Thursday, December 10, 2020

સોનેરી સુવિચારો

# તમારી વ્યક્તિગત છબી અંગે સભાન રહો, ઉંમર અંગે નહીં.

# જીવન તમારી સાથે બનતી ઘટના નથી, પણ તમે કરેલા કર્મોનો પ્રતિભાવ છે.

# આદર્શ હોવાનો ડોળ કરવા કરતાં ભૂલો કરવી વધારે સારી.

# સ્વપ્નો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર એટલે કર્મ.

# ઘણાં લોકો તમને પસંદ કરતા હશે પણ તેઓ તમને આદર આપે એવા બનવું મહત્ત્વનું છે.

# દરેક નવું 'એડજસ્ટમેન્ટ' તમારા સ્વમાન માટે ઝંઝાવાત સમાન હોય છે.

# તમે કેટલી હદે માફ કરી શકો છો તેનો આધાર તમે કેટલો પ્રેમ કરો છો તેના પર છે.

# દરેક નવા સૂર્યોદયની સાથે તમે નવી શરૂઆત કરતાં હોવ છો.

# પીડા ક્યારેય કાયમી હોતી નથી.

# તમે એટલાં જ માંદા પડતાં હોવ છો જેટલી તમારી મૂડી હોય છે.

# તમારો જૂનો મિત્ર શ્રેષ્ઠ દર્પણ સમાન છે.

# શ્રમ અને પ્રાર્થના સાથે મળી ચમત્કાર સર્જી શકે છે.

# અંતે 'કઈ રીતે' એ મહત્ત્વનું છે, નહીં કે 'કેટલું'.

# એક માત્ર 'ચેમ્પિયન' હારવાથી ડરતો હોય છે, અન્ય દરેક જણ જીતવાથી ડરતો હોય છે.

# ઔદાર્ય સલાહ આપવાની જગાએ સહકાર કે માર્ગદર્શન આપવામાં છે.

કંટાળવું એ પોતાની જાતના અપમાન કરવા સમાન છે. (તમે એકલા હોવ ત્યારે પણ કંટાળી કઈ રીતે શકો, તમે ત્યારે તમારા શ્રેષ્ઠ મિત્ર - 'સ્વ' સાથે હોવ છો!)

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment