દર
શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ
પછી ઇમામ અને તેનો
અગિયાર વર્ષનો પુત્ર તેમના
નગરની શેરીઓમાં જઈ લોકોમાં "જન્નતની
રાહ" અને એવા અન્ય
ઇસ્લામિક સાહિત્યના ફરફરીયા વહેંચતા.
એ
ખાસ બપોરે જ્યારે ઇમામ
અને તેમના પુત્રનો શેરીઓમાં
જઈ તેમના ફરફરીયા વહેંચવાનો
સમય થયો ત્યારે વાતાવરણમાં
ઓચિંતો પલટો આવ્યો અને
ભારે વર્ષા સાથે ખૂબ
ઠંડી પડવા માંડી. ઇમામના
પુત્રે પોતાના ગરમ અને
કોરા કપડા પહેર્યાં અને
પિતાને કહ્યું કે પોતે
બહાર નિકળવા તૈયાર છે.
ઇમામે
પૂછ્યું,"તૈયાર શાના માટે
બેટા?"
પુત્રે
કહ્યું,"આપણા નિયમ મુજબ
ઇસ્લામિક સાહિત્યના ફરફરીયા વહેંચી લોકોને જીવનની
સાચી રાહ બતાડવાનું કાર્ય
કરવા..."
ઇમામે
કહ્યું,"દિકરા અત્યારે બહાર
ખૂબ ઠંડી છે અને
મૂશળધાર વરસાદ પણ વરસી
રહ્યો છે."
ઇમામના
નિર્દોષ પુત્રે નવાઈ પામતાં
પૂછ્યું,"તેથી શું થયું
અબ્બા...વરસતા વરસાદમાં પણ
લોકો તો નર્કમાં જઈ
જ રહ્યા છે ને?
તેમને સાચી રાહ તો
બતાવવી જ પડશે ને?"
ઇમામે
પુત્રને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા
પણ તેણે તો આવા
દુષ્કર વાતાવરણમાં પણ શેરીઓમાં એકલા
જવાની હઠ જ પકડી.
છેવટે
ઇમામે તેને સંમતિ આપી
અને તેના હાથમાં કેટલાક
ધાર્મિક ફરફરીયા મૂક્યાં અને કહ્યું," જેવી
અલ્લાની મરજી...જા બેટા...જા પણ ધ્યાન
રાખજે."
"ધન્યવાદ
પિતાજી!" કહી તે તો
દોડ્યો નગરની શેરીઓ ભણી...વરસાદમાં ભીંજાતો...ઠંડીમાં ધ્રૂજતો...
માર્ગમાં
જે મળ્યું તેના હાથમાં
તેમજ કેટલાક ઘરોના બારણાં
ખખડાવી એમાં રહેતા લોકોના
હાથમાં તેણે જન્નતનો રાહ
બતાવતા ફરફરીયા આપ્યાં.
ધોધમાર
વરસતા વરસાદમાં તે સંપૂર્ણપણે પલળી
ગયો અને ઠંડીના કારણે
ધ્રૂજી રહ્યો હતો પણ
તેણે ફરફરીયા વહેંચવાનું ચાલુ રાખ્યું અને
છેવટે બે કલાક બાદ
તેના હાથમાં છેલ્લું ફરફરીયું
બચ્યું.તે શેરીના એક
ખૂણે ઉભો ઉભો વિચારતો
હતો કે આ છેલ્લું
ફરફરીયું કોના હાથમાં આપું?
શેરી આખી સૂનકાર ભરી
બની ગઈ હતી. માર્ગમાં
ચકલું યે દેખાતું નહોતું.
પણ
અચાનક તેની નજર તે
ઉભો હતો તેની સામેના
એક ઘરના બંધ બારણાં
પર પડી. સાહજીક સ્ફૂરણાથી
પ્રેરાઈ તે ત્યાં તરફ
ગયો અને તેણે બારણાની
બાજુ પર રહેલી ઘંટડી
વગાડી. અંદરથી કોઈ પ્રતિભાવ
ન મળ્યો. તેણે ફરી
વાર ઘંટડી વગાડી પણ
કોઈ જવાબ નહિ.એ
પછી તો તેણે ઘણી
બધી વાર ઘંટડી વગાડી
પણ કોઈ એ બારણું
ખોલવા આવ્યું નહિ. તેણે
થોડી રાહ જોઈ પણ
કોઈ જ પ્રતિભાવ નહિ.
છેવટે
તેણે ત્યાંથી પાછા ફરવાનું નક્કી
કર્યું પણ કંઈક તેને
રોકી રહ્યું હતું. તેણે
ફરી એક વાર ઘંટડી
વગાડી અને પછી પોતાના
હાથ વડે જોર જોર
થી બારણું ખખડાવવા માંડ્યું.
કોઈક અકથ્ય ભાવ તેને
ત્યાંથી આગળ વધવા દેતો
નહોતો! એ જાણે ત્યાં
જ જડાઈ ગયો હતો.
છેવટે ઘણાં સમય બાદ
તેને લાગ્યું કે કોઈક બારણું
ખોલી રહ્યું છે અને
ધીમેથી ખરેખર બારણું ખુલ્યું.
બારણું
ખોલનાર એક અતિ વૃદ્ધ
ઉદાસ ચહેરો ધરાવતી સ્ત્રી
તેની સામે ઉભી હતી.
તેણે મૃદુતાથી પૂછ્યું,"અહિં કેમ આવવું
થયું બેટા?"
તેજસ્વી
આંખો ધરાવતા અને દૈવી
સ્મિત ધરાવતા એ કિશોરે
તેને કહ્યું,"મને માફ કરશો
અમ્મા જો મેં તમને
ખલેલ પહોંચાડી હોય તો...પણ
મારે તમને એટલું જ
કહેવું છે કે અલ્લા
તમને ખુબ પ્રેમ કરે
છે અને તેને તમારી
ખુબ પરવા છે. મારી
પાસે આ અલ્લાનો સંદેશ
આપતું છેલ્લું ફરફરીયું બચ્યું છે જેનો
તમે સ્વીકાર કરો. એમાં સંસારના
સર્જનનું રહસ્ય વ્યક્ત થયેલું
છે અને સાચી ખુશી
કઈ રીતે પામી શકાય
તેની વાત સમજાવેલી છે."
.... અને
તેણે પોતાનું એ છેલ્લું ફરફરીયું
તે મહિલાના હાથમાં મૂકી ત્યાંથી
સંતોષપૂર્વક વિદાય લીધી.
એ
પછીના શુક્રવારે બપોરે જુમ્માની નમાઝ
બાદ ઇમામ કોઈ પ્રવચન
કરી રહ્યા હતા અને
તે પૂરું થતા નિયમ
પ્રમાણે તેમણે શ્રોતાઓને પ્રશ્ન
કર્યો કે કોઈને કંઈ
કહેવું કે પૂછવું છે.
ધીમેથી
પાછળ બેઠેલી મહિલાઓમાંથી એક
અવાજ આવ્યો "મારે કંઈક કહેવું
છે..." કોઈ એ
મહિલાને ઓળખતું નહોતું. તેણે
કહ્યું,"હું અહિ આ
પહેલા ક્યારેય આવી નથી.ગયા
શુક્રવાર પહેલા હું સાચી
મુસલમાન પણ નહોતી અને
મને લાગતું કે હું
એ ક્યારેય બની શકીશ પણ
નહિ."
મારા
પતિ મને કાયમને માટે
એકલી મૂકીને થોડા વર્ષો
પહેલાં ચાલ્યા ગયા.હું
સાવ એકલી પડી ગઈ
હતી.મારા જીવનમાં આશાનું
એક પણ કિરણ બચ્યું
નહોતું. ગયા શુક્રવારે ભારે
વરસાદ પડી રહ્યો હતો
ત્યારે મેં મારા જીવનનો
અંત આણવાનું જ નક્કી કરી
નાંખ્યુ હતું.આથી હું
એક દોરડું અને ખુરશી
લઈ મારા ઘરના મેડે
ચડી હતી. મેં દોરડું
છત પર બાંધી અને
તેના પર ફાંસો ખાવા
હું ખુરશી પર ચડી
પણ ગઈ હતી. મારા
દુ:ખી જીવનનો અંત આણવાની
તૈયારીમાં જ હતી ત્યાં
મારા બારણે ટકોરા પડ્યા.
મેં
વિચાર્યું, હું થોડી રાહ
જોઉ, જે હશે એ
ચાલ્યું જશે. મેં રાહ
જોઈ પણ બારણે વાગતી
ઘંટડી બંધ જ ન
થઈ. થોડી વાર બાદ
તો બારણે ઉભેલા આગંતુકે
ઘંટડીને બદલે બારણું જોરજોરથી
ખખડાવવાનું શરૂ કર્યું.
મને
વિચાર આવ્યો મને મળવા
તો ક્યારેય કોઈ આવતું નથી.તો પછી આટલું
અધીરું થઈ આજે આ
કોણ આવ્યું હશે બારણે?
મેં
ફાંસી ખાવા હાથમાં લીધેલું
દોરડું છોડી દીધું અને દરવાજો ખોલવા નીચે
ઉતરી બારણાં તરફ જવા
માંડ્યું. એ દરમ્યાન બારણાં
પર નો ખખડાટ વધતો
ચાલ્યો.જેવો મેં દરવાજો
ખોલ્યો કે હું આભી
જ બની ગઈ.મારી
સામે અલ્લાના ફરિશ્તા જેવો ધોળો ધોળો
દૂધ જેવો દૈવી કિશોર
ઉભો હતો. તેના મુખ
પર હતું એવુ સ્મિત
મેં જીવનમાં ક્યારેય કોઈના મુખ પર
જોયું નહોતું. હું મારી ત્યારે
અનુભવેલી લાગણીઓને શબ્દોમાં વર્ણવી શકીશ નહિ.
તેના મુખકમળમાંથી સરેલા શબ્દોએ જાણે
મારા મૃત હ્રદયને ફરી
ધડકતું કરી નાંખ્યુ! તેણે
તેના અતિ મધુર સ્વરે
કહ્યું," અમ્મા …મારે તમને એટલું
જ કહેવું છે કે
અલ્લા તમને ખુબ પ્રેમ
કરે છે અને તેને
તમારી ખુબ પરવા છે."
પછી
એણે મને આ ફરફરીયું
આપ્યું "જન્નત ની રાહ"
જે અત્યારે પણ મારા હાથમાં
છે. જેવો એ દૈવી
છોકરો મારી આંખો સામેથી
દૂર થયો કે મેં
બારણું બંધ કર્યું અને
ઘરમાં આવી તરત મેં
એ ફરફરીયામાં લખેલો એકે એક
શબ્દ વાંચ્યો. પછી હું
ફરી ફાંસી લેવા માટે
તૈયાર રાખેલા દોરડા પાસે
ગઈ અને મેં તેને
ફેંકી દીધું કારણ હવે
હું ક્યારેય એનો ઉપયોગ કરવાની
નહોતી.
હવે
હું અલ્લાની સાચી ભક્ત,અનુયાયી
બની ચૂકી છું.ફરફરીયામાં
છેલ્લે લખેલા તમારા સરનામાને
શોધતી શોધતી હું અહિ
લગી આવી છું અલ્લાના
એ નાનકડા ફરીશ્તાનો હ્રદયપૂર્વક
આભાર માનવા કારણ તેણે
જ અણીના સમયે આવીને
મને મારું મૂલ્યવાન જીવન
ટૂંકાવી દઈ શાશ્વતી નર્કાગારમાં
જતાં બચાવી છે.”
મસ્જીદમાં
આ ઘટના સાંભળી એક
પણ આંખ કોરી રહી
નહિ. હવામાં "તકબીર...અલ્લાહ અકબર..." ના
નારા ગૂંજી રહ્યાં.
પિતા
ઇમામ પોતાની બેઠક પરથી
ઉતરી નીચે પ્રથમ હરોળ
પાસે આવ્યા જ્યાં તેમનો
પુત્ર બેઠો હતો અને
તેને બાથમાં લઈ ચોધાર
આંસુએ રડી પડ્યા.
આ
ક્ષણ અદભૂત હતી, વિરલ
હતી, દિવ્ય હતી જ્યારે
સંસારનો એક પિતા – ઇમામ પોતાના પુત્ર માટે સૌથી વધુ પ્રેમ
અને આદર અનુભવી રહ્યો હતો !
('ઈન્ટરનેટ
પરથી')
'એક નાના ફરિશ્તાની વાત ' વાંચતા જ આંખ ભરાઈ ગઈ. ઈશ્વર ક્યાં , કેવી રીતે અને કયા સ્વરૂપે આપણને મદદ કરતો હોઈ છે તેની આપણને કલ્પના જ નથી હોતી. આવી સંવેદનશીલ કૃતિઓ જિંદગીમાં કપરા સમયે ધ્રુવ તારકનું કામ કરતી હોઈ છે. આપની કલમ દ્વારા નિત્ય આવું સુંદર સાહિત્ય પીરસાતું રહે એ જ ચાહ .
ReplyDeleteરોહિત કાપડિયા