અપેક્ષા રાખવાનું છોડી દેશો અને સ્વીકાર કરવાનું શીખી લેશો ત્યારે જીવન સરળ બની જશે.
'એવરેસ્ટ' ની ટોચે પહોંચવું હોય તો 'એવર' 'રેસ્ટ' લેવાનું નહીં વિચારતા. (સફળતાના શિખરની ટોચે પહોંચવા 'આરામ હરામ હૈ' નો મંત્ર અનુસરો)
જ્યારે તમે તમારા સપનાં માં વિશ્વાસ રાખશો ત્યારે એ પૂરા કરવાના સાધનો આપોઆપ જડી રહેશે.
જ્યારે તમે તમારી જાતને જીતી લેશો ત્યારે તમે તમારા બધાં સ્પર્ધકોથી આગળ હશો.
સુખી લોકો માત્ર કર્મનું આયોજન કરતાં હોય છે, પરિણામોનું નહીં.
જો તમારા હેતુ, તમારી ભાવનાઓ શુદ્ધ હશે તો તમે કોઈને ગુમાવશો નહીં.
જ્યારે આપણે પોતાની જાત પ્રત્યે જ નિરુત્સાહી હોઈએ ત્યારે આપણે બીજાઓ માટે પણ ઠંડા જ સાબિત થતાં હોઈએ છીએ.
તમારી હકારાત્મક વિચારસરણી દ્વારા તમે તમારી સાજા થવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકો છો.
ખજાનો તમારી નીચે નહીં, ભીતર છે.
દરેક બાબત તમારી પાસે પરત ફરે છે - સારી અને ખરાબ.
એક માત્ર સમય ફરી પેદા કરી શકાતો નથી કે પાછો લાવી શકાતો નથી.
જીવન તમારા આરામના દાયરાની બહારથી શરૂ થતું હોય છે.
ધૈર્ય કેળવો અને તમારા (જીવન) સફરમાં વિશ્વાસ રાખો.
સારું હ્રદય અને પરિપક્વ મન પસંદ કરો (કેળવો).
જ્યારે તમે તમારો ભાગ ભજવી રહો છો, પછી જ ઈશ્વર તેનો ભાગ ભજવે છે.
જ્યારે તમારા બધાં બહાના પૂરાં થઈ રહે, પછી જ તમને પરિણામ મળે છે.
અનુભવનો ખરો નીચોડ શિક્ષણ કે અભ્યાસ છે.
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment