ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાઈ" જાય છે.
આંખો "તળાવ" નથી, તોય "ભરાઈ" જાય છે.
અહમ્ "શરીર" નથી, તોય "ઘવાઈ" જાય છે.
દુશ્મની "બીજ" નથી, તોય "વવાઈ" જાય છે.
હોઠ "કપડું" નથી, તોય "સિવાઈ" જાય છે.
કુદરત "પત્ની" નથી, તોય "રિસાઈ" જાય છે.
બુદ્ધિ "લોખંડ" નથી, તોય "કટાઈ" જાય છે.
અને માણસ "હવામાન" નથી, તોય "બદલાઈ" જાય છે.
🔹શબ્દ એક જ મુકાય
ને અર્થ ફરી જાય છે,
🔹આંકડો એક જ મુકાય
ને દાખલો ફરી જાય છે,
🔹પગલું એક જ મુકાય
ને દિશા ફરી જાય છે,
સાથ અગર સારી
એક જ વ્યક્તિનો મળે ને સાહેબ,
આખી જિંદગી બદલાઈ જાય છે.
******************************
રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા ગુજરાતી કવિ અને સર્જક શ્રી ઝવેરચંદ મેધાણી રચિત કેટલીક સુંદર પંક્તિઓ :
# ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
* પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.
* પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે, સંતાડવું પણ ના પડે.
* વિચાર ગમે તેટલો સુંદર હોય
તે આચાર વિના નકામો છે.
* પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણ સુધી આવ?
આંખ મીચું... ને બસ પાંપણ સુધી આવ..!
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment