આજે
એક નવી કળા શીખો "ફેંકી દેવાની" !
આજે
પવિત્ર અને નિર્મળ રહેવાની શરત સ્વીકારો! કોઈ જ પ્રકારના કચરાને
શરીરની અંદર નહિ ભરવાનો.
જ્યારે
તમને કોઈક એવી વાત કહે જે તમને નાપસંદ
હોય તો મોટે થી
કે મનમાં માત્ર એટલું બોલો "હું આ નાપસંદ વાત
ને ફેંકી દઉં છું."
કોઈ
તમને ગાળ આપે તો કહો "હું
આ ગાળ ફેંકી દઉં છું."
કોઈ
તમને નિરાશ કરે તો કહો "હું
આ નિરાશા ફેંકી દઉં છું.”
કોઈ
તમને ઇજા પહોંચાડે તો કહો "હું
આ ઇજાને ફેંકી દઉં છું."
કોઈ તમારી
નિંદા કરે તો કહો
"હું આ નિંદા ફેંકી
દઉં છું.”
કોઈ
તમારી સામે ઘાંટા પાડીને વાત કરે તો કહો "હું
આ ઘાંટાને ફેંકી દઉં છું."
કોઈ તમારી
પર ગુસ્સો કરે
તો કહો "હું આ ગુસ્સાને ફેંકી દઉં
છું.”
કોઈ તમારી
સામે ભાવ ખાય તો કહો "હું આ તેના ભાવ
ને ફેંકી દઉં છું.“
કોઈ
તમને ખરાબ રીતે જુએ તો કહો "હું આ તેની બૂરી
નજર ને ફેંકી દઉં
છું.”
આજે
એવા કોઈ જ તત્વને તમારી
અંદર ન પ્રવેશવા દો
જે તમારું ન હોય.
લોકોની
કચરા ટોપલી બનશો નહિ જેમાં તેઓ પોતાનો ગુસ્સો,નફરત,ઇર્ષ્યા અને કડવાશ ઠાલવી શકે.
આ
પ્રમાણે રોજ કરો અને જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.
જ્યારે
તમે "હું આ ફેંકી દઉં
છું” બોલો ત્યારે મનમાં એવી કલ્પના કરો કે જાણે કેટલાક
કિલોનું વજન તમારા શરીરમાંથી બહાર ફેંકાઈ રહ્યું છે.
પછી
જુઓ કેટલી હળવાશ અનુભવાય છે દિવસને અંતે!
('ઈન્ટરનેટ
પરથી')
'ફેંકી દેવાની કળા' લેખ ખુબ ગમ્યો.
ReplyDelete