[ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલું આ કાવ્ય ગમી ગયું
એટલે આજે ઇન્ટરનેટ કોર્નરમાં શેર કર્યું છે...]
ક્યારેક
અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક
એ અમૃત વલોવી જહર
શોધીએ છીએ.
કદી મનનાં ઉપવન ખૂંદીને
અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને
ખૂંદી કમળ શોધીએ છીએ.
ઉજાગરા સદીઓથી સદી
ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી
નિંદરને શોધીએ છીએ.
હવે એમનાં દિલમાં મીઠાશ
શોધીએ છીએ.
કરી અલવિદા વતનને વસ્યા
પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને
શોધીએ છીએ.
કદી ન આપ્યો આદર
જેને ન હૂંફ આપી
છે,
એની પાસેથી હવે સમભાવ
શોધીએ છીએ.
સમજતો કેમ નથી
જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી
વરાપ શોધીએ છીએ.
સમંદર ને સરોવરને
ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ
છીએ?
– જયંતી
('ઈન્ટરનેટ પરથી')
Nice Blog.. I Love This... Author Ajay Rathod
ReplyDelete