Monday, January 2, 2012

ઇશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંવાદ

એક દિવસ મેં ઇશ્વરને પૂછ્યું કે પૃથ્વી પર કઈ રીતે જીવવું જોઇએ?


ઇશ્વરે મારી નજીક આવી મારા કાનમાં કહ્યું :

સૂર્ય જેવા બનો. સવારે વહેલા ઉઠો અને રાતે જલ્દી સૂઈ જાઓ...

ચંદ્ર જેવા બનો. અંધારામાં પ્રકાશ આપો પણ વધુ તેજમાં વિલીન થઈ જાઓ...

પંખી જેવા બનો. ખાઓ, ગાઓ,પીઓ અને ઉડો...

ફૂલો જેવા બનો. સૂર્યને ચાહો પણ તમારા મૂળિયાને વફાદાર રહો...

વિશ્વાસુ અને વફાદાર શ્વાન જેવા બનો, પણ ફક્ત તમારા માલિક પ્રત્યે...

ફળ જેવા બનો, બહારથી સુંદર અને અંદરથી તંદુરસ્ત, રસાળ...

દિવસ જેવા બનો જે શાંતિથી આવે છે અને બડાઈ ઠોક્યા વગર ચુપકીદી સાથે જતો રહે/પૂરો થઈ જાય છે...

મીઠા પાણીની વિરડી જેવા બનો. તરસ્યાની તરસ છીપાવો...

આગિયા જેવા બનો, નાનકડા હોવા છતાં પ્રકાશ રેલાવો...

પાણી જેવા બનો, શુદ્ધ, સ્વચ્છ અને પારદર્શક...

નદી જેવા બનો, સતત આગળ વહેતા રહો...

અને બીજા બધાંથી વિશેષ, સ્વર્ગ જેવા બનો જ્યાં ઇશ્વરને વાસ કરવાનું મન થાય...

-----------------------------------------------------------------------

હે ઇશ્વર,મને તારી મરજી મુજબ જીવતા, કાર્ય કરતા શીખવ કારણ તું જ મારો માલિક છે, મારો ભગવાન છે...

હે પરમાત્મા, તારી ઉદારતા મને ઉચ્ચતાના માર્ગે લઈ જાય...

-----------------------------------------------------------------------

હે ઇશ્વર,મને હું છું ત્યાં જ ન રહેવા દેતો...તું મને જ્યાં જોવા ઇચ્છે છે, ત્યાં પહોંચવામાં મારી મદદ કર...

-----------------------------------------------------------------------

નવા વર્ષની અઢળક હાર્દિક શુભેચ્છાઓ...!!!


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment