વિચારો જીવંત હોય છે. એક પથ્થરનો ટુકડો જેટલો નક્કર અને મજબૂત હોય છે એટલો જ એક વિચાર. મનુષ્ય મરી જાય છે પણ તેના વિચારો અમર છે.
વિચારના દરેક પરિવર્તન સાથે તેની નક્કરતા કે મજબૂતાઈના કંપન જોડાયેલા હોય છે. વિચાર ને વાસ્તવિકતામાં બદલાવા માટે તેની નક્કરતા ચોક્કસ પ્રમાણમાં હોવી જરૂરી છે. જેટલો વિચાર વધુ મજબૂત તેટલો તે જલ્દી વાસ્તવિકતામાં પરિવર્તિત થાય છે. વિચારને યોગ્ય ધ્યાન પ્રાપ્ત થવું જોઈએ, તે કેન્દ્રિત થવો જોઈએ. તેને યોગ્ય દિશા પ્રાપ્ત થવી જોઈએ. જો આમ થાય તો તે જે કાર્ય માટે કરાયો હોય તે અસરકારક રીતે પરિપૂર્ણ થાય છે.
- સ્વામી શિવાનંદ સરસ્વતી
(ઇન્ટરનેટ પરથી)
No comments:
Post a Comment