# તમારી અંગત વાતો બધાને ન જણાવો... એ તમારા માટે વિનાશકારી સાબિત થઇ શકે છે.
તમારા સંકટોનું ગાણું પણ બધા આગળ ન ગાઓ...કારણ ૨૦ ટકા લોકો ને તેનાથી કોઈ ફરક પડતો નથી અને બાકીના ૮૦ ટકા લોકો એ જાણી ખુશ થાય છે.
# જીવન બોક્સિંગની રમત જેવું છે. તમે પડી જાઓ ત્યારે હાર મળેલી જાહેર થતી નથી,પણ તમે પડી ગયા પછી ફરી ઉભા ન થાઓ ત્યારે જાહેર થાય છે.
# જીવનમાં હંમેશા ખોટા માણસો જ સાચા પાઠ શિખવે છે!
# દરેક વસ્તુની મહત્તા બે સમયે સમજાય છે :
૧ તેને મેળવ્યા પહેલા અને
૨ તેને ગુમાવ્યા બાદ!
# બે વસ્તુઓ જીવનમાં સુખ ને સફળતા આણે છે :
૧ જ્યારે તમારી પાસે કંઈ જ ન હોય ત્યારે તમે કઈ રીતે ચલાવો છો ને
૨ જ્યારે તમારી પાસે બધું જ હોય ત્યારે તમે કઈ રીતે વર્તો છો!
# જગતમાં બે સ્થળોએ હોવું સૌથી ગત્યનું છે:
૧ કોઈકના વિચારોમાં
૨ કોઈકની પ્રાર્થના માં
# જીવનમાં થોડા થોડા સમયે ચકાસતા રહેવું જરૂરી છે કે જે ચીજો તમે પૈસાથી કદી ખરીદી શકવાના નથી એ તમે ગુમાવી નથી ને!
# સફળતા એટલે?
જ્યારે તમારા ફોટા ફેસબુકને બદલે ગૂગલ પર વધુ અપલોડ થાય!
# જ્યાં સુધી આપણે એ લોકોને માફ નથી કરતા જેમણે આપણને દુ:ખી કર્યા હોય, ત્યાં સુધી તેઓ આપણા મનમાં ભાડું ભર્યા વગર મફતની જગા રોકે છે!
# તમે જાણો છો ભગવાને આપણને બીજાઓના મન વાંચવાની ક્ષમતા કેમ નથી આપી?
જેથી આપણે કોઈક પર વિશ્વાસ મૂકી શકીએ ને કોઈક આપણાંમાં વિશ્વાસ મૂકી શકે.
# મેં ઈશ્વરને પૂછ્યું : "જો બધું નસીબમાં લખેલું જ હોય તો મારે પ્રાર્થના શા માટે કરવી જોઇએ?"
ઈશ્વરે હસીને જવાબ આપ્યો:"મેં સાથે એમ પણ લખ્યું હોય છે - શરતો લાગુ!"
# જીવનમાં ખાલી ખિસ્સુ,લાખો વસ્તુઓ શિખવી દે છે...
ને ભરેલું ખિસ્સુ બગડવાના લાખો રસ્તા શિખવી દે છે!
# જગતમાં કોઈને સત્ય બોલવાનો ડર લાગતો નથી, પણ એ સત્ય બોલ્યા બાદ આવનારા પરીણામનો સામનો કરવાથી બધા ડરે છે!
# ગુસ્સે થવું એટલે બીજાઓની ભૂલ માટે તમારી જાતને સજા આપવી.
# વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.એક વાર તેને ઉખાડી લીધા બાદ ફરી પાચું ચોંટડી તો શકાય પણ તેનામાં પહેલા જેવી મજબૂતાઈથી ચોંટાડવાની ક્ષમતા જતી રહે છે.
સંબંધોની હંમેશા જાળવણી કરવી જોઇએ
# લોકોને ક્યારેય દલીલો કરીને ન જીતો,તમારા સ્મિતથી જીતો!
કારણ જે લોકોને તમારી સાથે દલીલ બાજીમાં ઉતરવું છે તેનાથી તમારું મૌન સહન થતું નથી.
# શરત વિના સ્મિત કરો, ધ્યેય વગર ચાલો, કારણ વગર આપો, અપેક્ષાઓ વગર કાળજી લો
આ કોઈ પણ સંબંધોના સુંદર લક્ષણો છે.
# આપણે ઉત્તર આપવા માટે નહિ બલ્કે સમજવા માટે સાંભળવું જોઇએ.
(‘ઇન્ટરનેટ પરથી’)
હું ,મારી પત્ની અને મારા માતાપિતા ‘ઇન્ટરનેટકોર્નર’ના નિયમિત વાચક અને જબરદસ્ત ચાહક છીએ. 'સોનેરીસુવિચારો' વાંચીને જલસો પડી ગયો!
ReplyDelete- અજય મોતા(ઘાટકોપર)
બાપુ, ઇન્ટરનેટકોર્નરમાં 'સોનેરીસુવિચારો' વાંચી મજા આવી ગઈ!
- જીતુ મકવાણા(આર્થરરોડ)
ઇન્ટરનેટકોર્નરમાં રજૂ થયેલા 'સોનેરીસુવિચારો' પૈસાથી પણ વધુ મૂલ્યવાન છે. પૈસાથી પુસ્તકરૂપે વિચારો ખરીદી શકાય પણ આચરણ વગર તેના ફાયદા ન મળે.
- શાંતિ શાહ(મલાડ)
સુંદર!!
ReplyDelete