Sunday, April 10, 2011

જાપાનીઓ પાસેથી શીખવા લાયક ગુણો

થોડા વખત પહેલાં ઇન્ટરનેટ કોર્નરમાં જાપાનીઝ પ્રોફેશનાલિઝમ વિશે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માં રજૂ થયેલા કેટલાંક અંશ રજૂ કર્યા હતાં.


એ જ જાપાનમાં તાજેતરમાં ભૂકંપ અને સુનામી જેવી કુદરતી હોનારતોએ મોટી તારાજી સર્જી દીધી છતાં સમગ્ર જગતને વિશ્વાસ છે કે જાપાન ફરી બેઠું થઈ જશે.આ વિશ્વાસ નું કારણ જાપાનીઝ પ્રજાએ આ વિકટ પરિસ્થિતી દરમ્યાન અને હંમેશા દર્શાવેલા કેટલાક શીખવા લાયક ગુણો છે.આપણે ભારતીયોએ આ ગુણોમાંથી નીચે જણાવેલી બાબતો શીખવી જોઇએ:

૧ શાંતતા
આટલા મોટા સંકટ છતાં હૈયાફાટ રૂદન કે છાતી કૂટવી એવા નાટકીય શોક દર્શાવતું એક પણ દ્રષ્ય ક્યાંય જોવા ન મળ્યું.દુ:ખની ગરિમા તેમણે જાળવી બતાવી.

૨ સ્વમાન , સ્વાભિમાન
પાણી અને અન્ન માટે શિસ્તબદ્ધ કતારો. એક પણ ખરાબ શબ્દ કે બિભત્સ ચેનચાળો નહિં.

૩ સમર્થતા
દાખલા તરીકે અદભૂત બાંધકામ.ઘણી ઇમારતો હલી ગઈ પણ તૂટી પડી નહિં.

૪ ગૌરવ
લોકોએ તેમને તત્પૂરતી જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓ ખરીદી જેથી બધાને કંઈક મળી રહે.

૫ વ્યવસ્થિતતા
દુકાનો લૂંટાઈ નહિં.રસ્તાઓ પર મોટા મોટા હોર્નના અવાજો નહિં અને ન કોઈ કોઈને ઓવરટેક કરતું જોવા મળ્યું.ઉંડી સમજણ.

૬ ત્યાગ
પચાસ કામગારો સ્વેચ્છાએ ન્યુક્લિયર રિએક્ટરમાં દરિયાનું પાણી ઠાલવવા હાજર રહ્યાં,જાનના જોખમે.એ જાણતા હોવા છતાં કે આ ફરજપરસ્તી બદલ કોઈ બદલો મળશે તો પણ તે લેવા તેઓ જીવતા નહિં હોય.

૭ વિનમ્રતા અને સજ્જનતા
હોટલોએ ભાવ ઘટાડી નાંખ્યા. ગાર્ડ હાજર નહોતો એવું એક ATM સુરક્ષિત રહ્યું, કોઈએ તે લૂંટવાની કોશિશ ન કરી. સશક્તો,સબળાઓએ ગરીબ અને નબળાઓનું ધ્યાન રાખી તેમને રક્ષણ પૂરું પાડ્યું.

૮ પ્રશિક્ષણ
આબાલવ્રુદ્ધ, દરેક જાણતા હતા કે તેમણે શું કરવું જોઈએ. અને તે દરેકે એમ જ કર્યું.

૯ પ્રસાર માધ્યમો
તેમણે વિનાશની તસવીરો અને સમાચાર છાપવા,દર્શાવવામાં ગજબનો સંયમ દાખવ્યો. છીછરા કે મૂર્ખતા ભર્યા એક પણ અહેવાલ જોવા કે સાંભળવા ન મળ્યા. શાંતિપૂર્ણ અને યથાયોગ્ય અહેવાલ અને ખબરો જ છપાયાં.

૧૦ વિવેક્બુદ્ધિ
જ્યારે એક મોટી દુકાનમાં વિજળી જતી રહી ત્યારે ત્યાં હાજર ગ્રાહકો હાથમાં રહેલી વસ્તુઓ તેમના સ્થાને યથાવત મૂકી દઈ શાંતિથી દુકાન બહાર નિકળી ગયાં.
 
('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment