સર્વે વાચક મિત્રોને દિવાળીની હ્રદયપૂર્વકની શુભકામનાઓ !!!
દિવાળી વિષે ઓછી જાણીતી એવી કેટલીક રસપ્રદ વાતો આજે ઇન્ટરનેટ કોર્નરમાં જોઇએ.
એક માન્યતા પ્રમાણે શબ્દ 'દિવાળી /દીપાવલી' સૌ પ્રથમ વાર આચાર્ય જિનસેને તેમના હરિવંશ પુરાણમાં સ્વાતિ નક્ષત્ર દરમ્યાન કાર્તિક કૃષ્ણ ચૌદશે (અમાવસ્યાની સાંજે) વાપર્યો હતો.શક સંવત ૭૦૫માં તેની રચના થઈ. આમ ભારતવાસીઓ દર વર્ષે પ્રખ્યાત દિપાલિકાયાની ઉજવણી કરી જિનેન્દ્રના નિર્વાણને આદર પૂર્વક યાદ કરી તેમની પૂજા કરે છે. વાલ્મિકી રામાયણ ,મહાભારત્, પુરાણો કે તુલસીદાસ રચિત રામ ચરિત માનસમાં પણ દિવાળીનો ઉલ્લેખ નથી.આથી કદાચ એમ ધારી શકાય કે દિવાળી એક જૈન પરંપરા હતી જે પછીથી ભારતીય રંગે રંગાઈ અને લગભગ દરેક ભારતીય દ્વારા તે આજે ઉજવાય છે.
આ તહેવાર જૈન દેવતાઓના સન્માનમાં ઉજવવામાં આવે છે અને જૈન ધર્મના ૨૪ મા તીર્થંકર મહાવીર સ્વામી ના જીવનચક્રમાંથી અંતિમ મુક્તિ કે મોક્ષ મળ્યાની યાદમાં ઉજવાય છે. તેઓ ૭૨ વર્ષની વયે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પામ્યા હતા.
કાર્તિક વદ ચૌદસ, કાર્તિક પૂર્ણિમા અને કાર્તિક વદ એકમ આ ત્રણ દિવસ પૌષાઢ, ઉપવાસ , ચોક્કસ મંત્રોના સતત જાપ અને ધ્યાનયોગ સાથે ઉજવવામાં આવે છે. જૈનો આ ત્રણ દિવસ ખાસ ઉપવાસ રાખે છે અને ઉત્તરાધ્યાયન સૂત્રનું શ્રવણ કરે છે જેમાં મહાવીર સ્વામી નો અંતિમ સંદેશ છે.
દિવાળીની આખી રાત પવિત્ર મંત્રો ઉચ્ચારી અને શ્રમણ ભગવાન મહાવીરના ધ્યાનમાં ગાળવી જોઇએ એમ જૈનો માને છે. નવા વર્ષના પ્રથમ પરોઢિયે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને સંપૂર્ણ જ્ઞાન ,બોધ પ્રાપ્ત થયા હતા.
જૈનો નવા વર્ષની શરૂઆત ભગવાન ગૌતમ સ્વામીની પૂજા સાથે, સમર્પિત ભાવ સાથે તેમના પવિત્ર ગ્રંથમાંથી નવ સ્તોત્ર સાંભળી અને ગૌતમ સ્વામીના રસ (પવિત્ર પૌરાણિક કાવ્ય) ને તેમના ગુરુ મહારાજ પાસેથી સાંભળી કરે છે.
આ દિવસે મહાવીર સ્વામીની મધ્ય રાત્રિએ અને બીજા દિવસની વહેલી સવારે પૂજા થાય છે. પવિત્ર મંત્રો બોલવામાં આવે છે અને આખું ઘર સુંદર રીતે શણગારી પ્રકાશિત કરાય છે. ગુજરાતના ગિરનારમાં તો આ ઉત્સવ એક અનોખા ઉત્સાહ અને ભારે જોશ સાથે ઉજવાય છે. આખા દેશમાંથી જૈન ભક્તો પાવાપુરી ખાતે ભેગા મળે છે અને મીઠાઈઓ વહેંચાય છે. ખેડૂતો પશુધન પાસે કામ કરાવતા નથી અને ખેતી માટે પોતાની માલિકીના બળદ ખરીદે છે.
દિવાળી શીખો માટે પણ એક સૌથી મહત્વનો તહેવાર છે. એ તેમના માટે એક પવિત્ર દિવસ છે. ૧૫૭૭માં, દિવાળીને દિવસે શીખોના સૌથી અગત્યના પવિત્રધામ સુવર્ણ મંદીરનો પાયાનો પથ્થર મૂકાયો હતો. ત્રીજા શીખ ધર્મ ગુરુએ પોતાના બધાં શિષ્યોને ગુરુના આશિષ મેળવવા એક જગાએ ભેગા મળવા જણાવ્યું. દિવાળીસૌ પ્રથમ વાર છઠ્ઠા શીખ ધર્મગુરુ હરગોવિંદ સાહેબના જીવનકાળ દરમ્યાન મનાવાઈ હતી.એ સમયે મોગલ બાદશાહ જહાંગીરનું રાજ હતું. તેણે છઠ્ઠા ધર્મગુરુ અને અન્ય૫૨ હિન્દુ રાજાઓને જેલમાં પૂરી દીધાં. પણ ભારતનાં તેમજ ભારતની બહારના અનેક લોકોની વિનંતીઓને માન આપી તેણે દિવાળીને દિવસે ગુરુ હરગોવિંદ સાહેબનેમુક્ત કર્યા. એ જ દિવસે ગુરુ હરગોવિંદ સાહેબના આગ્રહને માન આપી જહાંગીરે અન્ય ૫૨ હિન્દુ રાજાઓને પણ મુક્ત કરી દીધાં. શીખો ખુબ ખુશ હતા કારણ તેમનાનેતા , તેમના ધર્મગુરુ આઝાદ થઈ ગયા હતાં. ગુરુ હરગોવિંદજી મુક્ત થયા બાદ દિવાળીને જ દિવસે સુવર્ણ મંદીર દર્શન કરવા ગયા હતા. ગુરુની માતા ઘણી ખુશ હતીઅને તેણે સૌને મીઠાઈ વહેંચી હતી. શ્રદ્ધાળુઓએ એ દિવસે સુવર્ણ મંદીરના જળાશયમાં રંગીન પ્રકાશિત દીવા તરતા મૂક્યાં. રાતે પણ ભવ્ય આતશબાજી દ્વારા તેદિવસની ઉજવણી કરવામાં આવી. એ જ દિવસે ૫૨ હિન્દુ રાજાઓ પણ મુક્ત થયા હોઈ અખંડ ભારત ભરમાં રંગો,ઉત્સાહ સાથે અને ફટાકડા ફોડી દિવાળીનો દિવસઉજવવામાં આવ્યો. શક્ય છે એ પછી ભારતભરમાં દિવાળીનો તહેવર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ.
ભાઈ મણીસિંઘ એક ભારે વિદ્વાન હતા અને તેમણે ૧૭૦૪માં ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા કહાયેલ ગુરુ ગ્રંથસાહેબ ની છેલ્લી આવ્રુત્તિ લખી હતી.૧૭૦૮માં તેમણેહરમંદીર સાહેબનું વ્યવસ્થાપન હાથમાં લીધું.દિવાળી તે સમયે સુવર્ણ મંદીરમાં નહોતી ઉજવાતી.૧૭૩૭માં પંજાબ પર રાજ કરતા મોગલ રાજા ઝકારીયા ખાને તેમને ભારેમોટા કરની બદલે દિવાળી સુવર્ણ મંદીરમાં ઉજવવાની પરવાનગી આપી.કોઈક કહે છે આ કર રૂપિયા પાંચ હજાર હતો તો કોઈક કહે છે રૂપિયા દસ હજાર. સમગ્રભારતના શીખોને આ 'બંદી છોડ' દિવસની ઉજવણી માટે હરમંદીર સાહેબમાં પધારવા આમંત્રણ પાઠવાયા.ભાઈ સિંઘે વિચાર્યુ હતું કે આ દિવાળી ઉજવણીમાં આવનારદરેક શીખ પાસેથી નાનકડી રકમ ફી પેઠે સ્વીકારતા તેઓ કર તરીકે ચૂકવેલી મસમોટી રકમ ભરપાઈ કરી શકશે. પણ ભાઈ મણી સિંઘને પાછળ થી જાણ થઈ કેઝાકરીયા ખાને ભેગા થનાર સર્વે શીખોની સામૂહિક હત્યાનુ છૂપું ષડયંત્ર રચ્યું હતું. તેમણે તરત શીખોને આ ઉજવણીમાં ન આવવાના સંદેશાઓ મોકલી દીધાં. ભાઈમણી સિંઘજી કર માટે ચૂકવવાની રકમ એકઠી કરી શક્યા નહિ. ઝાકરેયા ખાન ના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું આથી તે રોષે ભરાયો અને તેણે મણી ભાઈ સિંઘનીલાહોર ખાતે શરીરના ટુકડે ટુકડા કરી હત્યા કરવાનો ઘાતકી આદેશ આપ્યો. ત્યારથી, શહીદ મણી ભાઈ સિંઘજીના આ મહાન બલિદાન અને સમર્પણ ને યાદ કરીનેબન્દી છોડ દિવસ (દિવાળી) તરીકે ઉજવવામાં આવે છે.
આ પ્રકાશનું પર્વ છે. દીપક જલાવવો એ સાચા અર્થમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા અને સદગુણો (ઉદાર,નમ્ર,નરમ,સહનશીલ,નિસ્વાર્થ અને સારા શબ્દોબોલનાર બનવું) પ્રાપ્ત કરવાના પ્રતીક સમાન છે. ગુરુ ગ્રંથ સાહેબજીમાં ૩૫૮માં પાને કહ્યું છે કે ભગવાનનું નામ કહેવું (દિવ્ય સમર્પણ) એ મારો દીપક છે (મનમાંપ્રગટાવવાનો); મેં દુર્ગુણ રૂપી વેદનાઓનું તેલ એમાં પૂર્યું છે (અહમ, ઇર્ષ્યા, ક્રોધ, વાસના, લાલચ) આ દીપકની જ્યોત આ તેલને બાળી નાખશે અને હું વાહેગુરુમાંએકાકાર થઈ જઈશ.
('ઈન્ટરનેટ
પરથી')
દિવાળી એ કેવળ હિન્દુઓ દ્વારા મનાવાતો તહેવાર નથી. શીખો અને જૈનો પણ તેની ઉજવણી વિશિષ્ટ રીતે કરે છે એવી ઓછી જાણીતી વાતો ઇન્ટરનેટ કોર્નરમાં વાંચવા મળી.આભાર.
ReplyDeleteઇન્ટરનેટ કોર્નર પર આધારીત આપનું પુસ્તક કરંડિયો વાંચ્યું, ફરી વાંચ્યું. ટૂંકી ટૂંકી પણ સચોટ વાતો ખુબ ગમી.
ReplyDelete