Friday, February 27, 2015

સુવિચારો


· ભગવાનને જે 'left' (બચ્યું) છે તે ન આપો...'right' (યોગ્ય) હોય તે આપો.

· માણસનો માર્ગ 'hopeless end' (નિરાશાભર્યા અંત) તરફ દોરી જાય છે જ્યારે ભગવાનનો માર્ગ 'endless hope' (અનંત આશાવાદ) તરફ...

· જેટલા વધુ ઝૂકશો (નમ્ર બનશો) તેટલા વધુ ઉન્નત બનશો.

· જે ભગવાન સામે ઝૂકે છે તે ગમે તેના સામે ટટ્ટાર ઉભો રહી શકે છે

· જીવન રૂપી વાક્યમાં શેતાન અલ્પવિરામ હોઈ શકે પણ તેને ક્યારેય પૂર્ણ વિરામ બનવા દેશો નહિ

· જ્યાં ભગવાન પૂર્ણવિરામ મૂકે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશો નહિ

· તમારો ચહેરો ચિંતાઓને કારણે કરચલીઓથી ભરાઈ ગયો છે તો તેની સારવાર માટે મંદિર જાવ.

· પ્રાર્થના કરતી વેળાએ ભગવાનને સૂચનાઓ આપશો નહિ,માત્ર તમારી ફરજ પર હાજર થતા હોવ તેમ ત્યાં હાજર થાવ

· રામ નામનાં સ્મરણ માટે ચાર ખભે ચઢી પરમધામે જવાની રાહ જોશો નહિ

· આપણે ભગવાનનો સંદેશ બદલવાનો હોતો નથી,ભગવાનનો સંદેશ આપણને બદલી નાંખે છે.

· મંદિર પ્રાર્થનાનુકૂલિત હોય છે (જેમ ગરમીમા ઠંડક આપનાર ઘર વાતાનુકૂલિત હોય છે)

· જ્યારે ભગવાન કસોટી કરે છે ત્યારે તે જ એમાંથી પાર પણ ઉતારે છે.

· પૂર્વ આયોજન કરતા શિખો...

· મોટા ભાગના લોકોને ભગવાનની સેવા કરવી હોય છે,પણ સલાહકાર તરીકે.

· તમારામાં સચ્ચાઈનો ક્ષય થઈ રહ્યો છે? તમારો ધર્મગ્રંથ વાંચવા માંડો.

· રોજ કસરત કરો...ભગવાન સાથે ચાલો.

· શેતાનને કદાપિ તમારી સાથે સવારી કરવાની પરવાનગી આપશો નહિ, તે તમારા પર હાવી થઈ જઈ તમને હંકારવા માંડશે.

· સત્યને ખેંચ્યા કરશો તો તેનો નાશ થશે.

· દયા કે કરુણા આપી દેવા સહેલાં નથી કારણ તે ફરી તમારી પાસે જ પાછા ફર્યા કરે છે.

· જે તમને ક્રોધાયમાન કરે છે તે તમારૂં નિયંત્રણ કરે છે.

· ચિંતા એવો અંધારીયો ઓરડો છે જ્યાં નેગેટીવ્સ ડેવલપ થઈ શકે છે

· શેતાનને તસુભાર જેટલી પણ જગા આપશો તો તે તમારો શાસક બની જશે

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment