ઝેર શું છે?
જરૂર કરતા વધારે દરેક ચીજ ઝેર છે. સત્તા, આળસ, ખોરાક, અહમ્, મહત્વકાંક્ષા, મિથ્યાભિમાન, ડર, ક્રોધ અને બીજું બધું જે હદથી વધી જાય તે ઝેર છે.
ડર શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા સ્વીકારી લઈએ તો તે સાહસ બની જાય છે.
ઇર્ષ્યા શું છે?
અન્યની સારી બાબતનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે પ્રેરણા બની જાય છે.
ક્રોધ શું છે?
જે આપણાં નિયંત્રણમાં નથી તેનો અસ્વીકાર. જો એ સ્વીકારી લઈએ તો તે ધૈર્ય બની જાય છે.
નફરત શું છે?
સામેનું પાત્ર જેવું છે તે સ્વરૂપે તેનો અસ્વીકાર. જો આપણે તેનો બિન શરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય છે.
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment