Wednesday, October 23, 2019

જૂની પેઢી

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે, જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા, સવારના અંધકારમાં ફરવા નીકળવાવાળા, આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા
અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા,
તેમનું સુખ દુઃખ પૂછવાવાળા,
બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા,
તેમજ સ્નાન વગર અન્ન ગળે નહીં ઉતારવા વાળા.

તેમનો અલગ સંસાર, વાર તહેવાર, મહેમાન,  શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રીતી-રિવાજ અને સનાતન ધર્મની
આગળ પાછળ ફરવાવાળા.

જુના ફોનના ડબલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોનનંબરની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!

હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જૂના ચપ્પલ, ફાટેલી બંડી અને
તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!

ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!

નજર ઉતારવા વાળા, અંબોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા અને શાકભાજીની લારી વાળા સાથે
એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!
શું તમે જાણો છો?
આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી
કાયમ માટે જતા રહેવાના છે.

શું તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,
તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન રાખજો...
નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.
એમનું છે સંતોષ ભર્યું જીવન,
સાદગી પૂર્વકનું જીવન,
પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન,
ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન,
બધાની ચિંતા કરવાવાળું જીવન.....!

તમારા પરિવારમાં જે લોકો વડીલ છે
તેમનું માન સન્માન રાખજો,
તેઓને પોતાપણું મહેસૂસ કરાવો
 અને ખૂબ જ પ્રેમ કરો.........!

   સંસ્કાર જ અપરાધ રોકી શકે છે, સરકાર નહિ !!

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment