Saturday, June 14, 2014

પતિના આકસ્મિક મૃત્યુ બાદ એક પત્નીએ લખેલો પત્ર (ભાગ - ૨)


એક સાચા અને સારા મિત્રે મને ટેકો આપ્યો અને સમજાવ્યું કે અંત નથી.મારે સંતાન નહોતાં.જો મને પણ કદાચ કંઈ થઈ જાય તો મારી સંપત્તિ પર દાવો માંડવા અનેક લોકો ઉભા થઈ જાય એમ હતું.મારા પતિના મૃત્યુ બાદ મને સમજાયું કે મારે હવે જીવનને ઘણું ગંભીરતાથી લેવાનું હતું.મારે એક વિલ તૈયાર કરવાની તાત્કાલિક જરૂર હતી.જો મને થોડા સમય પહેલા કોઈકે એમ કરવા કહ્યું હોત તો મેં ચોક્કસ હસી કાઢ્યું હોત પણ હવે મારા જીવને જબરદસ્ત વળાંક લીધો હતો.

અને દુર્ગમ પરિસ્થીતિએ શિખવેલા પાઠ મારે બધાં સાથે વહેંચવા છે.આપણે જેને ખૂબ પ્રેમ કરતા હોઇએ તેના ગયા બાદ શા માટે તેમણે આટલું બધું હેરાન થવું પડે? જો નીચે જણાવેલી કેટલીક બાબતો અને દસ્તાવેજીકરણ પર આપણે ધ્યાન આપીશું તો તેમનું દુ:ખ થોડું ઓછું કરવામાં સફળ થઈ શકીશું.

તમારા બધાં નોમિનેશન્સ ચકાસી લો...

એક એવી બાબત છે જેમાં તમે જે નામ પહેલવહેલું નોંધાવ્યું હોય તે તમે પછીથી સાવ ભૂલી જતા હોવ છો(જો તમે નામ નોંધાવવાની તસદી લીધી હોય તો!)લગ્ન પહેલાં,મોટે ભાગે આપણે નોમિની તરીકે આપણા બેન્ક ખાતા કે અન્ય દરેક જગાએ આપણા માતા કે પિતાનું નામ નોંધાવ્યું હોય છે.પછી તો તેમના મૃત્યુ બાદ પણ નામ આપણે બદલાવતા હોતા નથી.ઘણી વાર તમારા પગારના ખાતામાં પણ નોમિની તરીકે કોઈનું નામ નોંધાવેલું હોતું નથી. કૃપા કરીને બધાં ખાતાઓમાં નોમિનેશન ચકાસી લો :

- બેન્ક અકાઉન્ટ્સ

- ફિક્સ્ડ ડીપોઝીટ, એન.એસ.સી.

- ડિમેટ અકાઉન્ટ્સ

- બેન્ક લોકર્સ

- વિમા(જીવન,કાર,બાઈક કે અન્ય સંપત્તિ)

- રોકાણ

- પેન્શન અને પી.એફ. ફોર્મ્સ

 
  પાસવર્ડ્સ...

લગભગ દરેક ઓનલાઈન કે ઓફલાઈન સુવિધા કે સાધન માટે આજે પાસવર્ડ અનિવાર્ય બન્યો છે.ઇમેલ અકાઉન્ટ,બેન્ક અકાઉન્ટ,લેપટોપ વગેરે માટે પાસવર્ડ જરૂરી છે.જો તમારા પછી તમારું દાયિત્વ સંભાળનાર વ્યક્તિને તમારો પાસવર્ડ ખબર હોય તો પરિસ્થિતી કેટલી મુશ્કેલીભરી બની શકે છે તે મારે ફરી જણાવવાની જરૂર ખરી?તેને સુરક્ષિત સ્થાને જાળવી તેની જાણ તમારી નજીકની વિશ્વાસુ વ્યક્તિને કરી રાખો.

રોકાણ

દર વર્ષે આપણે કર બચાવવા રોકાણ કરતા હોઇએ છીએ.આપણે શું બધા રોકાણની વિગતો એક એક્સેલ શીટમાં નોંધતા હોઇએ છીએ ખરા? જો હોય તો પણ એવા લેપટોપ પર તો નહિ ને જેના પાસવર્ડની કોઈને જાણ હોય? બધાં રોકાણોની હાર્ડકોપી હોય તો તે યોગ્ય રીતે એક ફાઈલમાં ગોઠવો.

વિલ

એક વિલ બનાવવું અનિવાર્ય છે.તમે કદાચ હસશો વાંચીને,હું પણ હસી હોત જો કદાચ હું બધી ઉપર વર્ણવેલી દુર્ગમ પરિસ્થિતીમાંથી પસાર થઈ હોત તો.જો વિલ હોય તો ઘણાં બધા જમેલા અને સરકારી કામકાજની કડાકૂટથી બચી શકાય છે.

કરજ કે દેણું

જ્યારે તમે નવા ઘર કે ગાડી માટે લોન લો છો ત્યારે બધાં 'જો' અને 'તો' ને કાળજી પૂર્વક ચકાસી લો અને સમજી લો.જો કદાચ કાલે હું નહિ હોઉ તો?જો મારી નોકરી છૂટી જશે તો?આવી કોઈક પરિસ્થિતી ઉભી થઈ તો પણ .એમ.આઈ ભરવાનું મારા કે મારા સાથી કે અન્ય પરિવારજન માટે શક્ય બનશે?જો શક્ય હોય તો લોનનો વિમો ઉતરાવી લો.આનાથી તમે તમારી પાછળ છોડી ગયેલાં લોકોને નિશ્ચિંત બનાવી દેશો અને તેમને વિકટ પરિસ્થિતીમાં ઘર જેવી પાયાની વસ્તુ ગિરવે મૂકવાનો કે વેચવાનો વારો નહિ આવે.

મારા જીવનસંગ્રામની હજી શરૂઆત થઈ છે...પણ તમે તમારા નિકટજનો મુશ્કેલીમાં મુકાય કે તેમને હેરાન થવું પડે તેવી પરિસ્થિતી ઉભી થવા નહિ દેતા થોડા પરિવર્તન દ્વારા.

 (સંપૂર્ણ) 

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. 'JaY Shree KrushnA', Vikasbhai really your article in column internet corner dated 7th June is really eye opener for everybody. Though the lady is learned & chartered accountant & she is in helpless situation after his husband's death. If one qualified lady is facing such helpless situation by unexpected accident death of her husband than what to say about an ordinary house wife. It is really an eye opener article for everyone.
    Sent on my BlackBerry® from Vodafone

    ReplyDelete
  2. Vikas too good and truly helpful article. I strongly favor such arrangements as i have experienced it, exactly the reverse way, after my father's death. I was only 15 n the eldest child in d family. but my father used to share all his professional n finance related activities with me n mom almost daily, we could recover all his pending fees due to proper documentations. I think we all should overcome the emotional barriers n think practical to make the future of our family safe and happy even in our absence.

    ReplyDelete