Saturday, March 2, 2019

ભારતીય સેના : ૧૦ સર્વશ્રેષ્ઠ અણમોલ વચન

ભારતીય લશ્કરી દળનાં સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત ઇચ્છે છે કે દરેક ભારતીય નાગરિક ભારતીય સેના વિશે કે દ્વારા લખાયેલા નીચેના વાક્યો ચોક્કસ વાંચે અને આ અમૂલ્ય 'રાષ્ટ્ર સુરક્ષા સૂત્રો' જુદા જુદા માધ્યમો દ્વારા વધુ ને વધુ દેશવાસીઓ સુધી પહોંચાડે.

૧. હું ત્રિરંગો ફરકાવીને પાછો આવીશ કે પછી ત્રિરંગામાં લપેટાઈને, પણ પાછો આવીશ ચોક્કસ. - કેપ્ટન વિક્રમ બત્રા, પરમવીર ચક્ર

૨. જે તમારા માટે જીવનભરનો અસાધારણ રોમાંચ છે, એ અમારી રોજબરોજની જિંદગી છે.
- લેહ - લદાખ રાજમાર્ગ પર ભારતીય સેનાનું સાઇનબોર્ડ

૩. જો પોતાનું શૌર્ય સિદ્ધ કર્યા પહેલા મારું મૃત્યુ આવી જાય તો મારું વચન છે કે હું મૃત્યુ ને જ મારી નાખીશ.
- કેપ્ટન મનોજ કુમાર પાન્ડે, પરમ વીર ચક્ર, ૧/૧૧ ગોરખા રાઇફલ્સ

૪. આપણો ધ્વજ એટલા માટે નથી ફરફરતો કે હવા વાઈ રહી હોય છે, એ પ્રત્યેક જવાનના અંતિમ શ્વાસથી લહેરાય છે, જેણે તેની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી છે.
- ભારતીય સેના

૫. અમને પામવા માટે તમારે અવશ્ય સારા થવું પડશે, અમને પકડવા તમારે તીવ્ર બનવું પડશે પરંતુ અમને જીતવા માટે તો તમારે બાળક જ હોવું જોઈશે.
- ભારતીય સેના

૬. ઇશ્વર અમારા દુશ્મનો પર દયા કરે, કારણ અમે તો એ કરવાના નથી.
- ભારતીય સેના

૭. અમારું જીવવું અમારો સંયોગ છે, અમારો પ્રેમ અમારી પસંદ છે, અમારું મરવું અમારો વ્યવસાય છે.
- ઑફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નાઈ

૮. જો કોઈ વ્યક્તિ કહે કે તેને મૃત્યુનો ભય નથી તો એ ખોટું બોલી રહી છે કાં તો તે ભારતીય લશ્કરી દળનો સિપાહી હશે.
- ફીલ્ડ માર્શલ સેમ માણેક શો

૯. આતંકવાદીઓને માફ કરવા ઇશ્વરનું કામ છે પણ તેમની ઈશ્વર સાથે મુલાકાત કરાવવાનું કામ અમારું છે.
- ભારતીય સેના

૧૦. એનો અમને અફસોસ છે કે પોતાના દેશ માટે આપવા માટે અમારી પાસે માત્ર એક જ જીવન છે.
- ઑફિસર પ્રેમ રામચંદાની

💐💐 🙏🙏🙏 💐💐

જય હિંદ...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment