૧. તમારી ભાષા નિર્મળ બનાવી દો, સઘળાં ઝેરી શબ્દો ત્યાગી દો. નકારાત્મક શબ્દો બોલવા બંધ કરી દો. નમ્ર બનો.
૨. રોજ વાંચો. ગમે તે વાંચો. પણ ચોક્કસ વાંચો.
૩. જાતને વચન આપો કે ક્યારેય માતાપિતા સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરીશ નહીં. તેમનું અપમાન ક્યારેય થવું જોઈએ નહીં.
૪. તમારી આસપાસ ના લોકોનું નિરીક્ષણ કરો. તેમના સદગુણો તમારા જીવનમાં ઉતારો.
૫. રોજ થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં ગાળો.
૬. રસ્તે રઝળતાં પ્રાણીઓને ખવડાવો. ભૂખ્યાને ખવડાવીને ખૂબ સારી લાગણી અનુભવાય છે.
૭. અહમ્ નહીં, અહમ્ નહીં, અહમ્ નહીં. માત્ર અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ, અભ્યાસુ વૃત્તિ.
૮. શંકાનું સમાધાન કરતા ક્યારેય ખચકાટ ન અનુભવો. કોઈ પ્રશ્ન કરે તો તે પાંચ મિનિટ માટે મૂરખ ઠરે છે પણ જે પ્રશ્ન જ નથી કરતો તે સદાને માટે મૂરખ રહે છે.
૯. જે કંઈ પણ કરો તે પૂરી સમર્પિતતા સાથે કરો. આ જ સાચું ધ્યાન છે.
૧૦. નકારાત્મક લોકોથી દૂર રહો પણ કોઈ પ્રત્યે ક્યારેય પૂર્વગ્રહ ન રાખો.
૧૧. તમારી જાતની અન્યો સાથે સરખામણી કરવાનું બંધ કરો. જો તમે એમ નહીં કરો તો તમે તમારું ખરું કૌવત ક્યારેય જાણી નહીં શકો.
૧૨. જીવનની મોટામાં મોટી નિષ્ફળતા પ્રયત્ન ના કરવામાં છે. આ હંમેશા યાદ રાખો.
૧૩. હું રડ્યો કારણ મારી પાસે પગમાં પહેરવા જૂતા નહોતા, પણ જ્યારે મેં એક વ્યક્તિને જોઈ જેને પગ જ નહોતા ત્યારે મેં રડવાનું બંધ કરી દીધું. ક્યારેય ફરિયાદ કરશો નહીં.
૧૪. તમારા દિવસનું આયોજન કરો. એમાં થોડો જ સમય જશે પણ એમ કરવાથી તમારો ઘણો બધો સમય વેડફાતો અટકી જશે.
૧૫. દરરોજ થોડો સમય મૌન ધારણ કરી બેસો. તમારી જાત સાથે એ સમય ગાળો. માત્ર તમારી જાત સાથે. ચમત્કાર થશે!
૧૬. તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં વસે છે, તેમાં કચરો પધરાવશો નહીં.
૧૭. થોડી થોડી વારે પાણી પીતા રહો. દિવસના ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો.
૧૮. રોજ કાચા શાકભાજીનું સલાડ ઓછામાં ઓછી એક વાર ખાવાની આદત કેળવો.
૧૯. તમારા આરોગ્યનું ધ્યાન રાખો. જેની પાસે તંદુરસ્તી છે તેની પાસે આશા છે અને જેની પાસે આશા છે તેની પાસે સઘળું છે.
૨૦. જીવન ટૂંકુ છે. જીવન સરળ રાખો. તેને સંકુલ ન બનાવો. સદાયે સ્મિત આપવાનું ન ભૂલો.
આ નુસખા રોજ વાંચો અને તેને અમલમાં મૂકો.
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment