Sunday, April 7, 2013

મહાનુભાવોએ કરેલી સાત યાદ રાખવા જેવી વાત

શેક્સપિયર :
ક્યારેય કોઈની લાગણી સાથે ન રમો. કારણ તમે કદાચ એ રમતમાં તો જીતી જશો પણ ચોક્કસ એ વ્યક્તિને સદાય માટે હારી જશો.

 
નેપોલિયન :
દુનિયાએ ઘણી પીડા વેઠવી પડે છે. ખરાબ લોકોની હિંસાને લીધે નહિ, પરંતુ સારા લોકોના મૂંગા બેસી રહેવાને લીધે.


આઈન્સ્ટાઈન :
હું એ બધાનો ખૂબ ખૂબ આભારી છું જેમણે મને  "ના"  કહી, તેમના કારણે જ એ કાર્યો હું પોતે કરી શક્યો
 

અબ્રાહમ લિંકન :
જો મિત્રતા તમારી સૌથી મોટી નબળાઈ હોય તો તમે જગતના સૌથી શક્તિશાળી મનુષ્ય છો.

 
માર્ટીન લ્યુથર કિંગ :
આપણે બધા એ ભાઈચારાથી હળીમળીને રહેવું જોઇએ નહિતર આપણે બધા મૂર્ખાઓમાં ખપી નાશ પામીશું.


મહાત્મા ગાંધી :
નબળા ક્યારેય માફ કરી શક્તા નથી. ક્ષમા એ તો સમર્થ અને સશક્તનો ગુણ છે.

 
ડો.અબ્દુલ કલામ :
કોઈને પરાજિત કરવું ખૂબ સરળ છે, પણ કોઈને જીતી લેવું ખૂબ અઘરૂં છે.

No comments:

Post a Comment