Friday, March 8, 2013

અરીસામાં રહેલો માણસ

જ્યારે તમારા જાત માટેના સંઘર્ષમાં તમને જે જોઇએ તે મળે


અને વિશ્વ તમને એક દિવસના રાજા બનાવી દે

ત્યારે અરીસા સામે જઈ ઉભા રહો અને “સ્વ” ને નિરખો

અને જુઓ ત્યાં રહેલા સામા માણસને શું કહેવું છે...

કારણ, ના તમારા પિતાનું કે માતાનું કે ના તમારી પત્નીનું

તમારા માટેનું મંતવ્ય મહત્વનું છે...

તમારા જીવનમાં સૌથી વધારે જેનો અભિપ્રાય અગત્યનો છે

એ તો પેલો અરીસામાંથી તમારી સામે તાકી રહેલો માણસ જ છે...

અન્ય કોઈને રાજી નહિ કરો તો ચાલશે પણ તેને તમારે ખુશ કરવો જ પડશે

કારણ તે અંત સમય સુધી તમારી સાથે જ રહેવાનો છે...

અને જો એ અરીસામાં રહેલો માણસ તમારો મિત્ર બની ગયો

તો તો તમે તમારી સૌથી અઘરી પરીક્ષા પાસ કરી જાણજો...

તમે વર્ષોના વહાણામાં આખા વિશ્વને મૂર્ખ બનાવી શકશો

અને શાબાશી પામી શકશો પણ તમારું અંતિમ ઇનામ હશે મનોવેદના અને અશ્રુઓ

જો તમે અરીસામાંના એ માણસને છેતરશો...



~ પીટર ડેલ વિમ્બ્રો સિનિયર



આ એક પ્રેરણાત્મક કાવ્ય છે જે આપણને પોતાની જાત સાથે પ્રમાણિક અને સાચા બનવાની પ્રેરણા આપે છે.એ જ બીજાઓ પાસેથી પ્રશંસા અને ઇનામોની વણઝાર જીતવા કરતા વધારે મહત્વનું છે.આપણી પોતાની આંખોમાં સીધુ ત્યારે જ જોઈ શકીએ જ્યારે આપણે જીવનમાં સાચા અને યોગ્ય નિર્ણય લીધા હોય પણ જ્યારે આપણે જાણી જોઈને કંઈક ખોટું કરીએ છીએ ત્યારે આપણો અંતરાત્મા કે "અંદરનો અવાજ" આપણી સામે ઘૂરી ઘૂરીને જુએ છે,આપણને એમ કરતા રોકે છે અને વાસ્તવિકતા છતી કરવાનો પ્રયત્ન કરે છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment