Saturday, February 2, 2013

~* સુવર્ણ વાક્યો *~


• 

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...



• 

પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા
 લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ.


• 

આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે
 ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.


• 

‎"ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી
 ક્યારેય ઉપર આવી શકતો નથી...


• 

દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ
 આપેલો પ્રેમ ઉધાર છે....


• 

‎'ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો,
 વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'


• 

પ્રસાદ એટલે શું ? ...




પ્ર -એટલે પ્રભુ




સા -એટલે સાક્ષાત




દ -એટલે દર્શન




 માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ, અને પ્રસાદ આરોગતી
 વેળાએ હૃદયમાં પ્રભુના

મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
‎"


• ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે
 દુઃખ પણ નથી આપતો.....


• 

પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ??


• 

કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,
 જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે "સ્વભાવ" નડે છે..


• 

કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને
 ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ?


• 

કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી
 દેખાતું..!!


• 

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
 તારું જ બધું હોય તો છોડી બતાવ તું....


• 

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....
 આટલું માનવી કરે કબુલ, તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...


• 
કોણ કહે છે "સંગ એવો રંગ "માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે,
 માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે,
 અને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....


• 
‎"માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી"...



('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment