પથ્થર પ્રતિમા બન્યો
એ જોઈ હૈયું હરખી ગયું,
પણ... પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો,
એ જોઈને દિલ રડી પડયું...
**************************************************
"શ્વાસ અને વિશ્વાસ એકજ વાર તૂટે છે
શ્વાસ તૂટવાથી જીવનું મૃત્યુ થાય છે અને
વિશ્વાસ તૂટવાથી જીવનનું મૃત્યુ થાય છે."
**************************************************
માનવ સંવેદનાઓનો છે આ જનજાળ..
સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ...
ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર..
બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..
**************************************************
દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
**************************************************
ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે
ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે.
**************************************************
માનસિક દરિદ્રતાને પરિણામે
આપણાં સપનાં નાના હોય છે
અને તેના થકી નવસર્જન શક્ય નથી
માટે આપણાં સપનાં દિવ્ય
અને ભવ્ય હોવાં જોઇએ.
**************************************************
જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે.
ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!
માટે જ, સતત ગતિશીલ રહો!
ઇતિહાસ નિર્જીવ નથી હોતો.
ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં
કાળાં અક્ષરો નથી હોતાં.
ઇતિહાસનો પ્રત્યેક પળ
ચેતના ધરાવતો હોય છે.
ચૈતન્યમય હોય છે.
જે નવી ચેતના પ્રગટાવવાનું
સામર્થ્ય ધરાવે છે.
**************************************************
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે
તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે
**************************************************
તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે
અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.
**************************************************
એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે
હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,
પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!
('ઈન્ટરનેટ
પરથી')
very good
ReplyDeletevikas you are writing & collecting nice
'વીણેલાં મોતી' અદભૂત રહ્યાં! ખાસ કરીને તેમાં મિત્રો વિષેની ઉક્તિઓ ખૂબ સરસ હતી.
ReplyDelete- નરોત્તમભાઈ,કાંદિવલી (ફોન દ્વારા)
હું ૨૦૧૦થી 'ઇન્ટરનેટ કોર્નર' નિયમિત વાંચું છું અને તેમાનાં મોટાભાગના લેખોનો મેં સંગ્રહ કર્યો છે. ગયા સપ્તાહે છપાયેલ 'વીણેલાં મોતી' ખૂબ ગમ્યાં.આભાર.
- ભદ્રા છેડા,ઘાટકોપર (ફોન દ્વારા)