મન પર માનવીનો કાબૂ એટલે વિકાસ...
માનવી પર મનનો કાબૂ એટલે વિનાશ..!!
***********************
તકરાર અને છાશ વચ્ચે એક સામ્ય છે. બંને જેટલો લાંબો સમય રહે તેટલી ખાટી બને..!!
**********************
મોટા ભાગના લોકો કજિયો એટલા માટે કરતા હોય છે કે એમને વ્યવસ્થિત રીતે સચોટ દલીલ કરતાં નથી આવડતી..!!
*********************
જેના વહીવટ પાછળ વધુ કાગળ અને વધુ શાહી વપરાય એ લોકશાહી..!!
**********************
રાતે ઘસઘસાટ નિદ્રા જોઈતી હોય તો નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી..!!
**********************
સવાલઃ મહાત્માની વ્યાખ્યા શું?
જવાબઃ મતભેદ હોવા છતાં બે મન વચ્ચે જે ભેદ સર્જાવા ન દે એનું નામ મહાત્મા..!!
***********************
બે સમસ્યામાંથી એકની પસંદગી કરવાની હોય, છતાં જે વ્યક્તિ બંને પર પસંદગી ઉતારે તેનું નામ નિરાશાવાદી..!!
**********************
ચર્ચામાં ઊતરવું એ સારી વાત છે, પણ ચર્ચા દરમિયાન ક્યારે ચુપકીદી સાધી લેવી એ તો તેના કરતાં પણ સારી વાત છે..!!
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment