Sunday, December 9, 2018

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચેનો દુર્લભ વાર્તાલાપ

સ્વામી વિવેકાનંદ : મને સમય જ મળતો નથી. જીવન અતિ વ્યસ્ત થઈ ગયું છે.
રામકૃષ્ણ પરમહંસ : પ્રવૃત્તિ (activity) તમને વ્યસ્ત રાખે છે જ્યારે ઉત્પાદકતા (productivity) તમને મુકત કરે છે.

સ્વામી વિવેકાનંદ : જીવન હવે શા માટે સંકુલ બની ગયું છે?
રામકૃષ્ણ પરમહંસ : જીવનનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દે, એમ કરતાં એ સંકુલ બની જાય છે. માત્ર એને જીવી જાણ.

સ્વામી વિવેકાનંદ : આપણે શા માટે સતત દુ:ખી રહીએ છીએ?
રામકૃષ્ણ પરમહંસ : ચિંતા કરવી એ આપણી આદત બની ગઈ છે તેથી આપણે દુ:ખી રહીએ છીએ.

સ્વામી વિવેકાનંદ : સારા માણસોએ શા માટે હંમેશા સહન કરવાનો વારો આવે છે?
રામકૃષ્ણ પરમહંસ : હીરો ઘસાયા વગર ચળકાટ પ્રાપ્ત કરી શકે નહીં, સોનું તપાવ્યા વગર શુદ્ધ થઈ શકે નહીં, સારા માણસો કસોટી માંથી પસાર થાય છે પણ એનાથી વિચલિત થતાં નથી. એ અનુભવો દ્વારા તેમનું જીવન સમૃદ્ધ બને છે.

સ્વામી વિવેકાનંદ : તમે કહેવા માગો છો કે આવા અનુભવો ઉપયોગી છે?
રામકૃષ્ણ પરમહંસ : હા, દરેક ક્ષેત્રે, દરેક સમયે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થાય છે. એ પહેલાં તમારી કસોટી લે છે અને પાઠ પછી શીખવે છે.

સ્વામી વિવેકાનંદ : આટલી બધી મુશ્કેલીઓ ને લીધે ખબર નથી હું કઈ દિશામાં જઈ રહ્યો છું.
રામકૃષ્ણ પરમહંસ : જો તારું ધ્યાન બહાર તરફ જ હશે તો તને ખ્યાલ નહીં આવે તું કઈ દિશામાં જઈ રહ્યો છે. તારી અંદર ડોકિયું કર. આંખો દ્રષ્ટિ પૂરી પાડશે, હ્રદય સાચો માર્ગ બતાવશે.

સ્વામી વિવેકાનંદ : શું નિષ્ફળતા સાચી દિશામાં જવાથી પડતા કષ્ટો કરતા વધુ દુ:ખ પહોંચાડે છે?
રામકૃષ્ણ પરમહંસ : સફળતા એ તો અન્યો દ્વારા નક્કી કરાયેલ માપદંડ છે. જાત દ્વારા તો સંતોષનો અનુભવ કરાવો જોઈએ.

સ્વામી વિવેકાનંદ : મુશ્કેલ સમયમાં પોતાને કઈ રીતે ઉત્સાહિત રાખી શકાય?
રામકૃષ્ણ પરમહંસ : હંમેશા એ ધ્યાનમાં રાખો કે તમે કેટલે પહોંચ્યા છો, નહીં કે તમારે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે. હંમેશા તમને મળેલી દુઆઓ ધ્યાનમાં રાખો, અભાવો નહીં.

સ્વામી વિવેકાનંદ : લોકો વિશેની કઈ વાત તમને નવાઈ પમાડે છે?
રામકૃષ્ણ પરમહંસ : જ્યારે તેઓ દુ:ખમાં હોય ત્યારે પૂછે છે કે "મારી સાથે જ આવું શા માટે?" પણ જ્યારે સુખમાં હોય ત્યારે નથી પૂછતાં કે "મારી સાથે આવું શા માટે?"

સ્વામી વિવેકાનંદ : હું જીવનને સર્વ શ્રેષ્ઠ રીતે કેમ કરી જીવી શકું?
રામકૃષ્ણ પરમહંસ : તમારા ભૂતકાળનો પસ્તાવા વગર સામનો કરો, વર્તમાનને આત્મવિશ્વાસ પૂર્વક સંભાળો અને ભવિષ્ય માટે નિર્ભયતા પૂર્વક તૈયારી કરો.

સ્વામી વિવેકાનંદ : એક છેલ્લો સવાલ. ક્યારેક મને લાગે છે કે ઇશ્વર મારી પ્રાર્થના સાંભળતો નથી, તેનો જવાબ આપતો નથી.
રામકૃષ્ણ પરમહંસ : ક્યારેય કોઈ પ્રાર્થના જવાબ વગરની રહેતી નથી. શ્રદ્ધા રાખો અને ડર ખંખેરી નાખો. જીવન એક રહસ્ય છે જેને ઉલ્ઝાવવાનું છે, તે કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય. જીવન અદભૂત ભેટ છે, જો તેને સારી રીતે જીવતા આવડે તો. હંમેશા ખુશ રહો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment