બૌદ્ધધર્મી
લામાઓ પરિપક્વતા ની વ્યાખ્યા કંઈક
આ પ્રમાણે કરે છે :
૧
જ્યારે તમે અન્યોને બદલવાના પ્રયાસો બંધ કરી પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રીત
કરો છો ત્યારે એ પરિપક્વતા છે.
૨
જ્યારે તમે લોકોને તેઓ જેવા છે એવા સ્વીકારો
ત્યારે એ પરિપક્વતા છે.
૩
જ્યારે તમે એમ સમજો કે
દરેક જણ પોતપોતાની રીતે
, પોતાના દ્રષ્ટીકોણ થી સાચા છે
ત્યારે એ પરિપક્વતા છે.
૪
જ્યારે તમે જતુ કરતા શિખી જાઓ ત્યારે એ પરિપક્વતા છે.
૫
જ્યારે તમે સંબંધોમાં બદલામાં કંઈક પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવાનું બંધ કરી દો અને નિસ્વાર્થ
ભાવે માત્ર આપવાની ભાવના કેળવો છો ત્યારે એ પરિપક્વતા છે.
૬
જ્યારે તમે એ સમજવા લાગો
કે તમે જે કંઈ પણ
કરો છો એ પોતાની
શાંતિ માટે કરો છો ત્યારે એ પરિપક્વતા છે.
૭
જ્યારે તમે જગત સમક્ષ એ સાબિત કરવાનું
બંધ કરી દો છો કે
તમે કેટલા બુદ્ધિશાળી છો ત્યારે તમે
ખરા અર્થમાં પરીપક્વ થઈ ગયા છો.
૮
જ્યારે તમે બીજાઓ પાસે થી સ્વીકૃતિ કે
માન્યતા મેળવવાનું છોડી દો છો ત્યારે
એ પરિપક્વતા છે.
૯
જ્યારે તમે બીજાઓ સાથે સરખામણી કરવા નું છોડી દો છો ત્યારે
એ પરિપક્વતા છે.
૧૦
જ્યારે તમે તમારી જાત સાથે શાંતિમાં હોવ છો ત્યારે એ
પરિપક્વતા છે.
૧૧
જ્યારે તમે જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો ભેદ સમજવા લાગો અને ઇચ્છાનો ત્યાગ કરવા લાગો છો ત્યારે એ
પરિપક્વતા છે.
૧૨
જ્યારે તમે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું બંધ કરી દો છો ત્યારે
એ પરિપક્વતા છે.
સૌને
સુખી પરીપક્વ જીવન પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા!
('ઈન્ટરનેટ
પરથી')
No comments:
Post a Comment