એક માણસ રેલવેમાં કામ કરતો હતો.એક વાર એમ બન્યું કે એક રાતે તે પોતાનું
નિયત કામ કરવા માટે એક ફ્રીઝર ઉતર્યો અને અકસ્માતે ત્યાંનુ બારણું બંધ થઈ ગયું.તે
ત્યાં ફસાઈ ગયો.
તેણે મદદ માટે ઘણી બૂમો પાડી પણ ઘણું મોડું થયું હોવાથી આસપાસમાં કોઈ ન
હોવાથી કોઈએ તેની બૂમો ન સાંભળી. તેણે બારણું તોડી પાડવાના અથાગ પ્રયત્નો
કર્યા પણ તેની મહેનત નિષ્ફળ ગઈ.
હવે તેને ભય લાગવા માંડ્યો અને જેમ જેમ સમય પસાર થતો ચાલ્યો તેમ તેમ તેને
વધુ ને વધુ ઠંડી લાગવા માંડી.
ભય અને ઠંડી સાથે તેને વધારે ને વધારે અશક્તિ પણ લાગવા માંડી.
તેણે ત્યાંની ભીંત પર લખ્યું:
"મને ખૂબ ઠંડી લાગી રહી છે.હું ભારે નબળાઈનો અનુભવ કરી રહ્યો છું.ઠંડી
અને અશક્તિ વધતાં જ જાય છે...હું મરી રહ્યો છું. કદાચ આ મારા છેલ્લા
શબ્દો હશે..."
બીજે દિવસે સવારે જ્યારે બીજા કામદારોએ ફ્રીઝર કમ્પાર્ટમેન્ટનો દરવાજો
તોડી પાડ્યો ત્યારે તેમને અંદરથી પેલા માણસની લાશ મળી આવી. આ વાર્તામાં
કરુણ વળાંક એ હતો કે થોડા દિવસો અગાઉ તે ફ્રીઝીંગ કમ્પાર્ટમેન્ટનું ઠંડી
ઉત્પન્ન કરતું સાધન ખરાબ થઈ ગયું હતું.
બિચારા પેલા મરી ગયેલા માણસને સાધન ખરાબ થઈ ગયું હોવાની જાણ નહોતી અને
તેને તો એવો જ ખ્યાલ હતો કે ઠંડી ઉત્પન્ન કરનારું સાધન બરાબર કામ કરે જ
છે. આથી તેને તો વધુ ને વધુ ઠંડી અને અશક્તિનો અનુભવ જ થતો રહ્યો અને
છેવટે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.
સફળતાના રહસ્યો:
આપણાં અર્ધજાગૃત મનને છેતરી શકાય છે.આપણું અર્ધજાગૃત મન જાગૃત મન પાસેથી
જ આદેશો સ્વીકારે છે.તેની પાસે જાગૃત મન દ્વારા અપાતા આદેશ કે માહિતીનો
અસ્વીકાર કરવાની બિલકુલ ક્ષમતા નથી હોતી.
બિચારા મરી ગયેલા પેલા માણસે જાગૃત અવસ્થામાં એમ વિચાર્યું કે તેનું શરીર
ઠંડું પડી રહ્યું છે,તેની શારીરિક તાકાત ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે અને
તે મરી રહ્યો છે.તેના અર્ધજાગૃત મને તેના જાગૃત મન પાસેથી આ આદેશ અને
માહિતી મેળવ્યા અને તેને સ્વીકારી તેને ખરેખર અમલમાં મૂકવાનું શરૂ
કર્યું. તેના શરીર પર આની અસર થવા માંડી. અંતે તે મૃત્યુના મુખમાં ધકેલાઈ
ગયો.
ક્યારેક અતિ ઝડપી જીવનની ઘરેડમાં થંભી જતા પણ શીખો અને જીવનને માણો.અતિ
ઝડપી ગતિએ વહેતા જીવનમાં તમે ફક્ત કુદરતી સૌંદર્ય અને આસપાસના નાના નાના
આનંદોને જ માણવાનું નથી ચૂકી જતાં પણ તમે ક્યાં અને શા માટે જઈ રહ્યા છો
તેનું પ્રમાણ ભાન પણ ભૂલી જાઓ છો.
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment