યુવાન
માતાએ પોતાના ડગ જીવનપથ પર
માંડયા.તેણીએ વટેમાર્ગુને પૂછ્યું"શું આ રસ્તો લાંબો
છે?" વટેમાર્ગુએ જવાબ આપ્યો:"હા.અને અતિ
કપરો પણ.તું એના
અંત સુધી પહોંચીશ ત્યાં સુધી તો તુ ઘરડી
પણ થઈ ગઈ હોઇશ.પણ અંત શરુઆત
કરતા ચોક્ક્સ સારો હશે."પણ યુવાન માતાએ
તો ખુશ હતી.તે માનતી હતી
કે આ યાત્રા દરમ્યાનનાં
વર્ષો તો તેણીના જીવનના
અતિ યાદગાર સુખદ વર્ષો હશે.તેણી તો પોતના બાળકો
સાથે હોંશભેર રમતી,માર્ગમાં આવતા ફૂલો બાળકો માટે ચૂંટતી,ઝરણાંના ખળખળ વહેતા પાણીમાં બાળકોને નવડાવતી આગળ ધપતી ચાલી.સુર્યપ્રકાશમાં કુદરતને ખોળે તેના બાળકો રમતા રમતા મોટા થવા લાગ્યા.તેણી ખુશીથી ક્યારેક રોઇ પડતી અને લવતી:"આથી સુખદ બીજુ શું હોઇ શકે?"
પછી રાત્રિ આવી અને સાથે વંટોળ આવ્યું.માર્ગમાં અંધારુ છવાઈ ગયું.બાળકો ઠંડી અને ડરથી થરથરવા લાગ્યા.માતાએ તેમને પોતાની પાસે ખેંચ્યા અને તેમને ધાબળો ઓઢાડી રક્ષણ પૂરું પાડ્યું અને બાળકો બોલી ઉઠયા,"માતા,હવે અમને કોઈ ડર નથી. તુ
અમારી પાસે છે તેથી હવે
કોઈ અમારું કંઈ બગાડી શકે એમ નથી."
અને
પછી સવાર પડી.આગળ એક ટેકરી હતી.છોકરાઓએ ચડવાની શરુઆત કરી.માતા પણ તેમની સાથે
ટેકરી ચડવા માંડી.છોકરાઓ થાકી ગયા.માતા પણ થાકી ગઈ.પણ તેણીએ સતત
પોતાના સંતાનોને સલાહ આપ્યા કરી,"થોડી ધીરજ ધરજો મારા વ્હાલાઓ...અને આપણે ટોચ પર પહોંચી જ
ગયા છીએ."અંતે તેઓ ટોચ પર પહોંચી ગયા
અને ખુશખુશાલ થઈ માતાને કહેવા
લાગ્યા,"મા, જો તુ અમારી
સાથે ન હોત તો
અમે ક્યારેય અહિં પહોંચી શક્યા ન હોત."અને
રાત્રે જ્યારે માતા તારાઓથી ભરેલા આકાશ નીચે પોઢી હતી ત્યારે વિચારી રહી,"આજ નો દિવસ
કાલ કરતા સારો રહ્યો,જ્યારે મારા બાળકો મુશ્કેલી ભર્યા સમયમાં હિંમત રાખવાના અને સહનશીલતાના પાઠ ભણ્યા.ગઈ કાલે મે
તેમને હિંમત આપી હતી, આજે મેં તેમને તાકાત આપી છે."
અને
બીજા દિવસે ક્યાંકથી કાળાડિબાંગ વાદળા ધસી આવ્યા.પૃથ્વી પર અંધકાર છવાઈ
ગયો.યુદ્ધ,નફરત અને શેતાનિયતના વાદળ હતા આ.બાળકો ગભરાઈ
ગયા અને એકમેકને વળગી પડ્યા.માતાએ તેમને કહ્યું:"ડરો નહિ,વાદળા પાછળ રહેલી તેજની ધાર પર તમારું ધ્યાન
કેન્દ્રિત કરો."બાળકોએ ધ્યાનથી જોયું અને તેમની નજરે અનંત ઝળહળતી રોશની પર પડી!તેઓ
બિલકુલ નિર્ભય બની ગયા.તેમને અંધકાર ચીરતી જ્યોતિનું માર્ગદર્શન મળી ગયું હતું ને!એ રાત્રે
માતાની ખુશીની કોઈ સીમા ન હતી,તેણે
બાળકોને ભગવાનના દર્શન કરાવ્યા હતા!
અને
દિવસો વિતતા રહ્યાં.મહિનાઓ અને વર્ષોના વહાણા વાયા અને માતા ઘરડી થઈ ગઈ.તેનું
શરીર જીર્ણ થઈ ગયું અને
તે કમરેથી વાંકી વળી ગઈ.પણ તેના
બાળકો યુવાન,સશક્ત બની ગયા હતા અને ટટ્ટાર તેમજ હિંમત અને આત્મવિશ્વાસપૂર્વક ચાલતા હતા.જ્યારે રસ્તો ખરાબ હોય ત્યારે તેઓ માતાને ઊંચકી લેતા કારણ આમેય તેનુ વજનતો પીંછા જેટલું હતું!
અંતે
તેઓ શિખરે પહોંચ્યા અને ત્યાં તેમણે પ્રકાશથી ઝગારા મારતો રસ્તો જોયો.ત્યાં સુવર્ણના મોટા દ્વાર ખુલેલા હતા.માતાએ કહ્યું,"અહિં મારી યાત્રાનો અંત આવે છે.અને હું
જાણું છું કે અંત શરુઆત
કરતા ઘણો સારો છે કારણ મારા
સંતાનો હવે ટટ્ટાર અને આત્મવિશ્વાસપૂર્વક ચાલી શકે છે અને તેમના
સંતાનોને પણ યોગ્ય માર્ગે
દોરવા સક્ષમ બની ગયા છે."
સંતાનો
બોલ્યા,"મા, તુ તો અમારી
સાથે જ રહેશે, આ
સુવર્ણ દ્વારમાંથી અંદર ચાલી ગયા બાદ પણ."અને તેઓ તેણીને એકલી અંદર ચાલી જતી જોઈ રહ્યાં...તેણીના અંદર ચાલી ગયા બાદ દ્વાર બંધ થઈ ગયા.સંતાનો
બોલ્યા,"અમે તેને જોઈ શક્તા નથી પણ હજી તેની
હાજરી અમારી સાથે જ અનુભવી રહ્યા
છીએ.અમારી માતા જેવી મા એક સુખદ
સ્મરણથી ચોકકસ કંઈક વિશેષ છે.તેણી હજી
જીવંત છે અને સદાયે
રહેશે..."
તમારી
માતા હંમેશા તમારી સાથે જ હોય છે.તમે જ્યારે રસ્તા પર ચાલી રહ્યા
હોવ ત્યારે બાજુએથી આવતાં ઝાડના પાંદડાઓના સળવળાટમાં તેણી રહેલી હોય છે,તમારા ધોયેલા
સ્વચ્છ વસ્ત્રોની સુગંધમાં તેણી રહેલી હોય છે.જ્યારે તમે
માંદા હોવ ત્યારે તમારા કપાળ પર પ્રેમ અને
કાળજીપૂર્વક ફરી રહેલા હાથમાં તેણી રહેલી હોય છે.તમારા હાસ્યમાં
અને તમારાં આંસુના એકે એક ટીપામાં તેણી
રહેલી હોય છે.તમારું અસ્તિત્વ
તેને જ આભારી છે.તેણી તમારું પ્રથમ ઘર છે અને
તેણી જ નકશો છે
જે તમે સતત અનુસરો છો.તેણી જ
તમારો પ્રથમ પ્રેમ છે અને પૃથ્વીપર
ની કોઈ તાકાત તેણીના પ્રેમમાં ઓટ લાવી શકવા
સમર્થ નથી...સમય પણ નહિં,સ્થળ
પણ નહિં અને ન મ્રુત્યુ...
તમારી
માતાને અને તેણીના પ્રેમને ક્યારેય અવગણશો નહિં...
('ઈન્ટરનેટ
પરથી')
મધર્સ ડે સ્પેશિયલ ખુબ સારું રહ્યું.વાંચી ગદગદિત થઈ જવાયું.એ દ્વારા તમે માને સાચી અંજલિ આપી છે.
ReplyDelete