Sunday, November 12, 2017

મનનું રહસ્ય

       ભૌતિક શાસ્ત્ર નો એક નિયમ છે એ મુજબ બ્રહ્માંડ માં રહેલ કુલ ઉર્જા નો જથ્થો અચલ છે. ઉર્જા ન તો સર્જી શકાય છે, ન તેનો વિનાશ કરી શકાય છે. વિજ્ઞાન માં હજી આવાં બીજાં ઘણાં નિયમો છે જે વિજ્ઞાન સાથે તર્કશાસ્ત્ર ને પણ લાગુ પડે છે. 
      દરેક મનુષ્ય પણ ચોક્કસ પ્રમાણમાં ઉર્જા ધરાવતું નાનકડું બ્રહ્માંડ છે. એક અતિ સરળ પણ સાત્વિક નિયમ તેને લાગુ પડે છે. જેટલા પ્રમાણમાં હકારાત્મક કે નકારાત્મક ઉર્જા આપણે ઉત્સર્જીત કરીએ છીએ તેટલી જ ઉર્જા આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણી પાસે પાછી ફરે છે.
    જો હું કોઈક ને મદદ કરું અને તે આ ચેષ્ટા નો બદલો ન વાળી આપે તો ભવિષ્યમાં જ્યારે કોઈક વખત મને ખરી જરુર હશે ત્યારે મને એ
સારા કામ નો બદલો મળી રહેશે. કોઈક તરફ મેં વહેતી કરેલી હકારાત્મક ઉર્જા ચોક્કસ મારી પાસે પાછી ફરશે, એ વ્યક્તિ તરફથી નહિ તો બીજી કોઈક વ્યક્તિ તરફથી. તો પછી આપણે કોઈક ને કરેલી મદદ નું વળતર યોગ્ય રીતે તરત ને તરત ન મળ્યાનો વસવસો વ્યર્થ નથી?
      ગીતા માં પણ અપાયેલ કર્મ નાં આ સરળ સિદ્ધાંત ના સારમાં જો આપણે સૌ શ્રદ્ધા રાખતા શીખી જઈશું તો જીવન ઘણું સુગમ અને સુખી બની રહેશે. તમારું કર્મ ફળ ની આશા રાખ્યા વગર કરતા રહો, ફળ કુદરત આપી રહેશે. 
      જ્યારે આપણે કોઈક ખરાબ કામ કરતા હોઈએ છીએ ત્યારે આ નક્કર હકીકત આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ આપણે ફેલાવેલી કે સર્જેલી નકારાત્મક ઉર્જા ફરી આપણી પાસે આવ્યા વગર રહેતી નથી, તરત નહિ તો પછી થી.
      આ સમજ જો આપણે અમલમાં મૂકીએ તો તરત આપણને કાવાદાવા કરી રહેલો સહકર્મચારી, ષડયંત્ર રચી રહેલો પરિવારજન, માથા ભારે પાડોશી - એ બધું વામણું લાગવા માંડશે. કારણ તેમના નકારાત્મક વિચારો તમારા પર અસર કરી શક્શે નહીં, જ્યાં સુધી નકારાત્મક ઉર્જા તમારાં શરીર દ્વારા ઉત્સર્જીત થશે નહીં.
     મન નું આ રહસ્ય જેને સમજાઈ જાય તે મહા શક્તિશાળી બની શકે છે અને તેની આત્મા માંથી પરમાત્મા બનવાની સફર શરૂ થઈ જાય છે.

(ઇન્ટરનેટ પર થી) 

1 comment:

  1. જતીન શાહ, ધનજી ગાલાNovember 19, 2017 at 3:58 AM

    મન નું રહસ્ય લેખ અતિ પ્રેરણા દાયી હતો. એમાંથી ઘણું શીખી શકાય.

    ReplyDelete