જન્મભૂમિની
લોકપ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારીત પ્રથમ પુસ્તક 'કથા કોર્નર'ની પાંચમી આવૃત્તિ
ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય દ્વારા પ્રગટ કરવામાં આવી છે.'ઇન્ટરનેટ કોર્નર' શ્રેણીના
કુલ આઠ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રગટ થઈ ચૂક્યા છે.કથા કળશ,સ્પર્શ અને ઉપહાર આ શ્રેણીના
તાજેતરમાં પ્રગટ થયેલા ત્રણ પુસ્તકો છે.અન્ય મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો પણ સારી
એવી લોકપ્રિયતા પામ્યા છે અને તેમની પણ ચાર આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે.
Saturday, January 30, 2016
પ્રધાનમંત્રી શા માટે વારંવાર વિદેશ યાત્રાએ જાય છે?
સંસદનાં
પાછલાં એકાદ સત્રમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે શા માટે
તેઓ વારંવાર વિદેશ યાત્રાએ જાય છે. તેમના આ વક્તવ્યને આજના ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ
કર્યું છે.
“
પાછલા સત્રમાં
અમારી ખુબ મજાક ઉડાવવામાં આવી. મને નથી ખબર જે પ્રકારની ભાષાનો
ઉપયોગ કરાયો એ ઉચિત છે
કે નહિ. આટલે સુધી કહેવામાં આવ્યું કે તમને પાર્લામેન્ટમાં
આવવાનો વિઝા આપવામાં આવે છે.આ પ્રકારની
ભાષાનો ઉપયોગ કરનારા લોકોને હું બીજુ તો કંઈ કહેવા
નથી ઇચ્છતો પણ એટલું જરૂર
કહીશ કે આંતરરાષ્ટ્રીય સ્થળો
પર કેટલાક કામો નિર્ધારીત કરેલા હોય છે જે કરવા
પડે છે. એ બેઠકોમાં આ
અગાઉ જે વડાપ્રધાનો થઈ
ગયા તેમણે પણ જવું પડતુ
હતું,મારે પણ જવું પડે
છે અને ભવિષ્યમાં જે વડાપ્રધાન બનશે
તેમણે પણ જવું પડશે. શું આપણી રાજનીતિ એટલી નીચા સ્તરે ઉતરી ગઈ છે કે આ
મજાકનો વિષય બની જાય ?આવી વાતોની આપણે સંસદમાં ચર્ચા કરવી પડે છે. શું તમારી પાસે મારી આલોચના કરવા અન્ય કોઈ મુદ્દા બચ્યા નથી. પણ હું કહેવા
ઇચ્છું છું કે જો તમને
દેશની એટલી ચિંતા હોય તો આપ પ્રધાનમંત્રી
વિદેશ ગયા, ત્યાં તેમણે કેટલો સમય ક્યાં અને કઈ રીતે વિતાવ્યો એની
પણ તો તપાસ કરી
લેવી હતી.
હું
આજે કહેવા ઇચ્છું છું કે હું જાપાન
ગયો ત્યાં એક કાર્યક્રમ મેં
ત્યાંના નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની યાકામાહોને મળવા જવાનો ગોઠવી દીધો. શા માટે? ફોટો
પડાવવા માટે? હું એટલા માટે ત્યાં ગયો જેથી એમણે કરેલી સ્ટેમસેલની શોધ વિશે વધુ જાણી શકાય.એ આપણા દેશ
માટે ખુબ ઉપયોગી સાબિત થઈ શકે એમ
છે.કારણ કે હું જાણું
છું કે મારા દેશના
આદિવાસીઓએ પરંપરા ગત એવી એક ભયંકર
બિમારી સામે ઝઝૂમવું પડે છે જે કેન્સરથી
પણ ભયાનક હોય છે. જેમણે આ બિમારી વિશે
જાણકારી મેળવી છે તેને પૂછો
તો ખબર પડશે કે આ બિમારી
કેટલી પીડાદાયક હોય છે.અત્યાર સુધી
તેની કોઈ દવા નથી શોધાઈ.એક માત્ર આશા
છે - જાપાનના એ વિજ્ઞાની દ્વારા
શોધાયેલા સ્ટેમસેલથી આ બિમારી મટી શકે છે. અમે ગયા તો ત્યાં તેમને
મળવા ગયા અને ત્યાં એ સ્ટેમસેલ વિશે
ચર્ચા કરી જેને પરીણામે આપણા બેંગ્લોરના વૈજ્ઞાનિકો આજે આ દિશામાં કાર્ય
કરી રહ્યા છે.આ સ્ટેમસેલ
દ્વારા આપણા યુવા વૈજ્ઞાનિકો કંઈક શોધખોળ કરે અને આપણા આદિવાસી ભાઈબહેનો ને પેઢી દર
પેઢી જે મુશ્કેલીઓનો સામનો
કરવો પડે છે, એમાંથી તેમને મુક્તિ મળે.
અમે
ઓસ્ટ્રેલિયા ગયા. G-૨૭ માં
ગયા , ત્યાં જઈ અમે શું
કર્યું? હું
ત્યાંના કૃષિ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળામાં ગયો.જેમણે પ્રતિ હેક્ટર વધુ ચણા ઉગાડવાનો અને સૌથી ખરાબ ધરતી પર ચણા ઉગાડવાનો
સફળ પ્રયોગ કર્યો હતો.આ મેં
ક્યાંક વાંચ્યું હતું. હું તેમની પાસે ગયો. આપણા દેશમાં ધાન્ય ની ખુબ જરૂર
છે અને તેના ઉત્પાદનમાં આપણો દેશ ઘણો પાછળ છે. ગરીબ માણસને પોષણ માટે પ્રોટીન ની જરૂર છે
જે તેને દાળમાંથી મળે છે,ધાન્યમાંથી મળે
છે. જો આપણો ખેડૂત
સારા પ્રમાણમાં ધાન્ય પેદા કરી શકે તો તેને પણ
સારી આવક પ્રાપ્ત થશે અને ગરીબ પ્રજાનું પણ ભલુ થશે.
હું આ માટે ઓસ્ટ્રેલિયાના
વૈજ્ઞાનિકો પાસે ગયો હતો પાંચ છ કલાક મળવા
માટે જેથી મારા દેશના ખેડૂતોને જાણકારી મળી શકે કે કઈ રીતે
વધુમાં વધુ ધાન્ય પેદા કરી શકાય.ચણા વધુ પેદા કરવા માટે શો રસ્તો હોઈ
શકે?દરેક આહાર વધુ પેદા કરવા માટે શો રસ્તો હોઈ
શકે. એના માટે મેં ત્યાં સમય વિતાવ્યો હતો.
હું
એક વૈજ્ઞાનિકને મળવા ગયો હતો. તેમણે કેળામાં કોઈક નવી શોધ કરી હતી.મને આ વિશે સંપૂર્ણ
માહિતી નહોતી એટલે હું તેમને મળવા ચાલ્યો ગયો.તેમના પ્રયોગો જોયા.તેમણે કેળાનાં પોષક તત્વો વધારવામાં સફળતા મેળવી છે.કેળું અમીરો
નું ફળ નથી.એ
ગરીબોનું ફળ છે.કેળુ
એક ગરીબ માં ગરીબ નાગરીકનું ફળ છે.જો
કેળાના પોષક તત્વો વધે , વિટામીન જો વધુ પ્રમાણમાં
મળે અને જો આ રીતે
કરેલી શોધથી કેળુ મેળવવામાં આવે તો મારા દેશનો
ગરીબ માં ગરીબ નાગરીક કેળુ ખાવા પામે અને તેને વધુ તાકાત મળશે.
વિદેશ
જતી વખતે દેશનો ગરીબ નાગરીક મારા મગજમાં હોય છે.દેશનો આદિવાસી
મારા મગજમાં હોય છે,દેશનો ખેડૂત
મારા મગજમાં હોય છે.અને દુનિયામાં
જે પણ સારૂ છે
જે મારા દેશના ગરીબોને કામ આવે એ માટે તેને મારા દેશમાં લાવવાની
તડપ હોય છે એ તડપથી
પ્રેરાઈ અમે કોશિશ કરીએ છીએ અને આ માટે સમયનો
સદુપયોગ કરીને અમે અમારા દેશને આગળ વધારવામાટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. “
('ઈન્ટરનેટ
પરથી')
ક્રોધ અને ખાલી હોડી
એક
સાધુએ એક વાર એકાંતમાં
તેના મઠથી દૂર ધ્યાન ધરવાનું નક્કી કર્યું. મઠ નજીક જ
આવેલા એક તળાવમાં તે
પોતાની નાવ હંકારી, તળાવના મધ્ય ભાગ સુધી પહોંચી ગયા અને ત્યાં તેમણે નાવને લાંગરી આંખો બંધ કરી ધ્યાન ધરવાની શરૂઆત કરી.
થોડા
કલાક બિલકુલ હેરાનગતિ વગર ધ્યાનમાં વિતાવ્યા બાદ અચાનક અન્ય એક હોડી તેમની
નાવ સાથે ટકરાતા સાધુએ ઝટકો અનુભવ્યો. આંખો બંધ જ હોવા છતાં
સાધુએ અંદર ક્રોધ ઉત્પન્ન થતો અને વધતો અનુભવ્યો. અને આંખ ખોલતા સુધીમાં તો એ તેમની
ધ્યાન મગ્ન અવસ્થામાં ખલેલ પહોંચાડનારને ઘાંટા પાડી ધમકાવવા તૈયાર થઈ ગયા.
પણ
આંખો ખુલી ત્યારે એમણે જોયું કે તેમની નાવને
ભટકાનાર હોડી તો ખાલી હતી,તેમાં કોઈ બેઠુ નહોતું. લંગારાયેલી ન હોવાને કારણે
તે હવા ના વહેણ સાથે
તળાવના મધ્ય સુધી આવી પહોંચી હશે અને પછી સાધુની નાવને અનાયાસે જ ભટકાઈ પડી
હશે. પણ આ જોઈ
એ ક્ષણે જ સાધુને એ
સત્યનું જ્ઞાન લાધ્યું કે ક્રોધ તો
તેની પોતાની અંદર જ હતો; એને
માત્ર જરૂર હતી કોઈ બાહ્ય પદાર્થની જે સામો ટકરાઈ
તેને બહાર લાવી શકે.
એ
ઘડીથી જ્યારે જ્યારે કોઈ તેમને ભડકાવવાનો , ચિડવવાનો કે ખિજવવાનો પ્રયત્ન કરતું
ત્યારે તેઓ પોતાની જાતને યાદ અપાવતા "સામો માણસ માત્ર ખાલી હોડી સમાન છે.ક્રોધ તો
મારી અંદર છે, જેને મારે બહાર આવવા દેવાનો નથી."
('ઈન્ટરનેટ
પરથી')
એ.પી.જે.અબ્દુલ કલામ દ્વારા કહેવાયેલી કેટલીક માર્મિક વાતો
* તમારા
પ્રથમ વિજય પછી આરામ ન
કરવા માંડતા કારણ જો બીજા પ્રયત્ને
તમે નિષ્ફળ ગયા તો તમારો પ્રથમ
વિજય માત્ર સદનસીબને આભારી હતો એમ કહેનારા વધુ
લોકો રાહ જોઇને જ બેઠા હશે.
* બધાં જ પક્ષીઓ વરસાદ
દરમ્યાન પોતાનો આશરો શોધી લેતા હોય છે પણ ગરુડ
વાદળોની પણ ઉપર ઉડે
છે અને તેને વરસાદનો સામનો જ કરવો પડતો
નથી.
* જો મારી સફળતાની
વ્યાખ્યા જોઇએ એટલી મજબૂત હશે તો નિષ્ફળતા ક્યારેય
મને અતિક્રમી જઈ શકશે નહિ.
* માનવી ના જીવનમાં મુશ્કેલીઓ
જરૂરી છે કારણ એ
હોય તો જ તે
સફળતાનો સાચો આનંદ માણી શકશે.
* જો તમારે સૂર્યની
માફક ઝળકવું હોય તો પહેલા એની
જેમ બળતા શીખો.
* કોઈને
હરાવવું સહેલું છે પણ કોઈને
જીતી લેવાનું ખુબ અઘરૂં છું.
* આપણામાંના બધાં પાસે સરખી આવડત હોતી નથી પણ આપણી આવડતને
વિકસાવવાની તક દરેકને સરખી
મળતી હોય છે.
* ઝડપી પણ અકુદરતી ખુશી
પાછળ દોડવા કરતા નક્કર સિદ્ધિઓ મેળવવા માટે વધુ સમર્પિત બનો.
* જીવનમાં ગમે એવા ચડ-ઉતર આવે,વિચારશીલતાને તમારી મૂડી બનાવજો.
* તમારા ઇન્વોલ્વમેન્ટ વગર તમે સફળ થઈ શકો નહિ
અને તમારા ઇન્વોલ્વમેન્ટ સાથે તમે નિષ્ફળ જઈ શકો નહિ.
('ઈન્ટરનેટ
પરથી')
Saturday, January 16, 2016
તમારા બાળકો અને ભણતર
તમારા બાળકો જાતે ભણે એવી આદત તેમને કઈ રીતે પાડશો :
૧ મારે જતુ કરવાની આદત પાડવી પડી. હું કડક અનુશાસક અને શિસ્તની ચુસ્ત આગ્રહી
છું આથી તેઓ જે કંઈ કરે તે બધું મને જાણવું
ગમતું. પણ મારે તેમના વિકાસ માટે જતું કરતા શિખવું પડ્યું. પહેલેથી જ માબાપે જતું કરવાની
ટેવ પાડવી જોઇએ. આનાથી બાળકને સતત તમે તેના માથે ઝળુંબ્યા કરો છો એવી અનુભૂતિ ન
હિ થાય.
૨ મારી માતા ખુબ ખુશ થઈ જ્યારે તેણે જોયું કે મારા બાળકો પોતાની મેળે જ ભણતા,
રમતા, ખાતા અને ઝઘડતા હતાં! તેણે કહ્યું અમે જ્યારે નાના હતાં ત્યારે તેની પાસે સમય
જ નહોતો રહેતો કે ન તો તેને એવો ખ્યાલ હતો
કે અમને શું ભણાવવું. આથી એ માત્ર થોડો સમય અમારી સાથે બેસતી.પણ તેથી અમે અમારી જાતે
ભણતા શીખ્યાં.
હું ઘણી વાર કેટલાક માબાપને રોજ તેમના બાળકોને ૨-૩ કલાક
ભણાવતા જોઉં છું પણ એ બાળકો જરાયે ગંભીર હોતા
નથી. સંદેશ અહિ એ છે કે તમારા બાળકોને તેમની મેળે ભણવા દો. તેઓ ભૂલો કરશે અને ક્યાંક
કંઈક ચૂકશે. પણ એમ થવા દો. તેઓ નાના હોય ત્યારે એમને ભૂલ કરવા દો કારણ એ ભૂલો પણ નાની
હોય છે. એનાથી થનારું નુકસાન પણ મામૂલી હોય છે. કદાચ તેઓને બીજા, પાંચમા કે સાતમા ધોરણ
માં થોડા માર્ક્સ ઓછા આવ્યાં તેથી શું? તેમને નિષ્ફળતાનો સ્વાદ શરૂઆતના વર્ષોમાં જ
ચાખી લેવા દો. તેમને સમજાશે પોતે કઈ રીતે ભણવું જોઇએ. મારો વિશ્વાસ કરો આજના ઇન્ટરનેટના યુગમાં હું
મારા બાળકોને માત્ર એટલા માટે સ્કૂલે મોકલું છું જેથી એ બીજા ૨૦-૨૫ બાળકો અને તેના ટીચર્સ સાથે હળીમળી-ભળી
શકે. અને મને પણ થોડી શાંતિ મળે એ વધારામાં!
૩.હું ક્યારેય તેમને કેટલા માર્ક મળ્યા એ પૂછતી નથી. તેમની ચકાસણી કરવા હું
માત્ર તેમને એટલું જ પૂછું છું કે તેઓ જે કંઈ
શિખ્યા એ તેમના વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉતારશે? જો તેઓ ખરો જવાબ આપે તો સારૂં નહિતર હું તેમને એ વિશે થોડું જ્ઞાન આપું છું. બસ.
તે જ્યારે પરીક્ષા આપીને ઘેર પાછા ફરે ત્યારે હું એ નથી પૂછતી કે તમને કેટલા માર્ક્સ
આવશે. હું તેમને માત્ર એટલું જ પૂછું છું કે તેમને પ્રશ્નપત્રમાંના પ્રશ્નો કેવા લાગ્યા
સરળ કે અઘરાં? જે તેઓ જવાબ આપે સરળ તો હું સમજી જાઉં છું કે તેમને બધું આવડી ગયું છે
પણ જો તેઓ જવાબ આપે કે પ્રશ્નો અઘરાં હતાં તો હું સમજી જાઉં છું કે તેઓ જે કંઈ ભણ્યા
એ તેમને બરાબર સમજાયું નથી એટલે તેમને પ્રશ્નો અઘરાં જણાયા છે અને હું તેમને ફરી એ
વિષયવસ્તુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું.
તે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારથી મેં તેમનું દફતર ભરી
આપવાનું છોડી દીધું હતું. તેમની નોંધપોથીમાં
રોજ તેમની ટીચર્સ એવી નોંધ લખી મોકલતા કે "આજે તમારો પુત્ર ઘરકામની નોટ લાવ્યો
નથી. કૃપા કરી એ રોજ મોકલવા
વિનંતી." હું આ નોંધનો એવો જવાબ લખી મોકલતી કે "વ્હાલા ટીચર, હું મારા પુત્રને
જવાબદાર બનાવવાના પાઠ શિખવી રહી છું. આથી એ ચકાસવાની તેની જવાબદારી છે કે તેણે બધી
જ નોટબુક્સ અને અન્ય સામગરી દફતરમાં મૂક્યા કે નહિ. જો એ હવે પછી ઘરકામની કે અન્ય કોઈ
નોટબુક લાવવાનું ભૂલી જાય તો એને યોગ્ય ઠપકો આપશો." આનો જવાબ મોટા ભાગના ટીચર્સ એવો લખી મોકલતા કે
"શ્રીમતી સિંઘ,તમારી તમારા બાળકને જવાબદારીના પાઠ શિખવવાની રીત ખુબ ગમી. કાશ બધી માતાઓ તમારા જેવી
હોય!"
૪. પ્રોજેક્ટ્સ અને હોમ અસાઈનમેન્ટ્સ જેવા કામો મારા બાળકો પોતાની મેળે જ કરે
છે. શરૂ શરૂમાં તેઓ મારી સાથે ઝગડતા કે તેમના બધાં જ મિત્રોને તેમની મમ્મીઓ પ્રોજેક્ટના
કામમાં કે ઘરકામમાં મદદ કરતી હોય છે. તેમનું બધું કામ કેટલું સરસ થયેલું કે દેખાતું
હોય છે. અમારૂં કામ તો કેટલું ગંદુ દેખાય છે.
જ્યાં સુધી તેઓ મને પૂછતા અટકે નહી ત્યાં સુધી હું તેમને વારંવાર કહ્યા કરતી
" તમે આજે વર્ગમાં જે શીખ્યા છો તે અમલમાં મૂકવા અને તે તમે બરાબર શિખી જાવ એ
માટે ઘરકામ અને પ્રોજેક્ટનું કામ તમને આપવામાં આવે છે. જો એ તમે જાતે કરશો તો તમને
સમજાશે કે તમને કેટલું આવડ્યું છે? જો એ હું તમને કરી આપીશ તો તમને ક્યારે એ કરવાનો
મોકો મળશે? તમારે એ તમને આવડી ન જાય ત્યાં સુધી વારંવાર ફરી ફરી કરી સમય શા માટે બગાડવો
છે? જો તમે આજે એ પોતાની મેળે નહિ કરો તો તમને એ યાદ રહેશે નહિ, આવડશે નહિ. ફરી પાછુ
બીજા કોઇ દિવસે એ કરવા જશો તો બધું પાછુ યાદ કરી નવેસરથી શરૂઆત કરવી પડશે. એમાં
તમારો રમવાનો સમય ઓછો થઇ જશે." અને હું જે બોલું તે કરી બતાવતી એ તો તેમને ખબર
જ હતી! તેમને પોતાનો રમવાનો સમય કપાય એ તો કઇ રીતે મંજૂર હોઇ શકે?
૫ હું તેમને નકામા કચરા જેવી વસ્તુઓ
સાથે પણ રમવા દઉં છું કારણ એનાથી તેઓ પોતાનું ભેજું કસતા શીખે છે અને સર્જનાત્મક બને
છે. હું તેમને સાદી ભાષામાં જીવનમાં તેઓ જે કંઈ પણ કરે તેમાં શ્રેષ્ઠ બની રહેવાનું
મહત્વ ,જોખમો, પૈસાનું મૂલ્ય તેમજ વ્યવસાય વગેરે વિશે સમજાવું છું.
તેમને ક્યારેક એવા પ્રશ્નો પુછું છું જેની શાળાના નિયમિત અભ્યાસક્રમ સાથે કોઇ
લેવાદેવા ન હોય દા.ત. "જો હું એક સોફ્ટવેર એનજિનિયરને નોકરી એ રાખવા માગતી
હોઉં તો તેનો ઇન્ટરવ્યુ લેતી વખતે મારે એનામાં કયા કયા ગુણો જોવા જોઇએ? અથવા જો આપણે
નવી ગાડી ખરીદવાની હોય તો કઇ ગાડી લેવી જોઇએ?” તેઓ મને સામે પૂછે છે "તમારું
બજેટ કેટલું છે?"!
મારા પિતાને ગયા વર્ષે તેમના માટે રમકડા લેવાં હતાં.અમે
બધાં રમકડાની એક મોટી દુકાનમાં ગયેલાં. મારા પિતાએ તેમને પૂછ્યું,"બચ્ચાઓ તમને
શું જોઇએ છે? બંને એ તેમને સામે પૂછ્યું,"નાનાજી તમારૂં બજેટ કેટલું છે?"
મારા પિતાએ જવાબ આપ્યો,"એની તમે ચિંતા ન કરો. તમારા માટે કોઇ બજેટ નથી."
આ જવાબ તેમને ભારે પડ્યો! તેમણે વીસેક હજારના રમકડા અને સ્ટેશનરીની ચીજ વસ્તુઓનું
બિલ ચુક્ત કરવાનો વારો આવ્યો!
મને લાગે છે આ સંદેશ વાચ્યા પછી આપણે સૌ એમાંથી શિખી
શકીશું કે આપણાં બાળકોને કઇ રીતે ભણાવવા જોઇએ, કઇ રીતે તેમને વ્યવ્હારીક જ્ઞાન આપવું જોઇએ.
(‘ઇન્ટરનેટ પરથી’)
Sunday, January 3, 2016
ઇશ્વર અસ્તિત્વ ધરાવે છે
૧૫
સૈનિકોની ટુકડી તેમના મેજરના નેતૃત્વ હેઠળ હિમાલયની એ ચોકી તરફ
પ્રયાણ કરી રહી હતી જ્યાં તેમણે હવે પછીના ત્રણ મહિના રહી દેશની રક્ષાનું કાર્ય નિભાવવાનું હતું. ત્યાં સેવા બજાવી રહેલા સૈનિકો નવી ટુકડીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં જેમને નવી ટુકડી ફરજ પર આવી ગયા
બાદ ફરી પોતાને ઘેર જવા મળવાનું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠેર ઠેર બરફ વર્ષા થઈ હોવાને કારણે
હિમાલયનું કપરું ચઢાણ વધુ જોખમી બન્યું હતું. અશક્ય જેવી જ વાત હતી
પણ આવામાં મેજરને વિચાર આવ્યો કે એક એક
ગરમાગરમ કપ ચા પીવા
મળે તો કેવું સારૂં!
કલાકો સુધી ચાલીને થાકી ગયા બાદ ટુકડી એક તૂટેલી ફૂટેલી
ચાની જણાતી દુકાન પાસે આવી.પણ અહિ તાળુ
મારેલું હતું. રાત થવા આવી હતી.
મેજરે
કહ્યું"જવાનો, આપણાં નસીબમાં ચા નથી!" પણ
બધાં થાકીને લોથપોથ થઈ ગયાં હોવાથી
મેજરે એ જગાએ જ
રોકાઈ જઈ થોડો આરામ
કરવા સૂચવ્યું.
એક
સૈનિક બોલ્યો,"સર, આ ચાની જ
દુકાન છે...આપણને ચા મળી શકે
એમ છે...આપણે ચા બનાવી શકીએ...પણ આ તાળું
તોડવું પડશે..."
મેજર
ઘડીભર માટે સૈનિકના આ અનીતિભર્યા સૂચનથી
વિમાસણમાં પડી ગયા પણ ગાત્રો થીજવી
નાંખે એવી કાતિલ ઠંડીમાં થાકેલા સૈનિકો માટે ગરમાગરમ ચાના વિચારે તેમને તાળુ તોડવા મંજૂરી અપાવી દીધી. તેમના સદનસીબે ચા બનાવવાનો બધો
સામાન ત્યાં તેમને મળી રહ્યો અને સાથે બિસ્કીટના પેકેટ્સ પણ!
સૈનિકોએ
ધરાઈને ચા-બિસ્કીટ ખાધા
અને આગળની બાકી વધેલી મુસાફરી માટે તેઓ તૈયાર થઈ ગયાં. મેજરે
વિચાર્યું તેમણે તાળુ તોડ્યું હતું અને એ દુકાનના માલિકની
પરવાનગી વગર. તેની જાણ બહાર ચા-બિસ્કીટ ખાધાં હતાં. તેઓ કોઈ ચોર-લૂંટારૂ તો હતા નહિ,શિસ્તધારી સૈનિકો હતાં. આથી તેમણે હજાર રૂપિયાની એક નોટ કાઢી
અને સાકરની બરણી નીચે એવી રીતે મૂકી કે જ્યારે દુકાનનો
માલિક દુકાનમાં આવે ત્યારે તરત એ તેની નજરે
પડે. મેજરની પસ્તાવાની લાગણી હજારની નોટ મૂક્યા બાદ હળવી થઈ ગઈ. તેણે
સૈનિકોને દુકાન ફરી બંધ કરી દેવા સૂચના આપી અને તેઓ આગળ વધ્યા.
આ
ઘટનાને ત્રણ મહિના વિતી ગયા.બહાદુર સૈનિકોએ અદભૂત શૌર્ય દાખવ્યું અને દુશ્મનોને હરાવવામાં તેઓ સફળ રહ્યાં.સદનસીબે કોઈ જાનહાનિ વગર તેમની આખી ટુકડી તેમની પવિત્ર ફરજ બજાવી તેમનો કાર્યકાળ પૂરો કરી પરત આવવા નિકળી. માર્ગમાં ફરી પેલી ચાની દુકાન આવી જ્યાં તેઓ જતી વખતે થોભ્યાં હતાં.પણ આ વખતે
દુકાન ખુલ્લી હતી અને તેનો માલિક ત્યાં હાજર હતો.આવા નિર્જન જેવા જ વિસ્તારમાં એકસાથે
પંદરેક ગ્રાહકો જોઈ તે ખુશ થઈ
ગયો અને તેણે સૌનું ઉમળકા ભેર સ્વાગત કર્યું.
બધાં
એ ફરી ચા બિસ્કીટ ખાધાં.
તેમણે એ ઘરડા દુકાનદાર
સાથે ઘણી વાતો કરી - તેના જીવન વિશે ,તેની દુકાન આટલી નિર્જન જગાએ કઈ રીતે ચાલે
છે એ વિષે, તેના
અનુભવો વિશે વગેરે.એ વાતો પરથી
ફલિત થતું હતું કે ઇશ્વરમાં અખૂટ
શ્રદ્ધા ધરાવતા એ ઘરડા માણસે
અનેક તડકા છાયા વેઠી અનુભવનું સમૃદ્ધ ભાથું બાંધ્યું હતું અને તેની અનેક રસપ્રદ વાતો તેણે સૈનિકોને કરી.એક સૈનિકે તેને
પ્રશ્ન કર્યો," બાબા,જો ઇશ્વર હોય
તો એ શા માટે
તમને આવી ગરીબીમાં રાખે છે?"
" એવું ના
બોલો સાહેબ! ઇશ્વર ચોક્કસ છે અને તેની
સાબિતી મને ત્રણ મહિના પહેલા મળી." તે ઘરડા દુકાનદારે
કહ્યું.
"તે વેળાએ
હું મારા જીવનના ખૂબ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હતો.મારા એકના એક પુત્રને આતંકવાદીઓ
ઉઠાવી ગયા હતા અને તેની પાસે હતી જ નહિ એવી
કોઈ માહિતી મેળવવાના આશયથી તેમણે તેને ઢોર માર મારી મારી અધમૂ ઓ કરી નાંખ્યો.
છેવટે તેઓ એને મારા ઘર પાસે નાંખી
ગયા.તેની સારવાર કરાવવા મારે આ દુકાન બંધ
કરી હોસ્પિટલ જવું પડ્યું.કેટલીક દવાઓ ની વ્યવસ્થા તો
મારી અલ્પ બચતમાંથી થઈ ગઈ પણ
થોડી દવાઓ ખૂબ મોંઘી હતી અને આતંકવાદીઓના ભયને લીધે એ લેવા માટે
મને કોઈ ઉધાર પણ આપવા તૈયાર
નહોતું. મારા માટે આશાનું કોઈ કીરણ બચ્યું નહોતું."
" અને તે
દિવસે સાહેબ, મેં ઇશ્વરને હ્રદયપૂર્વક મદદ માટે પ્રાર્થના કરી. અને સાહેબ, તમે માનશો તે દિવસે ઇશ્વર
પોતે મારી આ દુકાનમાં આવ્યા
- મને મદદ કરવા. હું જ્યારે ઘણાં દિવસ બાદ દુકાનમાં પાછો ફર્યો ત્યારે મેં જોયું કે મારી દુકાનનું
તાળું તૂટેલું હતું.મને પહેલા તો લાગ્યું હું
ખતમ થઈ ગયો, મારી
પાસે જે કંઈ હતું
એ સર્વસ્વ લૂંટાઈ ગયું. પણ અંદર આવ્યો
અને મારી નજર સાકરની બરણી નીચે મૂકેલી હજાર રૂપિયાની નોટ પર ગઈ. સાહેબ
હું શબ્દોમાં નહિ વર્ણવી શકું ત્યારની મારા મનની સ્થિતી. એ હજાર રૂપિયાએ
મને તારી લીધો સાહેબ. ઇશ્વર ચોક્કસ છે. ચોક્કસ!"
આ
વાત કહેતી વખતે તેની આંખોમાં અજબનો અડગ વિશ્વાસ છલકી રહ્યો.પંદરે પંદર સૈનિકોની આંખો મેજરની બે આંખો સાથે
મળી અને તેમણે એમાં સ્પષ્ટ ભાવ વાંચ્યો "ચૂપ રહેજો".
મેજરે
ઉભા થઈ બિલની રકમ
ચૂકવી. તે ઘરડા દુકાનદારને
ભેટ્યા અને તેમણે તેને કહ્યું,"હા બાબા, હું
જાણું છું અને તમારી વાત માનું છું કે ઇશ્વર અસ્તિત્વ
ધરાવે છે. અને હા, તમારી ચા ખુબ સારી
બની હતી!"
પંદરે
પંદર સૈનિકોની આંખોએ એક ક્યારેય જોવા
ન મળે એવું દ્રષ્ય દીઠું - મેજરની આંખોના ખૂણા ભીના હતાં!
('ઈન્ટરનેટ
પરથી')
Subscribe to:
Posts (Atom)