Wednesday, February 9, 2011

કેટલીક અમલમાં મૂકવા જેવી વાતો...


* ચિંતા કરવી છોડી દો – એ માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – એમાં સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો – એક દિવસ તમે પણ વડીલ બનવાના છો.

* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.



-----------------------------------------------------------------------------------------------

આ ક્વોટેબલ ક્વોટ્સ પણ માણવાલાયક છે:



જીંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે…

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,

સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,

બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,

અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment