Saturday, June 2, 2018

બાળકો સાથે શું કરવાથી શું થાય?

૧. બાળકને મારીએ તો નફ્ફટ થાય.
૨. બાળકને લાલચ આપીએ તો લાલચું થાય.
૩. બાળકને કુટેવ સુધારવા ધમકાવીએ તો કુટેવ વધે.
૪. બાળકને પ્રોત્સાહન આપીએ તો તેની શક્તિઓ ખીલી ઊઠે.
૫. બાળકને વધારે પડતાં લાડ લડાવીએ તો જિદ્દી બને.
૬. બાળકને વધારે પડતી સ્વતંત્રતા આપીએ તો સ્વચ્છદી બને.
૭. બાળકને વધુ પડતી બીક બતાવીએ તો ડરપોક બને.
૮. બાળકને વધારે ટોકીએ તો જડ બને.
૯. બાળકની સારી બાબતોને બિરદાવીએ તો તેમનામાં આત્મવિશ્વાસ વધે.
૧૦. બાળકના હોવાથી ઘરનું વાતાવરણ શાંત રાખીએ તો તેનું મન પ્રસન્ન રહે.
૧૧. બાળકને માનની દ્રષ્ટિએ જોઈએ તો તેમના સ્વમાનની લાગણી જાગે.
૧૨. બાળકની નજર સામે સેવાકાર્ય કરીએ તો તેમનામાં સેવાભાવના જાગે.
૧૩. બાળકને હમેશાં પ્રેમ આપીએ તો બીજા ને પ્રેમ આપશે.
૧૪. બાળકનું બધુ કામ આપણે કરીએ તો તે પરાવલંબી બની જશે.
૧૫. બીજાની હાજરીમાં બાળકની મશ્કરી કરીશું તો તે લઘુતાગ્રંથીથી પીડાશે.
૧૬. બાળકની હાજરીમાં જૂઠું બોલીએ તો તે જુટ્ઠાબોલું થાય, વડીલો પ્રત્યે શ્રદ્ધા ઓછી થાય.
૧૭. બાળકની હાજરીમાં વડીલોને માન આપીએ તો તે વડીલોને માન આપશે.
૧૮. બાળકનું જરૂરી કામ આપણે ન કરીએ તો તે ચીડિયું બની જશે.
૧૯. બાળકને જોઈતી વસ્તુ ન લાવી આપીએ તો તે ચોરી કરતાં શીખે.
૨૦. બાળકને વાર્તાઓ કહીએ તો તેનામાં સર્જનશીલતા વધે.
૨૧. બાળકની સાથે તોછડાઈભર્યું વર્તન કરીએ તો બાળક ઉદ્રત બને.
૨૨. બાળકની સાથે બાળક જેવા બનીએ તો બાળકમાં આત્મીયતા વધે.
૨૩. બાળકનો ઉછેર અપમાંજનક વાતાવરણમાં થાય તો તેના વિકાસ રૂધાય.
૨૪. બાળકને છૂટા હાથે પૈસા વાપરવા આપીએ તો બાળક ઉડાવ બની જાય.
૨૫. બાળકનો ઉછેર કંકાસમય વાતાવરણમાં થાય તો ઝઘડાળું બની જાય.
૨૬. બાળકનો ઉછેર સમભાવવાળા વાતાવરણમાં થાય તો તે શાંત સ્વભાવનું થાય.
૨૭. બાળકને સતત અન્યાય થાય તો તે ક્રોધી બની જાય.
૨૮. બાળકનો ઉછેર મમતામય વાતાવરણમાં થાય તો બાળક સ્નેહળ બને.
૨૯. ઘરના બધા જ સભ્યો એકબીજાની આમન્યા રાખે તો બાળકમાં સંયમનો ગુણ વિકસે.
૩૦. ઘરના સભ્યો સંયમપૂર્ણ વ્યવહાર કરે તો બાળકમાં સંયમનો ગુણ વિકસે.
૩૧. ઘરમાં આતિથ્યનું વાતાવરણ હોય તો બાળક વિવેકી બને.
૩૨. બાળકને નિયમિત ધાર્મિક સ્થળે લઈ જવામાં આવે તો તેનાંમાં ધાર્મિક ભાવના વિકસે.

(ઇન્ટરનેટ પરથી) 

No comments:

Post a Comment