Saturday, August 25, 2012

હકારાત્મક ચહેરો

થોમસ જેફરસન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતાં.તેમનાં પ્રમુખકાળ દરમ્યાન એક વાર તેઓ કેટલાક સહપ્રવાસીઓ સાથે એક જગાએ ફસાઈ ગયાં જ્યાં નદીમાં પૂર આવ્યું હતું અને તેમને નદી પાર કરી બીજે કાંઠે જવાની ફરજ પડી.ઘણાં લોકો પાસે ઘોડા હતાં અને તેઓ ઘોડાની પીઠ પર બેસી નદી પાર જવા અને પોતાનું જીવન બચાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.એક એકલો ગરીબ માણસ ગાંડીતૂર બનેલી નદી જોઈ ખૂબ ગભરાઈ ગયો અને તેણે નદી પાર કરવા જેફરસનની મદદ માંગી.જેફરસનેતો જરા પણ ખચકાયા વગર તે માણસને પોતાના માથે ખભા પર બેસી જવા કહ્યું અને ક્ષણવારમાં તેઓ નદીને બીજે કાંઠે સુરક્ષિત પહોંચી ગયા. ત્યાં જ કોઈક જેફરસનને ઓળખી ગયું અને તેણે તરત પેલા ગરીબ માણસને પૂછ્યું:"અલા તને પ્રમુખ સાહેબની મદદ માગતા જરા સરખો સંકોચે ન થયો?" એ માણસતો શોકથી દિગ્મૂઢ બની ગયો!તેને વિશ્વાસ બેસતો નહોતો કે પોતાના ખભે બેસાડી નદી પાર કરાવી તેનો જીવ બચાવનાર બીજું કોઈ નહિં પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન પોતે હતા!તેણે થોડા સમય બાદ સ્વસ્થ થયા પછી જવાબ આપ્યો,"તમારામાંના મોટા ભાગના લોકોના ચહેરા પર 'ના' લખેલી હતી,માત્ર પ્રમુખસાહેબના ચહેરા પર 'હા' લખેલી વર્તાઈ.તેમના 'હકારાત્મક ચહેરા'એ જ મને તેમની મદદ માગવા પ્રેર્યો."


ચાર્લ્સ સ્વિન્ડોલ કહે છે:"હું રોજ સૌથી મહત્વનો એક નિર્ણય લ ઉં છું જે હોય છે મારા અભિગમને પસંદ કરવાનો.જ્યારે મારો અભિગમ સાચો(યોગ્ય) હોય છે ત્યારે કોઈ બંધન અતિ કઠણ નથી બની રહેતું, કોઈ ખીણ ઉંડી નથી ભાસતી, કોઈ સ્વપ્ન અશક્ય નથી જણાતું કે કોઈ પડકાર અશક્ય નથી લાગતો."

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment