કોઈકે આચાર્ય ચાણક્યને પૂછ્યું :
- ઝેર શું છે?
તેમણે સુંદર જવાબ આપ્યો "જરૂર કરતા વધારે
એવી કોઈ પણ વસ્તુ ઝેર છે.
એ સત્તા, સંપત્તિ, ભૂખ, અહમ્, લોભ, આળસ, મહત્વકાંક્ષા,
નફરત કે પછી કંઈ પણ હોઈ શકે છે.
- ભય શું છે?
અનિશ્ચિતતાનો અસ્વીકાર. જો આપણે અનિશ્ચિતતા
સ્વીકાર કરી લઈએ તો એ સાહસ બની જાય!
- ઇર્ષ્યા શું છે?
બીજાઓમાં રહેલી સારપ નો અસ્વીકાર. જો એ સારાઈ
આપણે સ્વીકારી લઈએ તો એ પ્રેરણા બની જાય!
- ક્રોધ શું છે?
જે આપણા કાબૂમાં નથી તેનો અસ્વીકાર.જો એ સ્વીકારી
લઈએ તો એ સહનશક્તિ બની જાય!
- નફરત શું છે?
સામેની વ્યક્તિ જેવી છે એનો તેવા જ સ્વરૂપે
અસ્વીકાર. જો આપણે તેનો બિનશરતી સ્વીકાર કરી લઈએ તો એ પ્રેમ બની જાય!
બધો સ્વીકાર નો ખેલ છે!
અસ્વીકાર કે વિરોધ તાણ પેદા કરે છે. સ્વીકાર
તાણનો નાશ કરે છે.
(‘ઇન્ટરનેટ પરથી’)
ઇન્ટરનેટ કોર્નર નિયમિત વાંચુ છું. ખુબ સારું લાગે છે. ચાણક્યનીતિની વાતો વાંચવી રસપ્રદ રહી.
ReplyDelete