આજે આપણી પાસે શાંતિ
નથી તેનું એક જ
કારણ એ છે કે
આપણે એકમેકના થઈને નથી જીવતા.
- મધર
ટેરેસા
·
શાંતિ
પ્રાપ્ત કરવા તમારે કોઈ
દૂરના ડુંગરે કે નિર્જન વગડામાં જવાની જરૂર નથી.
·
શાંતિ
પ્રાપ્ત કરવા તમારે તમારા
જીવનમાં રહેલા અન્ય લોકોની
શાંતિની ચિંતા કરવાની જરૂર
નથી.
·
ઉંડી
બંધનકર્તા શાંતિનો
અનુભવ કરવા તમારે બધી
જ સમસ્યાઓનો એકીસાથે ઉકેલ લાવવો જરૂરી
નથી.
·
શાંત
થવા તમારે બધાં સાથેની
મડાગાંઠો ઉકેલવી
જરૂરી નથી.
·
શાંતિનો
અનુભવ કરવો એ ઘણું
સરળ અને હાથવગુ છે.
·
શાંતિનો
અનુભવ કરવા બધું જ ભૂલી જાઓ
અને માત્ર અને માત્ર
શાંતિથી તમારી વિવેકબુદ્ધિને, તમારા
જહનને ભરી દો.
·
જ્યારે
તમે શાંતિને પોતાના જીવનનો હિસ્સો
બનાવવાનું પસંદ કરો છો,
ત્યારે તે સદાયે તમારા
માટે તૈયાર જ હોય
છે.
·
તમારા
જીવનની ક્ષણોને મોટે ભાગે શાંતિથી
ભરી દો અને જુઓ
કઈ રીતે હકારાત્મક ઉર્જાથી
તમારુ સમગ્ર જીવન સભર
બની જાય છે.
·
શાંતિ
માટે કોઈ ખાસ તૈયારી
કે પૂર્વ શરતોની જરૂર
નથી.
·
શાંતિ
તમારી પાસેથી માત્ર એટલી
જ અપેક્ષા રાખે છે કે
તમે એને પૂર્ણ રીતે
જાણી લો અને તેનો
અનુભવ કરો.
·
તમે
શાંતિનો જેટલો વધુ અનુભવ
કરશો તેટલી તમે તેને
વધુ દાખવવા અને તમારા
દરેક કાર્યમાં વિસ્તારવા ઇચ્છશો.
·
શાંતિથી
તમારા જીવનને ભરાઈ જવા
દો અને તે ટૂંક
સમયમાં જ તે તમારી
આસપાસના વિશ્વમાં છલકવા માંડશે.
('ઈન્ટરનેટ પરથી')
Last Saturday’s ‘Internet Corner’ article on Peace was very good. Mother Teresa’s quote on Peace was inspiring and the Best.
ReplyDelete- Hina Kapadia (on Whatsapp)