Sunday, November 6, 2016

વિચારકણિકાઓ

·         જ્યારે પૂર આવે છે ત્યારે માછલીઓ કીડીને ખાય છે અને જ્યારે પૂરના પાણી ઓસરી જાય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે. માત્ર સમયનું મહત્વ છે. ધીરજ ધરો. ઇશ્વર સૌને મોડી વહેલી તક આપે છે.

·         થિયેટરમાં નાટક જોવા જાવ ત્યારે સૌથી આગળની સીટ મેળવા માટે પ્રયત્ન કરો છો અને ફિલ્મ જોવા જાવ ત્યારે સૌથી પાછળની. રીતે તમારું જીવનમાં સ્થાન સાપેક્ષ છે. ચોક્કસ કે સ્થિર નહિ.

·         સાબુ બનાવવા માટે તેલ વપરાય છે. પણ તેલ સાફ કરવા સાબુ નો ઉપયોગ થાય છે. આવી વિષમતા ક્યારેક જીવનમાં પણ જોવા મળે છે.

·         દરેક સમસ્યાના ( + ) હલ હોય છે.જેમાં '' સમસ્યાના એટલા હલ છે જે તમે અજમાવી ચૂક્યા હોવ છો અને હલ છે જે તમે અજમાવ્યો નથી.

·         જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એમ વિચારો કે અંત આવી ગયો છે, જીવનનો એક વળાંક માત્ર હોય છે.

·         માત્ર બે પ્રકારના લોકો જીવનમાં સુખી હોય છે - એક પાગલ અને બીજા બાળક. નિર્ધારીત લક્ષ્યને હાંસલ કરવા પાગલ બની જાવ અને જે મેળવ્યું છે તેને માણવા બાળક જેવા બની જાવ.

·         સફળતાનું કોઈ એસ્કેલેટર નથી હોતું, મેળવા પગથિયા ચડવા પડે છે.

('ઈન્ટરનેટ પરથી')


No comments:

Post a Comment