Wednesday, August 22, 2018

પ્રાકૃતિક સંપદાનું જતન કરો

એક બકરી પાછળ શિકારી કૂતરા પડ્યા. બકરી જીવ બચાવી દ્રાક્ષની એક ઝાડીમાં ઘૂસી ગઈ. કૂતરા આગળ નિકળી ગયા. 

                 બકરી તો નિશ્ચિંત થઈ દ્રાક્ષના વેલા ખાવા મંડી પડી. જોતજોતામાં એણે જમીનથી લઈને તેની ઉંચાઈ સુધીના બધાં પાંદડાં ખાઈ લીધાં. તેને છૂપાવા મળેલું સુરક્ષિત સ્થળ તેણે પોતે જ નષ્ટ કરી નાખ્યું. તે કૂતરાઓની નજરે ચડી ગઈ અને કૂતરાઓએ તેને મારી નાખી.
               સહારો આપનારને જે નષ્ટ કરે છે તેની આવી દુર્ગતિ થાય છે.
              મનુષ્ય પણ આજે તેને જ સહારો આપનાર જીવનદાયિની નદીઓ, ઝાડ-છોડ, જાનવરો, ગાયો, પર્વતો વગેરેને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આ બધાનાં માઠાં પરિણામ અનેક આફતો સ્વરૂપે ભોગવી રહ્યો છે.
પ્રાકૃતિક સંપદા ને બચાવો
પોતાની આવતી કાલ સુરક્ષિત કરો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment