Wednesday, September 21, 2016

તાળી પાડવાના ફાયદા

તાળી પાડવી એટલે એનો સરળ અર્થ તમે કરશો બે હાથ એકમેક સાથે અફળાવવા પણ ખરા અર્થમાં એથી કંઈક વિશેષ છે.
સામાન્ય રીતે લોકો કોઈના સારા કામને બિરદાવવા કે તેમની સફળતાને તાળી પાડતા હોય છે કે પછી પોતે જ્યારે આનંદી મિજાજમાં હોય ત્યારે તાળી પાડતા હોય છે.
લોકો ગીત ગાતી વખતે , ભજન ગાતી વખતે કે મંદીરમાં આરતી ગાતી વખતે પણ તાળી પાડતા હોય છે.
વૈજ્ઞાનિક ઢબે સાબિત થયું છે કે તાળી પાડવાની અસરકારક કસરત ઘણાં માનવીય રોગોનો ઇલાજ છે. તાળી પાડવાથી હથેળી પરની સંવેદનગ્રંથિઓ કાર્યાન્વિત થાય છે અને તેના પરીણામે મગજનો મોટો ભાગ પણ કાર્યાન્વિત થાય છે જે સારા આરોગ્યનું કારણ બને છે.
આપણી હથેળીઓ પર શરીરના લગભગ બધાં અવયવોના ૩૯ જુદા જુદા એક્યુપ્રેશર પોઇન્ટ્સ આવેલા છે જે તાળી પાડીએ ત્યારે કાર્યાન્વિત થાય છે. આનાથી તંદુરસ્તી ધીમી ધીમે પણ ઘણા સારા પ્રમાણમાં અસરકારક રીતે સુધરે છે. દરરોજ સવારે ૧૦-૨૦ મિનિટ તાળી પાડવાથી તમે ચુસ્ત અને સજાગ તેમજ ઉર્જાસભર રહી શકો.
૧. જે વ્યક્તિ પાચનક્રિયાના રોગોથી પીડાતી હોય તેના માટે તાળી પાડવી એ એક અતિ અસરકારક દવા છે.
૨. તાળી પાડવી એ પીઠ, ગરદન અને સાંધાઓના દુખાવાનો શ્રેષ્ઠ ઇલાજ છે.
૩. ગાઉટ (સંધિવા) નામની વ્રુદ્ધ લોકોમાં જોવા મળતી સામાન્ય સમસ્યાનો તાળી પાડવી એ આસાન ઇલાજ છે.
૪. નીચા રક્તદબાણ (લો બ્લડપ્રેશર) માં પણ તાળી પાડવી મદદ રૂપ સાબિત થાય છે.
૫. જો કોઈને હ્રદય અને ફેફસા સંબંધી બિમારી હોય તો તે વ્યક્તિના ઇલાજમાં પણ તાળી પાડવી ખુબ મહત્વની સાબિત થાય છે.
૬. જે બાળકો રોજ તાળી પાડવાની કસરત કરે છે તે જોડણીની ઓછી ભૂલો કરે છે અને બીજા બાળકો કરતા વધુ મહેનત કરી શકે છે. તાળી પાડવાની કસરત અક્ષર પણ સુધારે છે. તાળી પાડવાથી બાળકોનું મગજ કુશાગ્ર બને છે.
૭. તાળી પાડવાથી મનુષ્યની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે. તેનાથી રોગો સામે લડવા માટે શરીર વધુ મજબૂત બને છે.
તો તાળી પાડો અને તંદુરસ્ત રહો!


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ઈલા પુરોહીતSeptember 25, 2016 at 10:31 AM

    તાળી પાડવાના ફાયદા લેખ ખુબ માહિતીપ્રદ હતો.એ વાંચી નાનપણમાં અમે ગાતા એ એક જોડકણું યાદ આવી ગયું :
    તાળી પાડે અને પડાવે
    એના મામા ખારેક લાવે

    ReplyDelete