લેહ જતાં માર્ગમાં આવતા એક નાનકડા ગામમાં આવેલ બૌદ્ધ મઠમાં આ લખાણ વાંચવા મળે છે, જે સમજવું સરળ નથી, પરંતુ જો એ આચરવામાં આવે તો જીવન સમૂળગું બદલાઈ જશે એ નક્કી!
સુખી આત્મા કોણ છે?
૧. સુખી આત્મા એ છે જે અન્યને બદલવાનો પ્રયત્ન કરતો નથી, પણ પોતે પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
૨. સુખી આત્મા એ છે જે અન્યોને તેઓ જેવા છે તેવા સ્વીકારે છે.
૩. સુખી આત્મા એ છે જે સમજે છે કે દરેક જણ પોતપોતાની દ્રષ્ટિએ સાચું હોય છે.
૪. સુખી આત્મા એ છે જે જતું કરતા શીખે છે.
૫. સુખી આત્મા એ છે જે દરેક સંબંધ માંથી અપેક્ષા છોડી દે છે અને જે માત્ર આપવાની ભાવનાથી આપે છે.
૬. સુખી આત્મા એ છે જે સમજે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે આપણી પોતાની શાંતિ ખાતર કરીએ છીએ.
૭. સુખી આત્મા એ છે જે દુનિયા સમક્ષ પોતે કેટલો /કેટલી બુદ્ધિશાળી છે એ સાબિત કરવાનું છોડી દે છે.
૮. સુખી આત્મા એ છે જે અન્યો પાસેથી સ્વીકૃતિ યાચતો નથી.
૯. સુખી આત્મા એ છે જે અન્યો સાથે સરખામણી કરતો નથી.
૧૦. સુખી આત્મા એ છે જે પોતાની જાતથી સંતુષ્ટ, ખુશ છે.
૧૧. સુખી આત્મા એ છે જે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ સમજે છે અને ઈચ્છાઓ ત્યાગી શકે છે.
૧૨. સુખી આત્મા એ છે જે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું છોડી દે છે.
દરેક ને સુખી આત્મા તરીકે નું જીવન પ્રાપ્ત થાઓ!
ઝળકતા રહો અને વિકસતા રહો!
(ઇન્ટરનેટ પરથી)
Very inspirational
ReplyDelete