Sunday, September 2, 2012

રવિન્દ્રનાથ ટાગોરની એક સુંદર કવિતા

ઇશ્વરના ચરણોમાં પુષ્પ ચઢાવવા મંદિર ન જશો,


પહેલા તમારા ઘરને પ્રેમની ખુશ્બોથી મધમધતું કરજો...

ઇશ્વર સામે દિવો પેટાવવા મંદિર ન જશો,

પહેલા તમારા હ્રદયમાં રહેલા પાપોના અંધારા દૂર કરશો...

ઇશ્વર સામે તમારું શીશ પ્રાર્થનામાં ઝૂકાવવા મંદિર ન જશો,

પહેલા તમારી સામેના માણસની નમ્રતા અને માણસાઈ સામે આદર અને સન્માનથી ઝૂકતા શીખજો...

ઇશ્વર સામે ઘૂંટણિયે ઝૂકી પ્રાર્થના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સામે દુ:ખો અને અન્યાયથી ચગદાઈ ગયેલા વ્યક્તિને ઉભો કરવા ઝૂકશો...

ઇશ્વર સામે તમારા પાપોની ક્ષમા યાચના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સાથે જેણે અન્યાય કર્યો હોય કે જેણે તમને દુભવ્યા હોય તેમને હ્રદયપૂર્વક માફી આપશો...


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment