ઇશ્વરના ચરણોમાં પુષ્પ ચઢાવવા મંદિર ન જશો,
પહેલા તમારા ઘરને પ્રેમની ખુશ્બોથી મધમધતું કરજો...
ઇશ્વર સામે દિવો પેટાવવા મંદિર ન જશો,
પહેલા તમારા હ્રદયમાં રહેલા પાપોના અંધારા દૂર કરશો...
ઇશ્વર સામે તમારું શીશ પ્રાર્થનામાં ઝૂકાવવા મંદિર ન જશો,
પહેલા તમારી સામેના માણસની નમ્રતા અને માણસાઈ સામે આદર અને સન્માનથી ઝૂકતા શીખજો...
ઇશ્વર સામે ઘૂંટણિયે ઝૂકી પ્રાર્થના કરવા મંદિર ન જશો,
પહેલા તમારી સામે દુ:ખો અને અન્યાયથી ચગદાઈ ગયેલા વ્યક્તિને ઉભો કરવા ઝૂકશો...
ઇશ્વર સામે તમારા પાપોની ક્ષમા યાચના કરવા મંદિર ન જશો,
પહેલા તમારી સાથે જેણે અન્યાય કર્યો હોય કે જેણે તમને દુભવ્યા હોય તેમને હ્રદયપૂર્વક માફી આપશો...
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment