જો તમે ચાળીસની વય વટાવી ચૂક્યા હોવ તો આ તંદુરસ્તી વિષયક ટિપ્સ ધ્યાનમાં રાખો
૧. બે બાબત સતત ચકાસતા રહો :
- તમારું બ્લડપ્રેશર
- તમારી બ્લડશુગર
૨. છ વસ્તુઓ તમારા ખોરાકમાં બને એટલી ઘટાડી દો :
- મીઠું
- સાકર
- જાળવેલા /સંઘરેલા ખાદ્ય પદાર્થો
- લાલ માંસ (ખાસ કરીને શેકેલું)
- દુગ્ધ પદાર્થો
- કાંજીયુક્ત પદાર્થો
૩. ચાર વસ્તુઓ તમારા ખોરાકમાં વધારો :
- લીલા શાકભાજી
- ફળો
- વાલ વગેરે કઠોળ
- શીંગ દાણા
૪. ત્રણ વાતો ભૂલી જાઓ :
- તમારી વય
- તમારો ભૂતકાળ
- તમારી ફરિયાદો
૫. ચાર વસ્તુઓ તમે ગમે તેટલા મજબૂત કે ઢીલા હોવ, તમારી પાસે હોવી જ જોઈએ :
- મિત્રો જે તમને સાચા અર્થમાં ચાહતા હોય
- કાળજી કરતો પરિવાર
- હકારાત્મક વિચારો
- ઉષ્માભર્યું ઘર
૬. ચાર બાબતો જે તમારે તંદુરસ્ત રહેવા કરવાની જરૂર છે :
- ઉપવાસ
- હસતાં રહેવું
- ટ્રેક /કસરત
- વજન ઘટાડો
૭. છ બાબતો કરશો નહીં :
- તમને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં
- તમને તરસ ન લાગે ત્યાં સુધી પાણી પીવું નહીં
- તમને ઉંઘ ન આવે ત્યાં સુધી સૂવું નહીં
- તમને થાક ન લાગે ત્યાં સુધી આરામ કરવો નહીં
- માંદા ન પડો ત્યાં સુધી મેડિકલ ચેક અપ કરાવવું નહીં
- મુશ્કેલી આવે નહીં ત્યાં સુધી ભગવાન ને યાદ કરવા નહીં.
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment