Tuesday, October 2, 2018

બુદ્ધિમત્તા અને ડહાપણ વચ્ચેનો ભેદ

૧. બુદ્ધિમત્તા દલીલ તરફ દોરી જાય છે, ડહાપણ સમાધાન તરફ. 
૨. બુદ્ધિમત્તા ઈચ્છાઓનું બળ છે, ડહાપણ ઈચ્છાઓ પર બળ (સંયમ). 
૩. બુદ્ધિમત્તા ગરમી છે, એ બાળે છે; ડહાપણ હૂંફ છે, એ શાતા આપે છે. 
૪. બુદ્ધિમત્તા જ્ઞાનની તલાશ છે, એ થકવી દે છે ; ડહાપણ સત્યની શોધ છે, એ સદાયે પ્રેરણા આપતું રહે છે. 
૫. બુદ્ધિમત્તા જકડી રાખતા શીખવે છે, ડહાપણ જતું કરતા. 
૬. બુદ્ધિમત્તા દોરે છે, ડહાપણ તમને માર્ગદર્શન આપે છે. 
૭. બુદ્ધિમાન માણસ વિચારે છે કે તેને બધી જ ખબર છે, જ્યારે ડાહ્યો માણસ વિચારે છે કે હજી કઇંક શીખવાનું બાકી છે. 
૮. બુદ્ધિમાન માણસ પોતાનો કક્કો ખરો કરવાની વેતરણમાં પડ્યો હોય છે, ડાહ્યો માણસ જાણે છે કે કોઈ જ મુદ્દો સો ટકા સાચો કે સો ટકા ખોટો હોતો નથી. 
૯. બુદ્ધિમાન માણસ મુક્તતાથી વણ-માંગી સલાહ આપતો ફરે છે, ડાહ્યો માણસ જ્યાં સુધી બધાં જ પર્યાય સમાપ્ત ન થઈ ગયા હોય ત્યાં સુધી મૌન સેવે છે. 
૧૦. બુદ્ધિમાન માણસ કહેલું બધું સમજી જાય છે, ડાહ્યો માણસ ન કહેલું પણ સમજી જાય છે. 
૧૧. બુદ્ધિમાન માણસ કહે છે જ્યારે તેને કઇંક કહેવું હોય છે, ડાહ્યો માણસ કહે છે જ્યારે તેની પાસે કઇંક કહેવા જેવું હોય છે. 
૧૨. બુદ્ધિમાન માણસ બધું સાપેક્ષ છે (relative) એમ સમજે છે, ડાહ્યો માણસ બધું સંકળાયેલું કે સંબંધિત (related) છે એમ સમજે છે. 
૧૩. બુદ્ધિમાન માણસ ટોળાને કાબુમાં લેવાના પ્રયત્નો કરે છે, ડાહ્યો માણસ ટોળામાંથી પોતાનો રસ્તો શોધી લેવાનો પ્રયત્ન કરે છે. 
૧૪. બુદ્ધિમાન માણસ ઉપદેશ આપે છે, ડાહ્યો માણસ સારું આચરણ અમલમાં મૂકી પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. 

બુદ્ધિમત્તા સારી છે પણ ડહાપણ વધુ સારા પરિણામ આણે છે. 

(ઇન્ટરનેટ પરથી) 

No comments:

Post a Comment