એક માણસે એક શિલ્પકારને પૂછ્યું : "તું પાષાણમાંથી આવી સુંદર પ્રતિમાઓ કઈ રીતે બનાવે છે?"
શિલ્પકારે જવાબ આપ્યો : "ચિત્ર અને પ્રતિમાઓ તો પાષાણમાં જ છૂપાયેલી હોય છે.હું તો માત્ર બિનજરૂરી પથ્થરને કોતરી કાઢી દૂર કરું છું!"
સાર / ઉપસંહાર : તમારું સાચું સુખ તમારી અંદર જ છૂપાયેલું છે, માત્ર ચિંતાઓ દૂર કરી (છોડી) દો.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
જીવન એક વાંસળી જેવું છે.તેમાં ઘણાં છિદ્રો અને પોલાપણું કે ખાલી જગા રહેલા છે.પણ જો તમે એનો ધ્યાનથી યોગ્ય ઉપયોગ કરી જાણો તો તેમાંથી મંત્રમુગ્ધ કરી દેનાર જાદુઈ સંગીતનું નિર્માણ થઈ શકે છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
તંદુરસ્તી મોટામાં મોટી ભેટ છે.સંતોષ મોટામાં મોટી સંપત્તિ અને શ્રદ્ધા તેમજ વફાદારી મોટામાં મોટા સંબંધ છે. - ગૌતમ બુદ્ધ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
યોગ્ય કે લાયક વ્યક્તિ સાથે સમજૂતી ખોટાં કે અયોગ્ય વ્યક્તિ સાથે દલીલ કરતાં વધુ સારી છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
સૌથી સારું કોઈના વિચારોમાં રહેવું અને સૌથી સુરક્ષિત કોઈની પ્રાર્થનામાં હોવું - એ છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment