Sunday, December 9, 2018

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગરની ચા શા માટે પીએ છે?

અમિતાભ બચ્ચન રોજ સવારે દુધ વગર ની ચા પીએ છે કારણકે... વાંચો તેના જ શબ્દોમાં :

૧૯૯૭ નો ગંભીર સમય ચાલી રહ્યો હતો. રાતના ઉજગરા લગભગ સાહજીક થઇ ગયા હતા. સવારે ઉઠવામાં સહેજ  મોડું થયુ. રોજની આદત મુજબ થોડુ વોક કર્યુ અને ટેરસ ગાર્ડનમાં આવ્યો. રોજીંદા ક્રમ મુજબ વર્તમાન પત્રો આવ્યા, પણ ચા ના આવી. છેલ્લા ૨૬ વર્ષ થી પરીવાર ના સભ્ય બની ગયેલા જશોદાતાઇ ને બુમ પાડી પુછ્યુ ચા નું, તો તેણે કહ્યું કે દુધ નથી આવ્યું. મને યાદ નથી કે ક્યારેય મારા ઘેર દુધ ન આવ્યુ હોય તેવુ બન્યુ હોય. વાતને કોઇ કારણ થી સાહજીક ગણી ને અન્યથી દુધની વ્યવસ્થા કરી. બીજા દિવસે પણ તે જ ક્રમ બન્યો. દુધ ના આવ્યુ.  મારી ચા ની વ્યવસ્થા તો થઇ ગઇ પણ ચા નો ટેસ્ટ રોજ બદલાવવા લાગ્યો. ખબર નહીં લગભગ એક અઠવાડીયા પછી મને ખબર પડી કે મારી અને મારી કંપની ABCL વિશેના સાચા ખોટા સમચાર મિડીયામાં આવતા તથ્યહિન સમાચારોની અસર એ દુધ વાળા પર પડી હતી અને પોતાના પૈસાની સલામતીની ચિંતા માટે તેણે તાત્કાલિક દુધ બંધ કરી દીધું હતું. તે મારા ઘરે રોજ ૩ લિટર જેટલુ દુધ આપતો હતો અને છેલ્લા ૧૭ વર્ષ થી આપતો હતો ...... સમાચાર સાંભળી મારા લેણીયાતો પ્રત્યેનો મારો ગુસ્સો ઓગળી ગયો. મેં રીતસર ટેરેસ પર જઇ ખૂલ્લા આકાશ સામે અટ્ટાહાસ્ય કર્યુ. હું ટેન્શનમાંથી હળવો ફુલ બની ગયો. મને પ્રતિત થયુ કોઇ મને કહી રહ્યુ હતુ, સંકેત આપી રહ્યુ હતુ,  દોસ્ત સહુ થી મહાન સમય છે આ એજ સુપર સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે જેના નામ ના ભારત ની ફિલ્મ ઇન્ડ. માં ડંકા પડતા હતા, ઓટોગ્રાફ માટે લાઇનો લાગતી હતી. એજ અમિતાભ છે જેની માં તેજી બચ્ચન ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન ઇંદિરાજીની મિત્ર હતી, જે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવજીનો મિત્ર હતો, જેના પિતા પૂજ્ય હરિવંશ રાય બચ્ચન રાષ્ટ્રભાષા હિંદી ના મોટા દરજ્જા ના કવિ હતા જેની પત્ની સફળ હિન્દી અભિનેત્રી છે તે અમિતાભ ના ઘર નુ દુધ પણ દુધ વાળો બંધ કરી શકે છે ...વાંચકો આપણે માત્ર સમય ની કઠપુતળી ઓ છીએ ... હોશિયાર સમયને માન આપો, વ્યક્તિઓ પ્રત્યે રાગ -દ્વેષ ના રાખો, કોઇ ભેદી શક્તિ તેને આપણા વિશે સારા ખરાબ વિચારો લાવે છે. હા અને મેં મારા પિતાશ્રીની સ્મૃતી માં ધારાવી ઝુડપપટ્ટી નો વ્યક્તિગત ધોરણે દુનિયાનો  સહુ થી મોટો મફત દુધ નો પ્રોજેક્ટસ કરેલ, ત્રણ વર્ષ સુધી ચાહકો અને મિત્રો ના સૌજન્ય થી ચલાવેલ જેના પર થી મહારાષ્ટ્ર સરકાર દુધ સંજીવની યોજના લાવી ... મારા ઘરનું દુધ, દુધ વાળા એ બંધ કર્યુ કારણે મારા વિશે ની ગેરસમજો વધુ ઝડપ થી ફેલાઇ રહી હતી પણ એક દુધવાળો મને ઘણુ શિખવી ગયો આજે પણ હું હવે સવારે દુધવાળી ચા નથી પીતો, બ્લેક ટી પીવું છું માટે જ સમય ને યાદ રાખી કામ કરી શકું છું .....

(વિરેન્દ્ર કપૂર લિખિત અમિતાભ બચ્ચન ની બાયોગ્રાફી "EXCELLENCE"
પેજ નં ૨૧૩-૨૧૪  ગુજરાતી અનુવાદ - અરૂણ મેઘ)

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment