઈતું હોય એ મેળવવા કામ કરતા હોવ ત્યારે તમારી પાસે જે હોય છે તેનાથી સંતુષ્ટ અને ખુશ રહો.

જીવન એટલે અપેક્ષિત વસ્તુઓ માટે ઝૂરવું અને બિનઅપેક્ષિત વસ્તુઓનો સામનો કરવો.

જો તમે તમારા બાળપણને સાથે રાખી જીવશો તો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ.

અંતે સૌ સારાવાના થશે, જો તમે અંત સુધી એવી આશા ટકાવી રાખશો તો.

જ્યારે એમ કરવું બિનઆરામદાયી કે કષ્ટદાયક હોય ત્યારે પણ સંવાદ સાધતા રહો.

આજની મહામુસીબત આવતી કાલે સાવ ક્ષુલ્લક વાત સાબિત થાય છે.

અંતે કઈ રીતે એ મહત્વનું છે, નહીં કે કેટલું.

 જીવન તમને એટલું જ આપે છે જેટલું તમે ઝંખ્યું હોય.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment