Sunday, June 5, 2011

પેન્સિલ-રબર અને આપણાં માતાપિતા

પેન્સિલ : હું દિલગીર છું. મને માફ કરજે...


રબર : દિલગીર શા માટે? તે કંઈ ખોટું કર્યું નથી.

પેન્સિલ : હું દિલગીર છું કારણ હું વારંવાર તને ઇજા પહોંચાડું છું. જ્યારે જ્યારે મારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે ત્યારે તું એ ભૂંસી નાંખવા તૈયાર હોય છે.પણ મારી ભૂલો ભૂંસતી વખતે તું નાનું ને નાનું થતું જાય છે,દરેક વેળાએ તારા શરીરનો થોડો ભાગ ગુમાવી બેસે છે.

રબર : હા ..એ તો ખરું પણ મને એનો કોઈ વાંધો નથી.મારું નિર્માણ જ એ હેતુથી થયું છે.તું ભૂલ કરે ત્યારે તને મદદ કરી શકું, તારી ભૂલ સુધારી શકું એ માટે જ મારી રચના થઈ છે.હું જાણું છું કે એક દિવસ મારું અસ્તિત્વ મટી જશે અને તું મારી જગા બીજા નવા રબરને આપી દેશે પણ મને મારી કામથી પૂરો સંતોષ છે.હુ ખુશ છું.માટે તું દુ:ખી ન થા. હું તને ઉદાસ જોવા નથી માગતું.તું મહેરબાની કરીને ચિંતા કરવી છોડી દે

કેટલો પ્રેરણાદાયી છે પેન્સિલ-રબર વચ્ચેનો આ સંવાદ!માતાપિતા રબર જેવી ભૂમિકા ભજવતા હોય છે અને તેમનાં બાળકો પેન્સિલ જેવી.માતાપિતા હંમેશા સંતાનોની ભૂલો ભૂંસી નાખવા હાજર - તત્પર હોય છે.એમ કરતાં કરતાં ઘણી વાર તેઓ જખમી પણ થાય છે અને સમય વિતતા તેઓ ઘરડાં થતાં જાય છે અને અંતે એક દિવસ મૃુત્યુ પામે છે.સંતાનો માતાપિતાનું સ્થાન પોતાના લગ્ન બાદ તેમના સાથીને આપી દે છે પણ માતાપિતા હંમેશા પોતે પોતાના સંતાનો માટે આપેલા ભોગ બદલ ખુશ અને સંતુષ્ટ હોય છે.તેઓ ક્યારેય પોતાના વહાલસોયા સંતાનોને દુ:ખી કે ચિંતાતુર જોવા ઇચ્છતા નથી.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment