Friday, May 30, 2014

શાંતિ


આજે આપણી પાસે શાંતિ નથી તેનું એક કારણ છે કે આપણે એકમેકના થઈને નથી જીવતા.

- મધર ટેરેસા

 

·         શાંતિ પ્રાપ્ત કરવા તમારે કોઈ દૂરના ડુંગરે કે નિર્જન વગડામાં જવાની જરૂર નથી.

·         શાંતિ પ્રાપ્ત કરવા તમારે તમારા જીવનમાં રહેલા અન્ય લોકોની શાંતિની ચિંતા કરવાની જરૂર નથી.

·         ઉંડી બંધનકર્તા શાંતિનો અનુભવ કરવા તમારે બધી સમસ્યાઓનો એકીસાથે ઉકેલ લાવવો જરૂરી નથી.

·         શાંત થવા તમારે બધાં સાથેની મડાગાંઠો  ઉકેલવી જરૂરી નથી.

·         શાંતિનો અનુભવ કરવો ઘણું સરળ અને હાથવગુ  છે.

·         શાંતિનો અનુભવ કરવા બધું   ભૂલી જાઓ અને માત્ર અને માત્ર શાંતિથી તમારી વિવેકબુદ્ધિને, તમારા જહનને ભરી દો.

·         જ્યારે તમે શાંતિને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું પસંદ કરો છો, ત્યારે તે સદાયે તમારા માટે તૈયાર હોય છે.

·         તમારા જીવનની ક્ષણોને મોટે ભાગે શાંતિથી ભરી દો અને જુઓ કઈ રીતે હકારાત્મક ઉર્જાથી તમારુ સમગ્ર જીવન સભર બની જાય છે.

·         શાંતિ માટે કોઈ ખાસ તૈયારી કે પૂર્વ શરતોની જરૂર નથી.

·         શાંતિ તમારી પાસેથી માત્ર એટલી અપેક્ષા રાખે છે કે તમે એને પૂર્ણ રીતે જાણી લો અને તેનો અનુભવ કરો.

·         તમે શાંતિનો જેટલો વધુ અનુભવ કરશો તેટલી તમે તેને વધુ દાખવવા અને તમારા દરેક કાર્યમાં વિસ્તારવા ઇચ્છશો.

·         શાંતિથી તમારા જીવનને ભરાઈ જવા દો અને તે ટૂંક સમયમાં તે તમારી આસપાસના વિશ્વમાં છલકવા માંડશે.

 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. Last Saturday’s ‘Internet Corner’ article on Peace was very good. Mother Teresa’s quote on Peace was inspiring and the Best.
    - Hina Kapadia (on Whatsapp)

    ReplyDelete