Saturday, October 23, 2010

મહાત્મા ગાંધીજીની રત્નકણિકાઓ (ગાંધી જયંતિ સ્પેશિયલ)

* તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહિં. માણસાઈ એક મહાસાગર છે, જો મહાસાગરના એકાદ-બે ટીપાં ગંદા હોય તો આખો મહાસાગર ગંદો બની જતો નથી.



* ફક્ત એક હ્રદયની એકાદ કાર્ય દ્વારા જ સચ્ચાઈપૂર્વક કરેલી સેવા હજારો માણસોની પ્રાર્થના કરતાં પણ વધુ સારી છે.


* ચિંતા જેટલું વધુ નુકસાન શરીરને બીજું કંઈ જ પહોંચાડતું નથી અને જેને ઇશ્વરમાં વિશ્વાસ હોય તેણે કદી કોઈ પણ બાબતની ચિંતા કરતા શરમ અનુભવવી જોઈએ.


* પ્રાર્થનામાં હ્રદય વગર શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું હ્રદય હોય એ વધારે સારું છે.


* મિત્રો સાથે મિત્રાચારી તો સામાન્ય છે.પણ જે પોતાને તમારો શત્રુ ગણાવતો હોય તેના પ્રત્યે મિત્રાચારી દાખવવી એ સાચા ધર્મનો મૂળ સાર છે.


* મારા માટે એ સદાય રહસ્ય રહ્યું છે કે કઈ રીતે બીજાને શરમજનક પરિસ્થિતીમાં મૂકી કે બીજાની અવહેલના કરી કોઈ મનુષ્ય પોતાની જાતને માન આપી શક્તા હશે?


* મનુષ્યની જરૂરિયાતને પહોંચી વળે એટલું આ જગતમાં પ્રાપ્ય છે પણ મનુષ્યના લોભને પહોંચી વળે એટલું નહિં.


* હું મનુષ્યના સારા ગુણો પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરું છું.હું પોતે પણ ક્ષતિરહિત નથી તો હું બીજાઓમાં કઈ રીતે દોષ જોઈ શકું?


* જો આપણે જગતને સાચે જ શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધ વિરુદ્ધ જંગ છેડવો હોય તો શરૂઆત બાળકોને શિખવવાથી કરવી જોઈએ.


* જ્યારે તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો તેમાં સુસંગતતા હોય ત્યારે જ તમે સુખી થઈ શકો છો.


* જ્યારે હું સૂર્યાસ્તની અદભૂતતાની કે ચંદ્રની સુંદરતાની પ્રશંસા કરતો હોઉં છું ત્યારે મારો આત્મા પરમાત્માની પૂજા-પ્રાર્થનામાં વધુ વિસ્તાર પામતો હોય છે.


* ક્યારેક ઇશ્વર જેના પર તે પોતાની ખરી કૃપા વરસાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.


* તમારી જાતની સાચી ઓળખ મેળવવા તમારે તમારી જાતને બીજાઓની સેવામાં ડૂબાડી દેવી જોઈએ.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment