દર
વર્ષે 'વેલેન્ટાઇન ડે' નાં દીવસે
તેઓ મને સૌથી સુંદર
પુષ્પોનો મોટો ગુચ્છ એક
કાર્ડ સાથે મોકલતા જેમાં
લખ્યું હોય "મારો તારા પ્રત્યેનો
પ્રેમ વધતો જાય છે!"
બે
વર્ષ અગાઉ જયારે તેઓ
મારો સંગાથ છોડી ચાલ્યા
ગયા ત્યારે ચાર સંતાનો,
૪૬ પુષ્પગુચ્છો અને અમાપ પ્રેમનો
વારસો તેઓ મારા માટે
મૂકતા ગયા.તેમના ચાલ્યા
ગયા બાદ દસેક મહિના
પછી મારા પ્રથમ તેમના
વગરના 'વેલેન્ટાઇન ડે' નાં દીવસે
હું ભારે ચોંકી ગઈ
જ્યારે મેં જોયું કે
મારા નામે આ વર્ષે
પણ એક પુષ્પગુચ્છ કોઈએ
મોકલ્યો હતો અને મોકલનારનું
નામ હતું 'જોન'!
પહેલા
મને થોડો ગુસ્સો આવ્યો
પછી દુ:ખ થયું
અને મેં તરત ફૂલવાળાને
કહ્યું કે તેની કદાચ
કોઈ ભૂલ થતી લાગે
છે. તેણે જવાબ આપ્યો
"ના, મેડમ મારી કોઈ
ભૂલ થતી નથી.તમારા પતિ મરતા
પહેલા મને અગાઉથી આવનારા
ઘણા વર્ષો સુધી તમને
આ સુંદર પુષ્પગુચ્છ દર
'વેલેન્ટાઇન ડે' નાં દીવસે
અચૂક મોકલવાનાં પૈસા ચૂકવતા ગયા
છે.”
ફૂલવાળાનાં
ગયા બાદ હું દિગ્મૂઢ
અને અવાચક બની એ
સુંદર ફૂલોને જોઈ રહી
હતી ત્યાં મારૂ ધ્યાન
સાથેનાં કાર્ડ
પર લખેલા સંદેશ પર
ગયું જે આ પ્રમાણે
હતો : "મારો તારા પ્રત્યેનો
પેમ શાશ્વત છે..."
('ઈન્ટરનેટ પરથી')
‘ઇન્ટરનેટ કોર્નર’માં વેલેન્ટાઈન ડે સ્પેશિયલ વાર્તા શ્રેષ્ઠ હતી. તે હ્રદયને સ્પર્શી ગઈ.
ReplyDelete-અશોક દાસાની (વોટ્સ એપ દ્વારા)