Saturday, April 23, 2016

ભગવાનમાં શ્રદ્ધા

**************************************************************
આજેઇન્ટરનેટ કોર્નર’નો ૬૦૦મો લેખ રજૂ કરતા બેહદ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. નવા નવા તેમજ જૂના નિયમિત વાચકો તેમનો પ્રતિભાવ શેર કરી  બિરદાવતા રહે છે અને મને વ્યસ્ત સમયપત્રકમાંથી પણ થોડો સમય અચૂક ચોરી લઈ સારી સારી નાની-મોટી વાતો ભાવાનુવાદીત કરી તમારા સૌ સાથે વહેંચવાનું બળ અને પ્રેરણા મળતા રહે છે. શ્રેણીના આઠ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડીયો, આભૂષણ, ઝરૂખો, કથાકળશ, સ્પર્શ અને ઉપહાર) મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક  છે  જે કટારની લોકચાહના અને તમારા સૌના પ્રેમથી શક્ય બન્યું છે. હ્રદયપૂર્વક આભાર!
- વિકાસ ઘનશ્યામ નાયક
**************************************************************

નાનો પરીવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ એક વાર ભગવાનની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો.
એક નાસ્તિક માણસ પણ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક ઉડાવવાનું નક્કી કર્યું.
તેણે સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી. પણ તેણે પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું જ્યારે ગરીબ સ્ત્રી પૂછે કે ખાવાનું કોણે મોકલાવ્યું છે ત્યારે જવાબ આપવો કે શેતાને મોકલાવ્યું છે.
સેક્રેટરી તો પોતાના બોસની  આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી ખરીદી અને પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ. આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.
સેક્રેટરી થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ થયો ત્યારે અકળાઈને સામેથી પૂછી નાખ્યું ," શું તમને જાણવાની ઇચ્છા નથી કે બધું કોણે મોકલાવ્યું?"
ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો,"ના. જેણે મોકલાવ્યું હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી જે કોઈ પણ હોય કારણ જ્યારે મારો ભગવાન હૂકમ કરે ત્યારે શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!"

ચિંતાઓનો અસ્ત પામે છે જ્યારે શ્રદ્ધાનો ઉદય થાય છે.


('ઈન્ટરનેટ પરથી')

Friday, April 22, 2016

ચાણક્યની દ્રષ્ટીએ ઝેર,ભય,ઇર્ષ્યા, ક્રોધ અને નફરત

કોઈકે આચાર્ય ચાણક્યને પૂછ્યું :

- ઝેર શું છે?
તેમણે સુંદર જ​વાબ આપ્યો "જરૂર કરતા વધારે એવી કોઈ પણ વસ્તુ ઝેર છે.
એ સત્તા, સંપત્તિ, ભૂખ, અહમ્, લોભ, આળસ, મહત્વકાંક્ષા, નફરત કે પછી કંઈ પણ હોઈ શકે છે.

- ભય શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકાર કરી લ​ઈએ તો એ સાહસ બની જાય!

- ઇર્ષ્યા શું છે?
બીજાઓમાં રહેલી સારપ નો અસ્વીકાર. જો એ સારાઈ આપણે સ્વીકારી લ​ઈએ તો એ પ્રેરણા બની જાય!

- ક્રોધ શું છે?
જે આપણા કાબૂમાં નથી તેનો અસ્વીકાર.જો એ સ્વીકારી લ​ઈએ તો એ સહનશક્તિ બની જાય!

- નફરત શું છે?
સામેની વ્યક્તિ જેવી છે એનો તેવા જ સ્વરૂપે અસ્વીકાર. જો આપણે તેનો બિનશરતી સ્વીકાર કરી લ​ઈએ તો એ પ્રેમ બની જાય!

બધો સ્વીકાર નો ખેલ છે!
અસ્વીકાર કે વિરોધ તાણ પેદા કરે છે. સ્વીકાર તાણનો નાશ કરે છે.



(‘ઇન્ટરનેટ પરથી)

Sunday, April 10, 2016

“હું … છું” નો જાદુઇ મંત્ર

“હું … છું” એક જાદુઇ મંત્ર છે. તેની અગાધ શક્તિ વિશે તમે જાણશો તો અચંબામાં પડી જશો.
“હું … છું” આ બે શબ્દોની વચ્ચે તમે જે શબ્દ મૂકશો એ તમે કેવું જીવન જીવશો એ નક્કી કરશે. "હું તંદુરસ્ત છું.” “હું તાકાતવાન છું.” “હું નસીબદાર છું." કે પછી "હું મૂર્ખ છું.” “હું ધીમો છું.” “હું અનાકર્ષક છું." તમે “હું … છું” આ બે શબ્દોની વચ્ચે જે શબ્દ મૂકશો એ જ તમને સફળતા કે નિષ્ફળતા અપાવશે. આખો દિવસ “હું … છું” નો જાદુઈ મંત્ર તમારા મગજમાં કાર્યરત હોય છે .ઘણી વાર આપણે આ મંત્રની તાકાત આપણા જ વિરોધમાં વાપરીએ છીએ. આપણે જાણતા નથી એ આપણા ભવિષ્ય પર કેટલી મોટી અસર કરે છે.
આ મંત્રનું રહસ્ય કંઈક આ પ્રમાણે છે. તમે જે શબ્દ “હું … છું” આ બે શબ્દોની વચ્ચે મૂકશો તે તમને ગોતતું આવશે. સારી બાબત એ છે કે આ બે શબ્દોની વચ્ચે કયો શબ્દ મૂકવો તેની પસંદગી તમારા હાથમાં છે. જ્યારે તમે આખો દિવસ બોલશો "હું નસીબદાર છું", સદનસીબ તમને શોધતું આવે છે. જ્યારે તમે બોલો છો "હું ટેલેન્ટેડ છું", ટેલેન્ટ તમને શોધતી આવે છે. તમને કદાચ થોડું સારૂં ન લાગતુ હોય પણ તમે રટ્યા કરો " હું તંદુરસ્ત છું" તો તમારી તબિયત ચોક્કસ સુધરવા માંડશે. "હું તાકાતવાન છું" બોલશો તો તાકાત તમને સામેથી આવીને મળશે. આ બધી હકારાત્મક બાબતોને “હું … છું” નો મંત્ર આમંત્રણ આપે છે. રોજ સવારે ઉઠતાની સાથે જ બધી સારી બાબતોને આમંત્રણ આપો.
સવારે જાગતાની સાથે જ બોલો "હું નસીબદાર છું. હું તાકાતવાન છું. હું શિસ્તનો આગ્રહી છું. હું મારા લક્ષ્ય સિદ્ધ કરવા એકાગ્ર છું. હું સમૃદ્ધ છું." અને તમે જોશો કે ઇશ્વર તમારી આ આસ્થાને સત્યમાં પરિવર્તીત કરશે.
"હું ... છું" બ્રહ્માંડનો આકર્ષણનો નિયમ છે જે તમે ઇચ્છો તેને તમારી તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, April 3, 2016

તમારા મન ને હળવું અને મુક્ત કઈ રીતે કરશો

આદિ શંકરાચાર્ય તેમના શિષ્યો સાથે બજારમાં ચાલી રહ્યા હતા.
તેમની દ્રષ્ટી એક માણસ પર પડી જે રસ્સી વડે પોતાની ગાય ને ખેંચી જઈ રહ્યો હતો.
શંકરાચાર્યે માણસ ને થોભવા કહ્યું અને પોતાના શિષ્યોને તે માણસને ઘેરી ઉભા રહેવાની સૂચના આપી.
પછી તેમણે પૂછ્યુ," કહો જોઈએ આમાં કોણ કોનાથી બંધાયેલું છે? માણસ ગાયને કે ગાય માણસને?"
શિષ્યો તરત એકી સૂરે બોલે ઉઠ્યા "ગાય માણસ થી બંધાયેલી છે."
સૌથી ચતુર એવા એક શિષ્યે ઉમેર્યું,"માણસ તેનો માલિક છે. તેના હાથમાં રસ્સી છે. આથી તે જ્યાં જાય ત્યાં ગાયે તેની પાછળ દોરાવું પડે. માણસ માલિક અને ગાય તેની ગુલામ છે."
"હવે ધ્યાનથી જુઓ" એમ કહી શંકરાચાર્યે પોતાના ઝોળામાંથી કાતર કાઢી અને ગાયના ગળે બાંધેલી રસ્સી કાપી નાંખી.
ગાય મુક્ત થતાં તરત દોડવા માંડી અને તેનો માલિક એવો પેલો માણસ એની પાછળ પાછળ!
શંકરાચાર્યે પૂછ્યુ,"જોયું હવે શું થાય છે? હવે કોણ માલિક છે? ગાયને તેના માલિકમાં જરા પણ રસ નથી. ઉલટું ગાય તેનાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે.
આવું આપણા મનનું છે. ગાયની જેમ ,આપણે જે જે અર્થહીન વિચારો મનમાં ભરી રાખીએ કે કર્યા કરીએ છીએ તે આપણા થી દૂર ભાગવા પ્રયત્ન કરે છે. તેને આપણામાં બિલકુલ રસ નથી પણ આપણે તેમને પસંદ કરીએ છીએ.આપણે તેમને કોઈક ને કોઈક રીતે આપણી પાસે જકડી રાખીએ છીએ.આપણે તેમને આપણા કાબૂમાં રાખવા શક્ય એટલા બધા પ્રયાસ કરી છૂટીએ છીએ.
જેવા આપણે મગજમાં ભરી રાખેલા કચરા જેવા નિરર્થક વિચારોમાં રસ લેવાનું બંધ કરી દઈશું,અને જેવા આપણે આ નકામા વિચારોની નિરર્થકતા સમજી શકીશું કે તે આપણાથી દૂર ભાગવા માંડશે. ગાયની જેમ એ પણ છટકીને અદ્રષ્ય થઈ જશે."
મુક્તતા અને નિશ્ચિંતતાનો અનુભવ કરવો એ આપણી પસંદગીનો વિષય છે!


('ઈન્ટરનેટ પરથી')

વિચારકણિકાઓ

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.
           ***
પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..
             ***
તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!
            ***
વિધાતા પણ કંઇક એવી રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જે સજાવેલુ હોય
તે બદલી નાખે.                                
               ***
ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!
           ***
આખો સાગર નાનો લાગે જ્યારે "" ને કાનો લાગે...
           ***
તું "ખૂદ" માં લખીજો ફકત એક કાનો......
પછી તું ખરેખર "ખુદા" થઇ જવાનો.....
         ***
ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....
         ***
નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!
          ***
ખોટી અપેક્ષા માં હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?
             ***
એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ....
             ***
રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..
             ***
માન્યુ કે એટલી સરળ વાત નથી, પણ
અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!
             ***
આંગણે આવી ચકલીએ પુછયુ બારણુ પાછુ ઝાડ ના થાય.....???
             ***
સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ...ખૂ...... ઝંખેલી કોઈ કીમતી પળ...
             ***
ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...
કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ: ના
પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...
             ***
સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે.
સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.
             ***
અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.
             ***
રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...
             ***
મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છે. બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને મરે છે.


('ઈન્ટરનેટ પરથી')